SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ શક્રએ તેને વસુધારા લેતો અટકાવ્યો. હે રાજન્ ! આ ધન ચંદના જેને આપે તે જ લઈ શકે. જ્યારે ચંદનાને પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું કે, ધનાવહ શેઠ મારા પિતા સમાન છે. માટે આ ધન તેને આપો. ચંદનાની અનુજ્ઞાથી શકે બધું ધન ધનાવહ શ્રેષ્ઠીને આપ્યું. પછી શક્રેન્દ્રએ શતાનીક રાજાને કહ્યું, આ ચંદના ચરમશરીરી છે. તેનું સારી રીતે પાલન કરજે. જ્યારે ભગવંતને કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંતના પ્રથમ શિષ્યા થશે. ત્યારે રાજા તેણીને આદરપૂર્વક ઘેર લઈ ગયો. કન્યાના અંતઃપુમાં તેનો ઉછેર થવા લાગ્યો. મૂલા શેઠાણીની લોકો દ્વારા ઘણી હેલના અને તિરસ્કાર થયો. 330 ભગવંતનો અભિગ્રહ પાંચ માસ અને પચીશ દિવસે પૂર્ણ થયો. અર્થાત્ એટલા દિવસે ભગવંતને ભિક્ષા પ્રાપ્ત થઈ. ત્યાંથી વિહાર કરી ભગવંત સુમંગલ નામના ગામે પધાર્યા. ત્યાં સનકુમારેન્દ્ર આવ્યા. તેણે વંદના કરી, સુખશાતા પૂછી. ત્યાંથી વિહાર કરી ભગવંત સુક્ષેત્ર ગામે પધાર્યા. ત્યાં માહેન્દ્ર સુખશાતા પૂછવા આવ્યા. ત્યાંથી ભગવંત પાલક નામના ગામે ગયા. ત્યાં વાતબલ નામનો વણિક યાત્રાર્થે નીકળતો હતો. ભગવંતને જોઈને અપશુકન થયા તેમ માની તલવાર લઈ ભગવંતને મારવા દોડ્યો. ત્યારે સિદ્ધાર્થ વ્યંતરે તેને શિક્ષા કરવા પોતાના હાથે જ તે વિણક્નું મસ્તક છેદી નાખ્યું. .. ભગવંતનું બારમું ચાતુર્માસ – ચંપામાં અગ્નિહોત્રશાળામાં : ભગવંત ત્યાંથી ચંપાનગરી પધાર્યા. ત્યાં સ્વાતિદત્ત બ્રાહ્મણની અગ્નિહોત્ર શાળામાં વસતિ પ્રાપ્ત કરીને ત્યાં ચોમાસી તપ કરવા પૂર્વક ભગવંતે બારમું ચોમાસુ કર્યું. ત્યાં રોજ રાત્રે પૂર્ણભદ્ર અને માણિભદ્ર બે યક્ષો ભગવંતની પર્યાપાસના કરતા. એ રીતે ચારે મહિના તે બંને દેવોએ ભગવંતની ભક્તિ કરી. તે જોઈને સ્વાતિદત્તને થયું કે, આ દેવાર્ય નકકી કોઈ વિશિષ્ટ જ્ઞાની છે. તેણે ભગવંત સમક્ષ જિજ્ઞાસા રજૂ કરી કે આ આત્મા શું છે ? ભગવંતે ઉત્તર આપ્યો. જે આ “હું” શબ્દથી વ્યક્ત થાય છે. તે આત્મા છે. સ્વાતિદત્તે પૂછ્યું, તે આત્મા કેવો છે ? અર્થાત્ તેનું સ્વરૂપ કેવું છે ? તે અત્યંત સૂક્ષ્મ છે. ઇન્દ્રિયને અતિક્રાન્ત કરતો હોવાતી દેખાતો નથી. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શના વિષયોથી રહિત છે. સ્વાતિદત્ત ફરી પૂછ્યું, સૂક્ષ્મ એટલે કેવો ? ભગવંતે જણાવ્યું કે, જે ઇન્દ્રિયો વડે જાણી શકાતો નથી તેવો સૂક્ષ્મ. ફરી સ્વાતિદત્તે પૂછ્યું કે, શું આત્મા શબ્દ, રૂપ, ગંધ અને પવનની માફક સૂક્ષ્મ છે ? ભગવંતે કહ્યું કે, ના. તે બધાં તો ઇન્દ્રિય ગ્રાહ્ય છે. અર્થાત્ કાન વડે શબ્દ, નેત્ર વડે રૂપ, નાક વડે ગંધ અને સ્પર્શ વડે પવન ગ્રાહ્ય છે. પરંતુ જે ઇન્દ્રિયો વડે ગ્રાહ્ય ન હોય તેવો સૂક્ષ્મ તે આત્મા છે. ઇન્દ્રિયો પદાર્થની ગ્રાહક છે. શું જ્ઞાન એ જ આત્મા છે ? ના. જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાનનો આધાર આત્મા છે. હે ભગવંત ! પ્રદેશન શું છે ? ભગવંતે કહ્યું, હે સ્વાતિદત્ત ! પ્રદેશન બે પ્રકારે છે. ધાર્મિક અને અધાર્મિક. અહીં પ્રદેશનનો અર્થ ઉપદેશ કર્યો છે. હે ભગવંત ! પ્રત્યાખ્યાન શું છે ? પ્રત્યાખ્યાન બે પ્રકારે છે. મૂલગુણ પ્રત્યાખ્યાન અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. આ ઉપદેશથી ઉપગત હોય તે જ્ઞાની. આવા પ્રકારે સ્વાતિદત્તની શંકાનું For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy