________________
તીર્થંકર ચરિત્ર–ભમહાવીર—કથા
નહીં. પછી
૧૦. સંગમદેવે હાથણી વિકુર્તી તે હાથણી સુંઢ અને દાંત વડે પ્રભુને વીંધવા અને વિદારવા લાગી. મૂત્ર વડે સીંચવા લાગી. પગ વડે મર્દન કરવા લાગી. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શકી. ત્યારે–
૩૧૭
૧૧. સંગમદેવે પિશાચરૂપ વિક્ર્વ્યુ. તે પિશાચ અગ્નિની જ્વાળાઓથી વિકરાળ બનેલા પોતાના મુખને ફાડી, હાથમાં તલવાર પકડી ભગવંત સામે દોડી આવ્યો. અટ્ટહાસ્ય આદિ ઘોર ઉપસર્ગ કરવા લાગ્યો. તેનાથી પણ પ્રભુ કિંચિત્ માત્ર ક્ષોભિત ન થયા.
૧૨. સંગમદેવે વાઘનું રૂપ વિકુર્વ્યુ. તે વાઘ વજ્ર જેવી દાઢોથી અને ત્રિશૂલ જેવા તીક્ષ્ણ નહોરથી ભગવંતના શરીરને વિદારવા લાગ્યો. તેને ક્ષાર વડે સિંચવા લાગ્યો. તો પણ પ્રભુને ધ્યાનમાં નિશ્ચલ રહેલા જોઈને
૧૩/૧૪. તે દેવે ભગવંતના માતા–પિતા ત્રિશલા દેવી અને સિદ્ધાર્થ રાજાનું રૂપ વિકવ્યું. તેઓ કરુણ વિલાપ કરવા લાગ્યા. હે પુત્ર ! તેં આવી દુષ્કર દીક્ષા શા માટે લીધી? અમે ઘણા દુ:ખી થઈ જ્યાંત્યાં રઝળીએ છીએ. તું અમારી સાર—સંભાળ લે વગેરે—વગેરે પ્રલાપ કરવા લાગ્યા. આવા કરુણા વિલાપથી પણ ભગવંતનું મન લિપ્ત ન થયું ત્યારે (અહીં ૧૩માં ઉપસર્ગ માટે સ્થવીર (સિદ્ધાર્થ રાજા) અને ૧૪માં ઉપસર્ગ માટે સ્થવીરા (ત્રિશલારાણી) એમ જુદું સમજવું)
૧૫. સંગમદેવ એક છાવણી વિકુર્તી. ચારે બાજુથી ઢંકાયેલી હતી. તેમાં રહેલ રસોઈયાએ ભગવંતના બે પગ વચ્ચે અગ્નિ સળગાવ્યો. પગ ઉપર જ પીઠિકા બનાવી રસોઈ બનાવવી શરૂ કરી. પ્રભુના પગ બળવા લાગ્યા. તો પણ એકાગ્ર ધ્યાને રહેલા પ્રભુ ક્ષોભ ન પામ્યા ત્યારે
૧૬. સંગમદેવે એક ચાંડાલ વિકર્યો. તે ચંડાલે પ્રભુની ડોકમાં, બે કાનમાં, બે ભુજામાં ઇત્યાદિ સ્થાને પક્ષીઓના પાંજરા લટકાવ્યા. તે પક્ષીઓ પોતાની ચાંચ વડે પ્રભુને પ્રહાર કરવા લાગ્યા, બટકા ભરવા લાગ્યા. તે ઘા ઉપર મૂત્રાદિ વિસર્જન કરવા લાગ્યા. જેના વડે પ્રભુનું શરીર પાંજરા જેવા છિદ્રોવાળું થઈ ગયું. તો પણ ભગવંત ચલિત ન થયા.
૧૭. સંગમ દેવે પ્રચંડ પવન વિકુર્જ્યો. મેરૂ પર્વત પણ ચલિત થઈ શકે તેવી પ્રચંડ ગતિએ પવનની હતી. તે પવનથી પ્રભુને ઉપાડી, ઉપાડીને નીચે પછાડ્યા, તો પણ ભગવંત ચલિત ન થયા. ત્યારે
૧૮. સંગમદેવે તત્કાલ વંટોળીયો વિષુર્યો. તે વંટોળીયાથી ભગવંતને નંદાવર્તની જેમ ભમાડ્યા. તેનાથી પણ તે દેવ ભગવંતના ધ્યાનની નિશ્ચલતા ખંડિત ન કરી શક્યો. ૧૯. સંગમદેવે કાલચક્રની વિકુર્વણા કરી. તે કાળચક્રને લઈને તે દેવ આકાશમાં ઘણે ઊંચે સુધી ગયો. “હવે તો હું આને મારી જ નાંખુ'' એમ વિચારી વજ્ર જેવા કાળચક્રને ફેંક્યું. તેના વડે મોટામોટા પર્વતનો પણ ચુરો થઈ જાય એવા કાળચક્રથી ભગવંત હાથના અગ્ર નખ સુધી ભૂમિમાં ખૂંચી ગયા. તો પણ ભગવંતને મારી ન શક્યો ત્યારે તેણે વિચાર્યું કે, પ્રતિકૂળ ઉપસર્ગોથી તો હું તેમને ચલિત કરી શક્યો નહીં, તો હવે અનુકૂળ ઉપસર્ગ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org