SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ આગમ કથાનુયોગ-૧ (૬) ભગવંતને કદાચ નિદ્રા આવી જાય તો, ક્ષણભરના પ્રમાદ બાદ ફરી જાગૃત્ત થઈને ધ્યાનસ્થ થઈ જતા હતા. ક્યારેક-ક્યારેક પ્રમાદ નિવારણ માટે રાતમાં મૂહુર્ત પ્રમાણ બહાર ફરીને પુનઃ ધ્યાનમાં લીન થઈ જતા હતા. (૭) તે નિવાસ સ્થાનોમાં ભગવંતને અનેક પ્રકારના ભયંકર ઉપસર્ગો પણ થતા હતા. કયારેક સાપ કે નોળીયા આદિ પ્રાણી ઉપસર્ગ કરતા હતા. તો ક્યારેક વિચરતા પક્ષી માંસ તોડી લેતા હતા. (૮) તદુપરાંત તે ભગવંતને ચોર, સશસ્ત્ર ગ્રામરક્ષક, કામાસક્ત સ્ત્રીઓ કે પુરુષો પણ આવીને ઉપસર્ગ કરતા હતા. કષ્ટ આપતા. (૯) ભગવંતે ઇડલૌકિક (તિર્યંચ અને મનુષ્ય દ્વારા) અને પારલૌકિક (દેવો આદિ દ્વારા) કરાયેલા અનેક પ્રકારના ઉપસર્ગોને સમભાવપૂર્વક સહન કર્યા. તેઓ અનેક પ્રકારની સુગંધ-દુર્ગધ તથા પ્રિય-અપ્રિય શબ્દોમાં હર્ષ કે શોક રહિત મધ્યસ્થભાવે રહેતા. (૧૦) ભગવંતે સદા સમિતિ યુક્ત થઈને, અનેક પ્રકારના સ્પર્શોને સહન કર્યા. રતિ–અરતિ પર ભગવંતે વિજય પ્રાપ્ત કર્યો હતો. તે મહામાહણ મહાવીર ઘણું જ અલ્પ બોલતા હતા. (૧૧) ભગવંતને કોઈ આવીને પૂછતું કે, તમે કોણ છો ? અહીં કેમ ઊભા છો? ક્યારેક રાતના એકલા ફરનારા લોકો પણ ઉક્ત પ્રશ્નો પૂછતા. ત્યારે પણ ભગવંત કંઈ જ બોલતા ન હતા. જેનાથી ક્રોધિત થઈને તે લોકો ભગવંત સાથે દુર્વ્યવહાર કરતા હતા, તો પણ સમાધિમાં લીન રહેતા. પણ પ્રતિશોધ–બદલાની ભાવના રાખતા ન હતા. (૧૨) આ સ્થાનમાં આ કોણ છે ? એવું કોઈ પૂછે તો ભગવંત કહેતા હું ભિક્ષુ છું. જો તેઓ ક્રોધાંધ બની જાય તો ભગવંત ત્યાંથી ચાલ્યા જતા. આત્મધ્યાન અને સહિષ્ણુતાને ઉત્તમ ધર્મ માની, ભગવંત મૌન રહેતા અને ધ્યાનમાં લીન બની જતા. (૧૩) જ્યારે શિશિર ઋતુમાં ઠંડી હવા વહેતી હોય ત્યારે કેટલાંક સાધુ કાંપવા લાગે છે. શીતકાળમાં હિમવર્ષા થાય ત્યારે વાયુરહિત સ્થાનોની શોધ કરતા હોય છે. (૧૪) અતિ દુ:ખદાયી તે હિમજન્ય શીત સ્પર્શને કારણે કોઈ સાધુ એવું વિચારતા કે સંઘાટિકા (ચાદર કે કંબલમાં) ઘુસી જઈએ અથવા કાષ્ઠ જલાવીએ, બારણા બંધ કરી લઈએ જેથી આ ઠંડીથી બચી શકાય (ત્યારે) (૧૫) એવા વખતમાં ભગવંત આવા સંકલ્પો કરતા ન હતા, ચારે તરફ દિવાલ રહિત, કેવળ ઉપરથી આચ્છાદિત નિર્જન વન આદિ સ્થાનોમાં રહેતા. ક્યારેક રાત્રિએ બહાર નીકળી મુહૂર્ત સુધી રહીને ફરી સ્થાનમાં પાછા આવતા. એ રીતે શીત પરીષહને સમભાવે સહન કરતા હતા. (૧૬) મતિમાનું માહણ ભગવંત મહાવીરે સર્વથા નિદાન રહિત થઈને અનેકવાર આ વિધિનું પરિપાલન કરતા વિચરણ કર્યું એમ હું કહું છું. ૦ ભગવંતને (અનાર્ય ભૂમિમાં) થયેલ પરિષહ-ઉપસર્ગ : (૧) ભગવંતે તૃણ સ્પર્શ, શીત સ્પર્શ, ઉષ્ણ સ્પર્શ, ડાંસ અને મચ્છરોના ડંશ અને બીજા વિવિધ પ્રકારના સ્પર્શ હંમેશા સમભાવપૂર્વક સહન કર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy