________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૨૨૧
પણ ઈચ્છતા નથી.
હે નાથ ! હવે તો તમે અમારી સામે જુઓ. અમારા વદનકમળ અને નયનને નિહાળો. એ પ્રમાણે પ્રણય સહિત પહેલા મધુર વચનો વડે પછી કરુણ વચનો બોલતી, વિલાસ કરતી, હાસ્યપૂર્વક બોલતી ઇત્યાદિ અનેક ચેષ્ટાઓને કરતી જ્યારે ભગવંતને કિંચિત્માત્ર પણ ચલાયમાન કરી શકી નહીં. ત્યારે તે દેવાંગનાઓ જે દિશામાંથી પ્રગટ થઈ હતી – આવી હતી, તે જ દિશામાં પાછી ચાલી ગઈ.
આ પ્રમાણે અનેક અનુકૂળ ઉપસર્ગો કર્યા. પછી કહ્યું, હે મહર્ષિ ! હું તમારાથી તુષ્ટ છું. તમે વરદાન માંગો. હું તમને શું આપું? શું આપને સ્વર્ગ જોઈએ છે ? કે પછી શરીર સહિત મોક્ષ જોઈએ છે ? તમે કહો તો હું ત્રણે લોકને તમારા પગમાં પાડી દઉં. ત્રણે લોક તમને સ્વામીપણે સ્વીકાર કરે ?
એ પ્રમાણે ઉપડત મતિ વિજ્ઞાનથી તેઓએ ત્યારે ભગવંત મહાવીરને ઘણાં જ પ્રલોભનો આપ્યા. પછી તેઓએ અવધિજ્ઞાન વડે જાણ્યું કે, ભગવંત તો છ કાયજીવના હિતમાં ધ્યાનમાં નિમગ્ર છે. ત્યારે ભગવંત તો લેશમાત્ર ચલિત થયા નથી. તેમ જાણીને સારી રીતે પ્રતિનિવેશ કરીને ગયા.
(એ પ્રમાણે દેવી દ્વારા કરાયેલ અનુકૂળ ઉપસર્ગ જાણવો)
ત્યાંથી ભગવંતે વાલકાગ્રામ તરફ વિહાર કર્યો. ત્યારે માર્ગમાં સંગમદેવે પ૦૦ ચોરોને વિકુળં. તેઓએ ભગવંતનું આખું શરીર રેતીમય કરી દીધું. બીજી પણ યાતનાઓ આપી. પછી ભગવંત વાલુકાગ્રામે પહોંચ્યા. ભગવંત જ્યાં જ્યાં ભિક્ષા માટે જતા, ત્યાં ત્યાં તે દેવ આહારને અનેષણીય કરી નાખતો અને બીજા પણ કષ્ટો આપતો.
- ત્યાંથી વિહાર કરી ભગવંત સુભૌમ ગયા. ત્યાં પણ ભિક્ષાચર્યાર્થે જતા ભગવંતને વિવિધ ઉપદ્રવ કરતો અને ભગવંતને આહાર ઉપલબ્ધ થતો ન હતો.
ત્યાંથી વિહાર કરી ભગવંત સુક્ષેત્રગ્રામે ગયા. ત્યાં ભગવંત ભિક્ષાર્થે નીકળ્યા. ત્યારે તેમને રસ્તામાં આવરી વિટનું રૂપ ધારણ કરી તે દેવ રસ્તામાં હસવાન્ગાવા, અટ્ટહાસ્યાદિ કરતો. અશિષ્ટ શબ્દો બોલવા લાગ્યો. ભગવંત ત્યાંથી પણ નીકળી ગયા. - ત્યાંથી ભગવંત મલયગ્રામ પધાર્યા. ત્યાં સંગમદેવે પિશાચનું રૂપ વિકુવ્યું. ત્યાં પણ ભગવંતને વિવિધ પ્રકારે કષ્ટ આપવા લાગ્યો. ભગવંતને આહારાદિ ઉપલબ્ધ ન થયા. એ જ રીતે ભગવંત વિહાર કરી હસ્તિશીર્ષ ગ્રામ ગયા. ત્યાં પણ તે દેવે શીવરૂપનું વિકુવ્યું. તેના પુરુષ ચિન્હને સ્તબ્ધ કરવા લાગ્યો. એ રીતે ભગવંતને અપભ્રાજિત કરીને ભિક્ષા પ્રાપ્ત થવા ન દીધી.
ત્યારે ભગવતે વિચાર કર્યો કે, હવે કોઈ ગામમાં જવું જ નથી. કેમકે પેલો દેવ ઘણી જ અપભ્રાજના કરાવે છે. આહાર પણ અનેષણીય કરી દે છે. માટે હવે ગામની બહાર જ રહીશ. પછી ભગવંત એકાંતમાં સ્થિત થયા. ત્યારે શક્રે સંગમનો અપહાસ કર્યો. “કેમ ભગવંતને તું ચલિત ન કરી શક્યોને ?" પછી શક્રેન્દ્ર ત્યાં ભગવંતની સુખ શાતા પૂછી, વંદના કરીને ગયો.
ત્યારપછી ભગવંત વિહાર કરી તોસલિ ગામે ગયા. ત્યાં બહાર જ પ્રતિમા ધ્યાને ૧/૧ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jaindl
international