SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા ૩૧૧ - - નામે એક કણબી હતો. તે આભીરોનો અધિપતિ હતો. તેની બંધુમતિ નામની પત્ની વંધ્યા હતી. તે વખતે તેનાથી નિકટમાં ચોર લોકોએ આવીને ગામ ભાંગ્યું. ઘણાં લોકોને બંદી બનાવ્યા. તે સમયે કોઈ સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેના પતિને મારીને તે સ્ત્રીને બાળક સહિત ચાર લોકો લઈ ગયા. તે સ્ત્રીએ તે બાળકને ત્યજી દીધો. તે બાળકને પે'લા ગોશંખી કણબીએ સ્વરૂપવાનું જાણી ગ્રહણ કર્યો. ઘેર આવી પોતાની પત્નીને પુત્ર રૂપે રાખવા આપ્યો. ગોશંખીએ લોકોમાં એવી વાત જાહેર કરી કે, મારી પત્ની ગૂઢગર્ભા હતી. પછી એક ઘેટાને મારીને તેના લોહીથી બાળકને ખરડીને પોતાની પત્નીને પ્રસૂતારૂપે રાખી. પછી કાળક્રમે તે બાળક યુવાન થયો. તેની માતાને ચોર લોકોએ કોઈ વેશ્યાને વેંચી દીધી. તે વૃદ્ધ વેશ્યાએ તેને પોતાની પુત્રી રૂપે રાખીને તેણીને ગણિકાનો બધો આચાર શીખવ્યો. તેણી પ્રખ્યાત ગણિકા બની ગોશંખીનો તે (પાલક) પુત્ર યુવાન થઈ એક વખત મિત્રોની સાથે ઘીનું ગાડું લઈને ઘી વેચવા માટે ચંપાનગરી ગયો. ત્યાં નગરજનોને ચતુર રમણીઓ સાથે વિલાસ કરતા જોઈ, તે પણ વિલાસ કરવાની ઈચ્છાથી ગણિકાઓના સ્થાનમાં ગયો. તેને ગણિકા રૂપે પોતાની જ માતા ગમી ગઈ. ગણિકાને મૂલ્ય ચૂકવી, રાત્રે સ્નાન–વિલેપનાદિ કરીને તેણીના ઘર તરફ ચાલ્યો. માર્ગે જતા તેનો એક પગ વિષ્ટામાં પડ્યો. પણ (કામના મોહમાં) તેને ખબર ન પડી કે તેનો પગ શેના વડે લેપાયો. તે વખતે તેના અકૃત્યને રોકવા અને પ્રતિબોધ કરવા કુળદેવતાએ માર્ગમાં એક ગાય અને વાછડો વિફર્યો. તે વખતે વાછડાને તેણે પગથી સ્પર્શ કર્યો. તે વખતે વાછડાએ તેની માતા (ગાય)ને મનુષ્ય વાણીમાં પૂછયું, હે માતા ! આ પુરુષ વિષ્ટાવાળા પગે મારા પગને કેમ સ્પર્શે છે. ત્યારે તે ગાયે પણ મનુષ્યભાષામાં જવાબ આપ્યો, હે પુત્ર! તું ખેદ ન કર, આ પુરુષ તેની માતાની સાથે સંભોગ કરવા જઈ રહ્યો છે. આવું અકૃત્ય કરવા જનાર, બીજું કયું અકૃત્ય ન કરે ? આ વાત સાંભળી તેને ચિંતા થઈ. તેણે વિચાર્યું કે, હું ત્યાં જઈને પૂછીશ. ગણિકાગૃહે જઈને તેણે પૂછયું કે, તમારી ઉત્પત્તિ શું છે ? ત્યારે તે (ગણિકા) સ્ત્રીએ (નિર્લજ્જપણે) પૂછયું કે, તારી ઉત્પત્તિ શું છે ? (તું કઈ રીતે પેદા થયો છે ?) પછી તેણે સ્ત્રી ચરિત્ર (વેશ્યા યોગ્ય હાવભાવ) બતાવવા શરૂ કર્યા. ત્યારે તે યુવાને કહ્યું કે, જો તું મને સાચેસાચું જણાવીશ તો હું તને બમણું મૂલ્ય આપીશ. પછી સોગંદ આપ્યા ત્યારે તેણીએ બધું જ યથાસત્ય કહી દીધું. ત્યારે તે યુવાન ત્યાંથી નીકળી ગયો. પોતાને ગામ જઈને માતા-પિતાને પૂછ્યું. ગોશંખી કણબી અને તેની પત્નીએ સાચો ઉત્તર ન આપ્યો. ત્યારે તે ઘર છોડીને જવા તૈયાર થઈ ગયો. ત્યારે ગોશંખી કણબીએ તેને સત્ય વૃત્તાંત કહ્યો, પછી તે પોતાની માતાને છોડાવવા ફરી ચંપાનગરી ગયો. માતાને છોડાવ્યા પછી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો. વિષય–કામભોગની આવી સ્થિતિ છે તેમ વિચારી તેણે પ્રાણાની દીક્ષા ગ્રહણ કરી. (તે વૈશ્યાનો પુત્ર હોવાથી વૈશ્યાયન નામે ઓળખાયો) આ તે તાપસની ઉત્પત્તિ હતી. તે વિચરતો કૂર્મગ્રામ આવીને આતાપના લઈ રહ્યો હતો. સૂર્યના કિરણોના તાપથી તેની જટામાં રહેલી જુઓ ચારે તરફ પડતી હતી. તે તપસ્વી પ્રાણ, ભૂત, જીવ અને સત્વની દયાને માટે વારંવાર પડતી તે જુઓને ઉપાડીને ફરી-ફરી પોતાના મસ્તકની જટામાં રાખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy