________________
તીર્થંકર ચરિત્ર–ભમહાવીર–કથા
૩૨૫
માટે નીકળેલા ત્યારે વસ્ત્રપાલ નામની સ્થવીરાએ દૂધપાક–ખીર વડે પારણું કરાવ્યું. પંચદિવ્ય પ્રગટ થયા. બીજા આચાર્ય કહે છે, તે દિવસે તેમને ખીર મળેલી ન હતી. બીજે દિવસે સવાર પછી ખીર પાકી તેના વડે પ્રતિલાભિત કર્યા, ત્યારે પંચદિવ્યો પ્રગટ થયા હતા.
પછી તે સંગમદેવ સૌધર્મકલ્પ પાછો ફર્યો. આ તરફ સૌધર્મ કલ્પના સર્વે દેવો તે દિવસથી ઉગવાળા મને રહ્યા હતા. સંગમ આવ્યો ત્યારે શક્રેન્દ્રએ મુખ ફેરવી લીધું થાવત તે સંગમદેવ મેરૂ પર્વતની ચૂલિકાએ યાન વિમાનમાં આવીને રહ્યો. ઇત્યાદિ વર્ણન આવશ્યક ચૂર્ણિ અનુસાર જોવા મળેલ છે.)
– ૪ – ૪ – ત્યારે સંગમદેવને થયું કે, મેં આમને છ મહિના સુધી સતત ઉપસર્ગો કર્યા તો પણ હું તેમને ચલિત કરી શક્યો નહીં. હજી દીર્ધકાળ સુધી પણ હું તેમને ચલિત કરી શકું તેમ નથી. ત્યારે ભગવંતના પગમાં પડીને બોલ્યો ખરેખર ! શક્રએ પ્રભુના ધૈર્યાદિ ગુણની જે પ્રશંસા કરેલી તે સત્ય છે. હે ભગવંત ! મને ક્ષમા કરો. મારી પ્રતિજ્ઞાનો ભંગ થયો છે. આપે આપની પ્રતિજ્ઞા પૂર્ણ કરી છે. હવે આપ ક્યાંય પણ વિચરો, હું ઉપસર્ગ કરીશ નહીં. ભગવંતે તેને કહ્યું, હે સંગમક ! હું કોઈના કહેવાથી કે, ઇચ્છાથી ક્યાંય જતો નથી કે, રોકાતો નથી. ભગવંત બીજે દિવસે ગોકુળમાં પધાર્યા. કોઈ વૃદ્ધા ગોવાલણે પ્રભુને ઠંડી ખીર વહોરાવી. ત્યાં પંચ દિવ્યો પ્રગટ થયા.
આ તરફ સૌધર્મ દેવલોકમાં સર્વે દેવો સંગમકે ઉપસર્ગનો આરંભ કર્યો તે દિવસથી ઉદ્ધગયુક્ત મનવાળા થઈને રહેલા હતા. સંગમક જ્યારે સૌધર્મ દેવલોકમાં પાછો ફર્યો. ત્યારે શક્રએ તે તરફથી મોં ફેરવી લીધું પછી દેવોને કહ્યું, હે દેવી! તમે સાંભળો. આ પાપાત્મા આવી રહ્યો છે. તેનું મોઢું જોવામાં પણ પાપ છે. તેણે ફક્ત આપણા ચિત્તને જ અશાંતિ નથી પહોંચાડી, પરંતુ તીર્થંકરની પણ આશાતના કરી છે. આપણે તેનું કોઈ કામ નથી. એ પાપી જેમ પાપથી ડર્યો નહીં તેમ આપણાથી પણ ડર્યો નહીં. એ દુરાત્માને સ્વર્ગમાંથી જલદી કાઢી મૂકો. તેની *દ્ધિ વિષય બધું જ છીનવી લેવાયું. દેવ-દેવી દ્વારા પણ તેનો તિરસ્કાર કરાયો. દેવલોકમાંથી કાઢી મૂકાયેલો સંગમદેવ પછી યાનવિમાન દ્વારા મેરૂ પર્વતની ચૂલિકાએ આવ્યો. ત્યાં જઈને રહ્યો. ઇન્દ્રએ બીજા સર્વ પરિવારને તેની પાછળ જતો અટકાવ્યો. સંગમદેવ ત્યાં પોતાનું શેષ એક સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરશે.
ભગવંત પણ ગોકુળગામથી નીકળી આલંભિકા નગરી પધાર્યા. ત્યાં વિદ્યુતકુમારોનો ઇન્દ્ર હરિ આવ્યો. તેણે ભગવંતને વંદના કરી, મહિમા કર્યો. ભગવંતની સુખશાતા પૂછી. ભગવંત આપના ઉપસર્ગો પૂર્ણ થયા ? ભગવંતે કહ્યું, ઘણાં બધાં ઉપસર્ગો પૂર્ણ થયા. થોડા રહ્યા છે. તે ઇન્ડે કહ્યું, હે ભગવંત! આપને જલદીથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
ભગવંત ત્યાંથી વિહાર કરી શ્વેતાંબી નગરી પધાર્યા. ત્યાં વિદ્યુત્ કુમારોનો ઇન્દ્ર હરિસ્સહ ભગવંતની સુખશાતા પૂછીને ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org