SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ આગમ કથાનુયોગ-૧ ભગવંત મહાવીર સિદ્ધાર્થપુરથી વિહાર કરી વૈશાલીનગરી પધાર્યા. ત્યાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. બાળકોએ તેને પિશાચ માની સ્કૂલના પહોંચાડીને ભગવંતને ઉપસર્ગ કર્યો. ત્યાં સિદ્ધાર્થપુરમાં સિદ્ધાર્થ રાજાનો મિત્ર શંખ નામનો ગણરાજ હતો. તેણે ભગવંતને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત વાણિજ્યગ્રામ પધાર્યા. ત્યારે માર્ગમાં ગંડિકા નામની નદી આવી. ત્યારે ભગવંતે નાવ વડે નદી પાર કરી. ત્યારે નાવિકે ભગવંતને ભાડુ આપવા કહ્યું, ભગવંતે ભાડુ નહીં આપતા તેમને પીડા પહોંચાડવાનું શરૂ કર્યું. તે વખતે (સંયોગવશાતુ) શંખરાજાનો ભાણેજ જેનું ચિત્ર નામ હતું તે દૂતકાર્ય માટે જતા ત્યાં આવ્યો. તેણે ભગવંતને નાવિકના ઉપદ્રવથી છોડાવી, પ્રભુની સ્તુતિ આદિ કર્યા. ત્યાંથી વિહાર કરી વાણિજ્યગ્રામ ગયા. બહારના કોઈ પ્રદેશમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં આનંદ નામનો શ્રાવક હતો. તે હંમેશા છઠ–છઠનો તપ કરતો હતો અને સૂર્યની આતાપના લેતો હતો. તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલું. તેણે જેવા ભગવંત મહાવીરને જોયા કે તુરંત આવીને વંદન કર્યું અને કહ્યું કે, હે પ્રભુ ! આપને ધન્ય છે કે, આપે ઘોર ઉપસર્ગો સહન કર્યા. હવે આપને થોડા જ વખતમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થશે. પછી તેણે પ્રભુની સ્તુતિ આદિ પૂજા કરી. (નોંધ :- ઉપાશક દશામાં વર્ણિત આનંદ શ્રાવક અને આ આનંદ શ્રાવક બને જુદા છે. દશ ઉપાસકમાંના એક એવા આનંદ શ્રાવકને ભગવંતનાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી અવધિજ્ઞાન થયેલું હતું.) ૦ ભગવંતનું દશમું ચાતુર્માસ – શ્રાવસ્તી નગરીમાં – ભગવંત વાણિજ્યગ્રામથી વિહાર કરીને શ્રાવસ્તી નગરી પધાર્યા. ત્યાં તેમણે દશમું ચાતુર્માસ વિવિધ પ્રકારના તપ અને સાધના દ્વારા પૂર્ણ કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત સાનુલખી નામના ગામે પધાર્યા. ત્યાં “ભદ્ર પ્રતિમા” તપ કર્યું. તે આ રીતે – દિવસના પૂર્વ તરફ મુખ રાખીને અને રાત્રે દક્ષિણ તરફ મુખ રાખીને રહેતા, બીજે દિવસે પશ્ચિમ તરફ અને રાત્રે ઉત્તર તરફ મુખ રાખીને રહેતા, એ પ્રમાણે છઠ ભક્તનો તપ કરતા. એ તપ પુરો કર્યા બાદ પારણું કર્યા વિના જ મહાભદ્રપ્રતિમા તપ કર્યો. તે આ રીતે–પહેલે દિવસે પૂર્વ દિશા સન્મુખ અહોરાત્ર રહ્યા. પછી દક્ષિણ, પછી પશ્ચિમ, પછી ઉત્તર એ રીતે ચારે દિશામાં ચાર અહોરાત્ર મુખ રાખીને કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. એ રીતે ચાર ઉપવાસ થયા. એ રીતે ક્રમશઃ મહાભદ્ર તપ પૂરો કર્યો. પછી પારણું કર્યા વિના જ સર્વતોભદ્ર પ્રતિમા તપનો આરંભ કર્યો. ઇશાન આદિ આઠ તથા ઉર્ધ્વ અને અધો દિશા સન્મુખ ધ્યાન કર્યું. તેમાં દશે દિવસ ઉપવાસ કર્યા. એ રીતે ભગવંતે ભદ્રા, મહાભદ્રા અને સર્વતોભદ્રા ત્રણે પ્રતિમાની આરાધના કરી. ત્યાર પછી પ્રભુ આનંદ નામના ગાથાપતિના ઘેર ગયા. ત્યાં તેની બહુલા નામની દાસી ભોજનના વાસણ ધોતી હતી. ટાઢું અન્ન કાઢી નાખતી હતી. તે વખતે ભગવંતને પ્રવેશતા જોઈને તે દાસી બોલી કે, હે ભગવંત! તમને આ અન્ન ઉપયોગી છે ? ભગવંતે હાથ પસાર્યા. તેણીએ પરમ શ્રદ્ધાથી તે અન્ન આપ્યું. ત્યારે પાંચ દિવસો પ્રગટ થયા. ત્યારે આનંદે બડુલાને દાસીપણાથી મુક્ત કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy