________________
૩૧૬
આગમ કથાનુયોગ-૧
ક્રોધથી ધમધમતો તે દેવ પ્રભુ પાસે આવ્યો.
તે સંગમ દેવે આવીને ભગવંતને એક જ રાત્રિમાં વીશ મોટા મોટા ઉપસર્ગો કર્યા. તે આ પ્રમાણે–
૧. સૌ પ્રથમ તેણે ભગવંત ઉપર વજ જેવી ધૂળની વૃષ્ટિ કરી, પ્રભુના આંખ, કાન, નાસિકા વગેરે સર્વ દ્વારા પૂરાઈ ગયા અને પ્રભુને ઉચ્છવાસ રહિત કરી દીધા, ત્યાં સુધી ધૂળ વરસાવી. તેનાથી પ્રભુ તલતુષના ત્રીજા ભાગ જેટલા પણ અર્થાત્ લેશમાત્ર પણ ધ્યાનથી ચલિત ન થયા. ત્યારે સંગમ દેવે થાકીને તે ધૂળને ખસેડી દીધી પછી
૨. સંગમ દેવે વજના જેવા કઠોર મુખવાળી કીડીઓ વિફર્વી. તે કીડીઓ પ્રભુને ચારે બાજુથી વળગીને ખાવા લાગી. તે પ્રભુના શરીરના એક છિદ્રમાંથી પ્રવેશ કરી બીજા છિદ્રમાંથી બહાર નીકળવા લાગી. એ રીતે તે કીડીઓએ પ્રભુના શરીરને ચારણી જેવું કરી દીધું. તો પણ પ્રભુ પોતાના ધ્યાનથી લેશમાત્ર ચલિત ન થયા. પછી
૩. સંગમ દેવે વજના જેવા મુખવાળા ડાંસ વિકુળં. તે પ્રભુના શરીરને ખાવા લાગ્યા. તેના એક જ પ્રહાર વડે પ્રભુના શરીરમાંથી લોહી કાઢવા લાગ્યા. તેનાથી પણ ભગવંતને ચલિત ન કરી શક્યો. ત્યારે
૪. સંગમદેવે તીક્ષ્ણ મુખવાળી ધીમેલો વિકર્વી. તે ભગવંતના શરીરને એવી તો સજ્જડ ચોંટીને વિંધવા લાગી કે ભગવંતનું આખું શરીર ધીમેલમય દેખાવા લાગ્યું. જેમ જેમ સંગમ ઉપસર્ગો કરવા લાગ્યો તેમતેમ ભગવંત વિશેષે-વિશેષ ધ્યાન કરતા પોતાના આત્માને ભાવિત કરવા લાગ્યા. ધીમેલના ઉપસર્ગથી પણ પ્રભુ શોભિત ન થયા ત્યારે
૫. સંગમદેવે વીંછીઓ વિફર્ચા. આ વીંછીઓ ભગવંતના શરીરને ભેદવા લાગ્યા, તો પણ ભગવંત ચલાયમાન ન થયા ત્યારે
૬. તે દેવે નોળીયા વિકુળં. તે પોતાની તીક્ષ્ણ દાઢો વડે ભગવંતના શરીરમાંથી માંસના ટુકડા-ટુકડા કરી જુદા પાડવા લાગ્યા. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યા ત્યારે–
૭. સંગમદેવે સાપ વિકવ્ય. આ સર્પો ઉગ્ર વિષવાળા, દાહ જ્વર ઉત્પન્ન કરનારા અને ભયંકર રોષવાળા હતા. આ સર્પો ભગવંતના શરીરને વીંટાઈને જોર-જોરથી પ્રહાર કરવા લાગ્યા તથા દાઢો બેસાડવા લાગ્યા. તો પણ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યા ત્યારે
૮. તે દેવે ઉદરો વિકુર્ચા. તે ઉંદરો ભગવંતને દાંત અને નખથી ખણવા લાગ્યા. ભગવંતના શરીરને બટકા ભરી. ત્યાં પડેલા ઘા ઉપર મૂત્ર કરીને ખાર નાંખવા લાગ્યા. તેનાથી ભગવંતને ભયંકર વેદના થવા લાગી. તો પણ તે દેવ ભગવંતને ધ્યાનથી ચલિત ન કરી શક્યો. ત્યારે
૯. તે દેવે મદોન્મત હાથી વિકર્યો. તે હાથી શુંઢ વડે ભગવંતને ગ્રહણ કરી સાત-આઠ તાડ જેટલી ઊંચાઈ પ્રમાણમાં ભગવંતને આકાશમાં ઉછાળી દંતશૂળ વડે ઝીલી, પછી ભૂમિ ઉપર પછાડી ભગવંતને પ્રહાર કરવા લાગ્યા, પછી પગ વડે પ્રહાર કરવા લાગ્યા. પગથી કચડવા લાગ્યા. તો પણ તે ભગવંતને ધ્યાનથી ચલિત કરી શક્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org