________________
૩૨૨
આગમ કથાનુયોગ-૧
સ્થિર રહ્યા. ત્યારે સંગમદેવે વિચાર્યું કે, આ ગામમાં જતા નથી. તેની અપભ્રાજના કઈ રીતે કરું ? માટે હમણાં તેમને અહીં જ ઉપસર્ગો કરીશ, ત્યાં તે દેવે બાળ સાધુનું રૂપ વિકવ્યું. લોકોના ઉપકરણ લઈને દોડ્યો. મને મારશો નહીં, મારશો નહીં એમ બૂમો પાડવા લાગ્યો. જ્યારે લોકોએ પૂછયું ત્યારે તે દેવ બોલ્યો કે, મને આચાર્યએ મોકલ્યો છે. તેઓ બહાર ઉદ્યાનમાં રહ્યા છે. ત્યારે લોકોએ ત્યાં જઈ ભગવંતને બાંધ્યા અને મારવા લાગ્યા.
તે વખતે ભૂતિલ નામનો ઇન્દ્રજાલિક ત્યાંથી પસાર થતો હતો. તેણે ભગવંતને કુંડગ્રામમાં જોયેલા. તેણે ભગવંતને છોડાવ્યા અને કહ્યું કે, આ તો સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. લોકોએ તેમને મુક્ત કર્યા અને ક્ષમાયાચના કરી. ત્યારે પેલા બાળ સાધુની શોધ કરતા ક્યાંય દેખાયો નહીં, ત્યારે ખ્યાલ આવ્યો કે, કોઈ દેવ ઉપસર્ગ કરી રહ્યો છે.
ત્યાંથી વિહાર કરી ભગવંત મોસલિગ્રામે ગયા. ત્યાં પણ બહાર જ પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં તે દેવ સંધિમાર્ગ શોધતો, તેની નોંધ કરતો એવો એક બાળ સાધુ વિકુવ્ય. પછી ભગવંત પાસે બધાં જ ઉપકરણો વિકુળં. કોઈએ તે બાળ સાધુને પકડીને પૂછયું કે, તું અહીં કેમ ફરે છે? ત્યારે તેણે કહ્યું કે, મારા ગુરુ રાત્રે ખાતર પાડે છે. ત્યારે લોકો ભગવંતને પકડી લાવ્યા. તે વખતે સુમાગધ નામનો કોઈ માણસ કે જે ભગવંતના પિતાનો મિત્ર હતો. તેણે ભગવંતને છોડાવ્યા.
ત્યાંથી વિહાર કરી ભગવંત તોસલિ ગામે ગયા. ત્યાં પણ તે દેવે ભગવંતને એ જ રીતે કષ્ટ પહોંચાડ્યું. લોકોએ ભગવંતને ચોર માનીને પકડ્યા. ફાંસી આપવા પ્રયત્ન કર્યો. ત્યાં તોસલિના ક્ષત્રિયોયે ભગવંતને છોડાવ્યા. ત્યાંથી ભગવંત સિદ્ધાર્થપુર ગયા. ત્યાં પણ તે દેવે એવી સ્થિતિ નિર્માણ કરી કે, લોકો ભગવંતને ચોર સમજી પકડી ગયા. ત્યાં કૌશિક નામનો ઘોડાનો વેપારી હતો. તેણે કુંડપુરમાં ભગવંતને જોયેલા. તેણે ભગવંતને છોડાવ્યા.
ત્યાંથી ભગવંત વ્રજગ્રામ નામે ગોકુળમાં ગયા. ત્યાં તે દિવસે બધે જ ખીર બનાવાયેલી હતી. સંગમદેવ દ્વારા કરાતા ઉપસર્ગ લાંબા કાળથી ચાલતા હતા. ભગવંતે વિચાર કર્યો કે, તે દેવનો ઉપસર્ગ છ માસથી ચાલે છે. એમ વિચારી છ માસી તપનું પારણું કરવા માટે ભિક્ષાર્થે ગોકુળમાં ગયા. તેવામાં તે દેવે ત્યાં પણ આહારને અનેષણીય કરી દીધો. ભગવંતે જ્ઞાનથી તે જાણ્યું. તુરંત પાછા ફરીને ગામની બહાર આવી પ્રતિમા ધ્યાને સ્થિર થઈ ગયા. તે વખતે સંગમદેવે જ્ઞાનનો ઉપયોગ મુક્યો કે હજી આ મુનિના પરિણામો ભગ્ન થયા છે કે નહીં ત્યારે જાણ્યું કે, પ્રભુ તો અસ્મલિત વિશુદ્ધ પરિણામ વાળા જ છે.
– ૮ – – સંગમ કૃ4 ઉપસર્ગ વિશે – આવ.યૂ.૧–પૃ. ૩૧૧ થી ૩૧૪ કિંચિત્ વિશેષ માહિતી
(ત્યારપછી પ્રભાતે ભગવંત મહાવીરે વાલુકા નામના ગામ પ્રતિ વિહાર કર્યો. ત્યારે સંગમે માર્ગમાં એવો રસ્તો વિકર્થો કે જેની રેતી ભગવંતના પગમાં સખત ખુંચતી હતી. પછી મોટા પર્વતને પણ હલાવી દે તેવો વંટોળીયો વિદુર્યો. વજ જેવા કાંકરા તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org