SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ આગમ કથાનુયોગ-૧ વડે તેણે બધો પાક લણ્યો. એ પ્રમાણે મારે પણ કર્મરૂપી ઘણો પાક થયો છે અર્થાત્ ઘણાં કર્મો ખપાવવાના બાકી છે. હું પણ આ લવકના દૃષ્ટાંત મુજબ મારા કર્મોની નિર્જરા કરું, ૦ ભગવંતનું નવમું ચાતુર્માસ અનાર્યભૂમિમાં : ભગવંત વિહાર કરી પછી અનાર્યભૂમિમાં ગયા. ત્યાં લાઢ પ્રદેશમાં વજભૂમિ અને શુદ્ધ ભૂમિમાં વિચર્યા (જેથી ઘણાં કર્મો નિર્જરી શકે.) ત્યાં અનાર્ય લોકો તેમની હેલણા કરતા, નિંદા કરતા અને વિવિધ ઉપસર્ગો કરતા હતા. પ્રભુની પાછળ “–છુ' કરી કુતરા દોડાવતા અને કરડાવતા હતા. યોગ્ય વસતિ પણ ન મળતી પરિણામે અનિયત વાસથી, ક્યાંય પણ સ્થિર થયા વિના અનિયત ચોમાસુ કર્યું. ચોમાસા ઉપરાંત પણ બીજા બે માસ ત્યાં રહી અનિત્યજાગરિકા પૂર્વક વિચર્યા. (એ રીતે છ માસ અનાર્ય ભૂમિમાં અનેક કષ્ટો સહેવાપૂર્વક વિચરી પછી આર્યભૂમિમાં પધાર્યા. – પ્રથમ શરદઋતુમાં ભગવંત ત્યાંથી નીકળી સિદ્ધાર્થપુર પધાર્યા. ત્યાંથી પછી કૂર્મગામ તરફ પ્રયાણ કર્યું. શરદઋતુ હતી, વરસાદનો અભાવ હતો. તે વખતે મંખલિપુત્ર ગોશાળા સાથે કૂર્મગ્રામ જતાં માર્ગમાં મધ્યે તલનો એક મોટો છોડ જોવા મળ્યો. જે પત્રપુષ્પથી યુકત હતો. ફૂલ્યોફાલ્યો હોવાથી તે ઘણો જ શોભાયમાન લાગતો હતો. ગોશાલકે તે તલનો છોડ જોઈને ભગવંતને પાસે આવીને વંદન–નમસ્કારપૂર્વક પૂછ્યું કે, હે ભગવંત ! આ તલનો છોડ નિષ્પન્ન થશે કે નહીં થાય? આ સાત તલના પુષ્પ જીવો મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ભગવંતે ઉત્તર આપ્યો કે, હે ગોશાલક ! આ તલનો છોડ અવશ્ય ફળશે અને આ સાતે તલ પુષ્પના જીવો મરીને આ જ તલના વૃક્ષની એક શીંગ (તલફળી)માં સાત તલરૂપે ઉત્પન્ન થશે. આ પ્રમાણે ભગવંત કહેલી એ વાત પર ગોશાલકને શ્રદ્ધા ન થઈ. પ્રતીતિ ન થઈ, રુચિ ન થઈ. એ પ્રમાણે અશ્રદ્ધા, અપ્રતીતિ, અરુચિ કરતો અને ભગવંતના વચનને જુઠું પાડવા, ભગવંતને અસત્યવાદી સાબિત કરવા ધીરે ધીરે ગોશાળો પાછો ખસ્યો. તે તલના છોડ પાસે ગયો. તે તલના છોડને માટી સહિત ઉખેડીને એક તરફ ફેંકી દીધો. તે વખતે નજીકમાં રહેલા વ્યંતરોએ ભગવંતનું વચન મિથ્યા ન થાઓ એમ વિચારી આકાશમાં દિવ્ય વાદળો વિદુર્ગા. તે વાદળો તુરંત જ જોર-જોરથી ગરજવા લાગ્યા. તત્કાળ વિજળી ચમકવા લાગી. રજ અને ધૂળને શાંત કરનારી મંદ-મંદ વર્ષા થવા લાગી. આ દિવ્ય જલવૃષ્ટિથી તલનો છોડ ત્યાં જ જામી ગયો. ત્યાં કોઈ ગાય આવી. તેની ખરીથી તે છોડનું મૂળીયું દબાઈને જમીનમાં પેસી ગયું. તે છોડ ફરીથી ઉગ્યો-પુષ્પિત થઈ ગયો. તે સાત તલના પુષ્પજીવો મરીને પુનઃ તે જ તલના છોડની એક ફળીમાં સાત તલ રૂપે ઉત્પન્ન થઈ ગયા. ત્યાર પછી ભગવંત ગોશાળા સાથે કૂર્મગ્રામ નગરે ગયા. તે સમયે કૂર્મગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામક બાલતપસ્વી નિરંતર છઠ છઠ તપકર્મ કરવા સાથે પોતાના બંને હાથ ઊંચા રાખીને સૂર્યની સામે ઊભો રહી આતાપના ભૂમિમાં આતાપના લઈ રહ્યો હતો. આ બાલતપસ્વી કોણ હતો ? ચંપાનગરીથી રાજગૃહના અંતરાલમાં ગોબરગ્રામ નામ ગામ હતું. ત્યાં ગોશંખી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy