________________
તીર્થંકર ચરિત્ર—ભ મહાવીરકથા
થઈ જઈશ. રોગને તો મૂળથી જ ડામી દેવો સારો.
શ્રેષ્ઠી જ્યારે બહાર ગયા ત્યારે હજામને બોલાવી ચંદનાનું મસ્તક મુંડાવી નાખ્યું. બેડીના બંધનમાં નાંખી અને ઘણો માર માર્યો તેમજ નોકરચાકરને પણ ધમકી આપી કે કોઈએ બોલવું નહીં. દૂરના કોઈ ઘરમાં પૂરી દીધી. પછી તે પીયર ચાલી ગઈ. શ્રેષ્ઠીએ ઘેર આવીને પૂછયું, ચંદના ક્યાં છે ? પણ મૂલા શેઠાણીના ભયથી કોઈએ જવાબ આપ્યો નહીં. શ્રેષ્ઠીને થયું કે ક્યાંક ઉપર રમતી હશે. રાત્રે પણ પૂછયું તો પણ જવાબ ન મળ્યો. શ્રેષ્ઠીને એમ કે, ચંદના સૂઈ ગઈ હશે. બીજે દિવસે પણ તેણી જોવા ન મળી. ત્રીજે દિવસે શ્રેષ્ઠીએ ઘનિષ્ટ પૂછતાછ કરી. હવે જો મને નહીં કહો તો હું તમને મારીશ. તે વખતે એક વૃદ્ધ દાસીએ વિચાર્યું કે, મારે જીવીને શું કરવું છે ? તેના કરતા ચંદના જીવે તે ઉત્તમ છે. ત્યારે તે દાસીએ શેઠને સર્વ વૃત્તાંત જણાવ્યો. અમુક ઘરમાં ચંદનાને પૂરી દીધી છે.
શેઠે તે ઘર ઉઘાડ્યું. ભૂખ વડે પીડાઈ, બેહાલ થયેલી ચંદનાને જોઈ, શેઠને ઘણો જ ખેદ થયો. તેણે ભાત શોધવા પ્રયત્ન કર્યો. તે ન મળ્યા ત્યારે તેને બાફેલા અડદ જોવામાં આવ્યા. ત્યારે સુપડાના ખૂણામાં પડેલા અડદ ખાવા માટે આપીને લુહારને ઘેર ગયા. જેથી ચંદનાની બેડી તોડી શકાય. તે વખતે ચંદના પોતાના રાજકુળને સંભારતી ઊંબરો ઓળંગી એક પગ બહાર મૂકી બેઠી. પૂર્વાવસ્થાને યાદ કરતાં તેનું હૃદય ભરાઈ આવ્યું, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ખરેખર આ મારા અધર્મનું ફળ છે. તે વખતે ભગવંત ભિક્ષાર્થે પધાર્યા. તેણીએ વિચાર્યું કે હું આ અડદ ભગવંતને વહોરાવી દઉં. તેણીએ ભગવંતને પૂછ્યું કે, આપને આ અડદ ખપશે ? ભગવંતે હાથ ફેલાવ્યો કેમકે ભગવંતના અભિગ્રહ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પૂર્ણ થયો હતો. તે વખતે પંચદિવ્યો પ્રગટ થયા. તેણીના વાળ, કેશપાશ પૂર્વવત્ સુશોભિત થઈ ગયા તેની બેડીઓ પણ તુટી ગઈ. તેને સ્થાને સુવર્ણના ઝાંઝર થઈ ગયા. દેવોએ ચંદનાને વસ્ત્ર-અલંકારથી સુશોભિત કરી દીધી. (આ સર્વ કથન આવશ્યક ચૂર્ણિ તથા આવશ્યક નિર્યુક્તિ ૫૨૦-૫૨૧ની વૃત્તિ આધારે છે. ત્રિષષ્ઠી શલાકામાં પણ આમ જ જણાવેલ છે. કલ્પસૂત્રના વૃત્તિકાર અહીં બે વાતમાં જુદા પડે છે. (૧) તેઓ ચોથે દિવસે ધનાવહ શ્રેષ્ઠીને ચંદનાની માહિતી મળી તેમ લખ્યું છે. (૨) પહેલા ચંદના રડતી ન હતી. ભગવંત પાછા ગયા. પછી રડવા લાગી તેમ લખ્યું છે.)
તે વખતે દેવરાજ શક્ર પણ ત્યાં આવ્યા. તે વખતે સાડાબાર કોડી સુવર્ણ વૃષ્ટિ પણ થયેલી. કૌશાંબીમાં સર્વત્ર ચર્ચા થવા લાગી કે, આ પુણ્યવતીનું એવું કયું પુણ્ય છે કે, જેને ભગવંતને પ્રતિલાભ્યા ? આ વાત સાંભળી ત્યાં શતાનીક રાજા અંતઃપુર અને પરિજન સાથે આવ્યો. તે વખતે દધિવાહન રાજાનો સંપુલ નામનો કંચુકી જેને બંદી બનાવીને લાવ્યા હતા. તેણે ચંદનાને જોઈને ઓળખી લીધી. તુરંત તે ચંદનાને પગે પડીને રડવા લાગ્યો. રાજાએ તેને પૂછયું કે, તેણી કોણ છે ? ત્યારે કંચુકીએ કહ્યું કે, તેણી રાજા દધિવાહનની પુત્રી છે. ત્યારે મૃગાવતી રાણી બોલી કે, અરે ! આ તો મારી બહેનની પુત્રી છે. તે વખતે અમાત્ય પણ પોતાની પત્ની સાથે આવ્યો. તેણે ભગવંતને વંદના કરી. પછી ભગવંત ત્યાંથી નીકળી ગયા.
તે વખતે શતાનીક રાજા સાડા બાર કરોડ સુવર્ણને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થયો.
Jain Education International
For Private & Personal Use Only
૩૨૯
www.jainelibrary.org