________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર-કથા
૩ ૩૧
સમાધાન કરી ભગવંતે ત્યાંથી વિહાર કર્યો.
ત્યાંથી વિહાર કરી ભગવંત જૂલિંકાગામ ગયા. ત્યાં શક્ર આવ્યા. ભગવંતને વંદન કરી, નાટ્યવિધિ દેખાડી, ભગવંતને કહ્યું કે, હે ભગવંત ! હવે આટલા દિવસોમાં આપને કેવળજ્ઞાન થશે. ત્યાંથી ભગવંત મિટિંકાગ્રામ પધાર્યા. ત્યાં અમરેન્દ્ર ભગવંતને વંદન કરવા અને સુખશાતા પૂછવા આવ્યા. ત્યાંથી ભગવંત વિહાર કરીને છમ્માણિ નામના ગામે પધાર્યા. ત્યાં બહાર પ્રતિમા ધ્યાને રહ્યા.
ભગવંતે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં શય્યાપાલકના કાનમાં તપાવેલા સીસાનો રસ રડાવી જે અશાતાવેદનીય કર્મનું ઉપાર્જન કરેલ તે કર્મ પ્રભુને ઉદયમાં આવ્યું. તે શય્યા પાલકનો જીવ ઘણાં ભવોમાં ભ્રમણ કરીને આ ગામમાં ગોવાળ થયો હતો. તે ગોવાળ સાંજના પ્રભુને ગામની બહાર ઊભા રહેલા જોઈને પોતાના બળદો ભગવંત પાસે મૂકીને ગાયો દોહવા ગામમાં ગયો. ગોવાળના ગયા પછી બળદો ચરવા માટે અટવીમાં દૂર ચાલ્યા ગયા. ગોવાળ ગાયોને દોડીને ભગવંત પાસે પાછો આવ્યો. પણ બળદોને ન જોઈને ભગવંતને પૂછયું, હે દેવાર્ય ! મારા બળદો ક્યાં ગયા ? ભગવંત મૌન રહ્યા. ત્યારે તે ગોવાળે ભગવંતના બંને કાનોમાં કટની (વાંસની) તીક્ષ્ણ શલાકા (સળી) નાંખી દીધી. એક કાનમાં એક અને બીજા કાનમાં એક, એમ બે કાનમાં શલાકાઓ એવી રીતે ઘુસાડી દીધી કે બંને એકબીજાને મળી ગઈ, પછી તે શલાકાના મૂળ કાપી નાખ્યા. જેથી બહારથી દેખાય નહીં. કોઈ એમ પણ કહે છે કે, એક જ શલાકા એક કાનમાંથી નાખી બીજા કાનની બહાર નીકળી તે રીતે ઘુસાડી દઈ પછી બંને બાજુથી મૂળ કાપી નાંખ્યા.
ભગવંત એ જ સ્થિતિમાં વિહાર કરી મધ્યમા પાપાનગરીએ પધાર્યા. ત્યાં સિદ્ધાર્થ નામનો વણિક હતો. ભગવંત તેના ઘેર પધાર્યા. સિદ્ધાર્થને એક ખરક નામનો મિત્ર હતો, તે વૈદ્ય હતો. તે બંને સિદ્ધાર્થના ઘેર હતા. જ્યારે ભગવંતે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો, ત્યારે તે વણિકે ભગવંતને વંદના કરી, સ્તુતિ કરી, વૈદ્ય તીર્થકરને જોઈને કહ્યું, અરે ! આ ભગવંત સર્વલક્ષણ સંપૂર્ણ છે. પણ તેના શરીરમાં ક્યાંક શલ્ય છે. ત્યારે તે વણિકે સંભ્રમથી કહ્યું કે, બરાબર જો ક્યાં શલ્ય રહેલું છે ? વૈદ્ય ધ્યાનથી નિરીક્ષણ કરતા, પ્રભુના બંને કાનમાં શલાકા નંખાયેલી જોઈ. તુરંત સિદ્ધાર્થ વણિકે કહ્યું કે, બીજા બધાં કાર્યો પડતા મૂકીને પહેલા આપણે ભગવંતના આ શલ્યને દૂર કરવું જોઈએ. આ મહાતપસ્વીનું શલ્ય દૂર કરવાથી તને અને મને બંનેને પુણ્ય બંધાશે.
બંનેની આવી વાત ચાલતી હતી, ત્યાં પોતાના દેહના મમત્વભાવનો ત્યાગ કરેલા પ્રભુ ચિકિત્સા ઈચ્છતા ન હોવાથી ત્યાંથી નીકળી ગયા. જ્યારે પ્રતિચારિત પાસેથી સમાચાર મળ્યા કે ભગવંત ઉદ્યાનમાં કાયોત્સર્ગ સ્થિત છે. ત્યારે સિદ્ધાર્થ વણિક અને ખરક વૈદ્ય ઔષધ આદિ લઈ સત્વરે ઉદ્યાનમાં ગયા. પહેલા ભગવંતને તેલની એક કુંડીમાં બેસાડ્યા. પ્રભુના શરીરનું તેલ વડે અથંગન કર્યું. પછી બળવાન્ ચંપી કરનારા ઘણાં પુરુષો પાસે મર્દન કરાવ્યું. બલિષ્ઠ પુરષોએ ભગવંતના બધા સાંધા ઢીલા કરી દીધા. પછી સાણસી વડે ભગવંતના બંને કાનોમાંથી તે શલાકા પકડીને વૈદ્ય બહાર ખેંચી કાઢી. તે ખીલા રૂધિર અને માંસમાં એવા ચોંટી ગયા હતા કે રૂધિર સહિત બહાર નીકળ્યા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org