SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર-કથા ૩૩૯ (૨) દુર્ગખ્ય લાઢદેશની વજભૂમિ અને શુભ્રભૂમિમાં વિહાર કર્યો ત્યારે ભગવંતે ઘણાં જ તુચ્છ વાસસ્થાનો અને કઠિન આસનોનું સેવન કર્યું હતું. (૩) તે લાઢદેશમાં ભગવંતે અનેક ઉપસર્ગો સહન કર્યા. ત્યાંના ઘણાં અનાર્ય લોકોએ ભગવંત પર ડંડ આદિથી પ્રહાર કર્યા. અત્યંત રૂલ આહારનું સેવન કર્યું. ત્યાંના કુતરાઓ ભગવંત ઉપર ટુટી પડતા અને બટકાં ભરતા હતા. (૪) ત્યાંના અનાર્ય લોકોમાં કોઈ ભગવંતની પાછળ દોડતા કુતરાને રોકતા હતા, ઘણાં બધાં લોકો છૂ–છૂ કરીને તે કુતરાને ભગવંતની પાછળ દોડાવતા હતા. તે કુતરા ભગવંતને બટકા ભરતા હતા. (૫) તે વજભૂમિમાં તામસી ભોજન કરવાને કારણે એવા કઠોર સ્વભાવવાળા ઘણાં લોકો ભિક્ષુઓ પાછળ કતરા છોડી દેતા હતા. જેના કારણે તે ભિક્ષ, શ્રમણાદિ લાઠી કે નાલિકા લઈને ત્યાં વિચરણ કરતા હતા. (૬) ત્યાં વિચરણ કરનારા શ્રમણ આદિ લાકડી લઈને વિચરતા તો પણ કુતરા તેની પાછળ દોડતા અને બટકા ભરતા હતા. તે લાઢ પ્રદેશમાં વિચરણ કરવું શ્રમણોને ઘણું જ દુષ્કર હતું. (૭) પરંતુ અનગાર ભગવંત મહાવીર પ્રાણિઓ સામે રખાતા દંડનો ત્યાગ કરીને તેમજ પોતાના શરીર પ્રત્યેના મમત્વનો પણ વ્યુત્સર્ગ કરીને વિચરતા હતા. ત્યાંના ગ્રામજનોના કાંટા જેવા તીણ વચનોને પણ નિર્જરાનો હેતુ સમજી સમ્યક્ ભાવે સહન કરતા હતા. (૮) અથવા જેમ હાથી સંગ્રામને જીતીને યુદ્ધને પાર પામે છે. તે જ રીતે ભગવંત મહાવીર પણ તે લાઢ પ્રદેશમાં પરીષહ રૂ૫ શત્રુઓની સેનાને જીતીને પારગામી થયા. એક વખત તે લાઢ દેશમાં ગામ ન મળવાથી વનમાં જ રહ્યા હતા. (૯) વિચરણ કરતા ભગવંત ભિક્ષા માટે કે નિવાસ માટે તે ગામની નજીક પહોંચે, ન પહોંચે, ત્યાં તો કેટલાંક લોકો તે ગામથી નીકળીને ભગવંતને રોકી રાખતા અને તેમને મારતા–પીટતા અને કહેતા કે, અહીંથી બીજે દૂર ક્યાંય પણ ચાલ્યા જાઓ. (૧૦) તે લાઢ દેશમાં પહેલાં તો ઘણાં લોકો ડંડાથી, મુક્કાથી, ભાલા આદિ વડે, ફલકો વડે, પત્થરોથી મારતા, પછી “મારો–મારો' કહીને શોર મચાવતા હતા. (૧૧) ત્યાંના અનાર્ય લોકોએ કોઈ સમયે ધ્યાનસ્થ ઊભેલા ભગવંતના શરીરનું માંસ કાપ્યું. વિવિધ પ્રકારે કષ્ટ પહોંચાડ્યું. ક્યારેક તો ભગવંત પર ધૂળનો વરસાદ વરસાવતા હતા. (૧૨) કોઈ કોઈ લોકો ધ્યાનસ્થ ભગવંતને ઊંચે ઉપાડીને નીચે પછાડતા હતા, કોઈ તેમને આસન મુદ્રામાં ધક્કામાં મારી દૂર ખસેડતા હતા. પરંતુ ભગવંતે પોતાના શરીરનો મમત્વભાવ ત્યાગી દીધેલ હતો. તેઓ પરીષહ સહન કરવામાં સાવધાન હતા. નિદાનકર્મરહિત અપ્રતિબદ્ધ વિહાર કરતા હતા. (૧૩) જેમ કવચ પહેરેલ યોદ્ધો યુદ્ધના મોર્ચા પર શસ્ત્ર વડે વિદ્ધ થવા છતાં વિચલિત થતો નથી. તેમ સંવરરૂપી કવચ પહેરેલા ભગવંત મહાવીર લાઢાદિ દેશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy