SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ આગમ કથાનુયોગ-૧ દેતો હતો. ત્યારે મંખલિપુત્ર ગોશાલકે તે વૈશ્યાયન બાલતપસ્વીને જોયા. ત્યારે ગોશાલક ધીમે-ધીમે ભગવંત પાસેથી ખસીને ધીમે ધીમે વૈશ્યાયનની નજીક ગયો. તેમને જુઓને માથામાં મૂકતો જોઈને કહ્યું, તમે તત્ત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે, જુઓના સજ્જાતર છો ? અથવા તમે સ્ત્રી છો કે પુરુષ? વૈશ્યાયન બાલ તપસ્વીએ ગોશાળાની આ વાતનો આદર ન કર્યો. સ્વીકાર ન કર્યો. પણ મૌન રહ્યો. ગોશાલકે બેત્રણ વખત તે બાલતપસ્વીને આ જ રીતે ફરી–ફરી પ્રશ્ન કર્યો. – ત્યારે તે વૈશ્યાયન ખૂબ જ ક્રોધિત થયો. ક્રોધથી દાંત પીસતો તે આતાપના ભૂમિથી નીચે ઉતર્યો. પછી તૈક્સ સમુદૂઘાત કરી તે સાત-આઠ ડગલા પાછળ ખસ્યો. ગોશાલકને ભસ્મ કરવા તેણે તેજલેશ્યાને પોતાના શરીરથી બહાર કાઢી, ગોશાલક ઉપર તેજલેગ્યા છોડી. તે વખતે મંખલિપુત્ર ગોશાલકની અનુકંપાને માટે અને વૈશ્યાયન બાલ તપસ્વીની તેજોવેશ્યાના ઉષ્ણ તેજનું પ્રતિસંહરણ કરવાને માટે ભગવંતે શીતલ તેજોલેશ્યા (શીતલેશ્યા) બહાર કાઢી ભગવંતની તે શીતલેશ્યા એવી હતી જે જંબૂદ્વીપને અંદરથી પરિવેષ્ટિત કરતી હતી. ભગવંતની આ શીતલેશ્યા વડે વૈશ્યાયન બાલ તપસ્વીની તેજલેશ્યાનો પ્રતિઘાત થઈ ગયો. (જે રીતે પાણી વડે અગ્નિ શમી જાય તે રીતે) શીતલેશ્યા વડે તેજલેશ્યાનું ઉપશમન થઈ ગયું અને ગોશાલકના શરીરને કિંચિત્ માત્ર પણ પીડા કે ક્ષતિ પહોંચી નહીં. - તે વખતે ભગવંતની રુદ્ધિ જોઈને તે વૈશ્યાયને પોતાની ઉણ તેજોલેશ્યા પાછી ખેંચી લીધી અને તેજલેશ્યાની સમેટી લઈ તેણે ભગવંતને કહ્યું, ભગવન્! મેં જાણી લીધું, મેં સમજી લીધું. હું જાણતો ન હતો કે, આ તમારો શિષ્ય છે. હે ભગવંત! આપ મને ક્ષમા કરો. ત્યારે મંખલિપુત્ર ગોશાલકે ભગવંતને પૂછયું, આ જુઓના શય્યાતરે આપને શું કહ્યું ? ભગવંતે ગોશાલકને કહ્યું, તું જ્યારે મારી પાસેથી ખસીને આ બાલતપસ્વી પાસે ગયો. યાવતુ તે ખૂબ જ ક્રોધિત થયો. યાવત્ તેણે તારા ઉપર તેજલેશ્યા છોડી. તે વખતે મેં તારી અનુકંપાથી વૈશ્યાયનની તેજોલેશ્યાનું પ્રતિસંહરણ કરવા માટે મારા શરીરમાંથી શીતલેશ્યા કાઢી યાવત્ તેણે પોતાની તેજલેશ્યા પાછી ખેંચી લીધી. તેથી તેણે કહ્યું, હે ભગવંત ! મેં જાણી લીધું, સારી રીતે સમજી લીધું. ભગવંત પાસેથી આ વાત સાંભળી ગોશાલક ડરી ગયો યાવત્ ભયભીત થઈને ભગવંતને વંદન–નમસ્કાર કરી બોલ્યો, હે ભગવંત ! સંક્ષિપ્ત અને વિપુલ તેજોલેશ્યા કઈ રીતે પ્રાપ્ત થાય ? ભગવંતે તેને સમજાવ્યું કે, ગોશાલક ! જે મનુષ્ય નિરંતર છઠ તપ કરે, છટ્ઠના પારણે નખ સહિત બંધ કરેલી મુઠીમાં જેટલા અડદના બાકુળા આવે તેટલા બાફેલા અડદ અને અંજલિ માત્ર પ્રાસુક પાણી એટલું જ ગ્રહણ કરે. સૂર્ય સામે બંને હાથ ઊંચા રાખી આતાપના લે, તો તે મનુષ્યોને છ માસને અંતે સંક્ષિપ્ત તથા વિપુલ તેજલેશ્યાની પ્રાપ્તિ થાય. આ વાત સાંભળી ગોશાલકે ભગવંતના કથનને વિનયપૂર્વક સમ્યક્ રીતે સ્વીકાર કર્યો. ત્યાર પછી કોઈ વખતે ભગવંત ગોશાલક સાથે વિહાર કરતાં કૂર્મગ્રામનગરથી સિદ્ધાર્થપુર જઈ રહ્યા હતા. તે વખતે ફરીથી પેલા તલના છોડની નજીક આવ્યા. ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy