________________
૩૨૪
આગમ કથાનુયોગ-૧
આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર છે. ત્યારે છોડ્યા અને માફી માંગી. પછી સુલક મુનિની શોધ કરી પણ તે ક્યાંય દેખાયા નહીં ત્યારે જાણ્યું કે, આ કોઈ દેવ ઉપસર્ગ કરે છે.
ત્યાંથી ભગવંત મોસલિ ગામે ગયા. બહાર પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યારે સંગમદેવે ફરી લુલકબાળ સાધુનું રૂપ વિકુવ્યું. ખાતર પાડવા લાગ્યો. ત્યાં પણ લોકોએ તેમને પકડ્યો. બાંધીને મારવા લાગ્યા. ત્યાં સુમાગધ નામનો રાષ્ટ્રિક કે જે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે તેમને છોડાવ્યા. પછી તે ભુલકને પકડ્યો. તે નાસી ગયો.
ત્યાંથી ભગવંત તોસલિ ગયા. ત્યાં પણ બહાર પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં પણ સંગમદેવે સુલકબાળસાધુનું રૂપ વિકુવ્યું. સંધિમાર્ગ રાત્રે ચોરી કરવાના રસ્તા શોધવા લાગ્યો. રસ્તો સાફ કરી, ભગવંતની પાસે બધાં જ ખાતર પાડવાના અધિકરણો વિકુર્ચા
ત્યારે લોકોએ તે સુલકને પકડ્યો. પૂછયું, તું અહીં કોને શોધે છે ? મારા ધમાચાર્યને રાત્રે કાંટા વગેરે ન લાગે તે જોઉ છું. કેમકે તે રાત્રે ખાતર પાડવા નીકળે છે. લોકોએ પૂછ્યું, તે ક્યાં છે ? દેવે તેમનું સ્થાન બતાવ્યું. લોકો ત્યાં ગયા. ભગવંત મહાવીરને જોયા. તેમને ચારે તરફથી બાંધ્યા. પકડીને લાવ્યા. તેમને દોરડું બાંધીને લટકાવી દીધા ત્યારે એક દોરડું છેદાઈ ગયું. એ પ્રમાણે સાત વાર લટકાવ્યા. બધી વાર દોરડું છેદાઈ ગયું. ત્યારે તોસલિક ક્ષત્રિયે તેમને જણાવ્યું. આમને છોડી દો. આ ચોર નથી પણ નિર્દોષ છે. તે સુલકને શોધો. દેખાયો નહીં ત્યારે જાણ્યું, આ દેવ ઉપસર્ગ હતો.
ત્યાંથી ભગવંત મહાવીર સિદ્ધાર્થપુર નામના ગામે ગયા. ત્યાં પણ સંગમદેવે એવું કિંઈક કર્યું. જેથી લોકોએ ભગવંતને ચોર માનીને પકડી લીધા. ત્યાં કૌશિક નામે અશ્વવણિક હતો. તેણે ભગવંતને કુંડગ્રામે જોયેલા હતા. તેણે છોડાવ્યા. કોઈ કહે છે કે, ત્યાં કૌશિક નામે અશ્વવણિકે ભગવંતને જોયા. ત્યારે નિર્ગમન વખતે આ અમંગલ થયું તેમ માની તે તલવાર કાઢીને દોડ્યો. શક્રેન્દ્રએ તેની જ ઉપર તલવાર ચલાવી, તે મૃત્યુ પામ્યો.
ત્યાંથી ભગવંત વગામ ગોકુળે ગયા. ત્યાં પણ તે દિવસે છળથી બધી જ ખીરને ઢોળી નાંખી. દીર્ધકાળ સુધી તે દેવે ત્યાં રહીને ઉપસર્ગ કર્યા. ભગવંતે વિચાર્યું. છ માસ આ રીતે ગયા. હવે ભિક્ષાર્થે જવું નહીં. જ્યાં જઈશ ત્યાં આ દેવ અનેષણીય કરી નાંખશે. એ પ્રમાણે ભગવંતે ઉપયોગ મૂકીને જોયું. પછી અડધે ચાલીને પ્રતિમા ધ્યાને રહ્યા.
ત્યારે સંગમદેવે પણ અવધિ વડે વિચારણા કરી કે, શું સ્વામી ભગ્ર પરિણામવાળા થયા છે કે નહીં ? તે વખતે ભગવંત પૂર્વવત્ જ છકાયજીવના હિતનું ધ્યાન કરતા હતા. તેમ જોઈને સંગમદેવને થયું કે, આમને ચલાયમાન કરવા શક્ય નથી. જે આટલા લાંબા છ માસના કાળ સુધી પણ ચલિત ન થયા, તેમને દીર્ધકાળે પણ ચલિત કરવા શક્ય નથી ત્યારે પગે પડીને સંગમદેવ બોલ્યો કે
ખરેખર ! શક્રેન્દ્રએ જે કીધું તે સત્ય જ છે. હું મારા બધા અપરાધની ક્ષમા માંગુ છું. હે ભગવંત! હું ભગ્નપ્રતિજ્ઞ છું અને આપ સમ્યક્ પ્રતિજ્ઞ છો. હવે આપ પારણું કરો. હું કોઈ ઉપસર્ગ કરીશ નહીં
ત્યારે ભગવંત મહાવીરે કહ્યું, ઓ સંગમક ! હું કોઈને આધારે વર્તતો નથી. મારી ઈચ્છા હોય તો વિચારું છું અથવા નથી વિચરતો. પછી બીજે દિવસે તે જ ગામમાં ભિક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org