________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૩૦૯.
આ તરફ ભગવંત મહાવીર ત્યાં આવીને શકટમુખ ઉદ્યાન અને નગર મધ્યે કોઈ પ્રદેશમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે દેવેન્દ્ર દેવરાજ શક્ર જન્માભિષેકમાં કરેલા વર્ણન મુજબ પોતાના યાન વિમાનમાં સર્વઋદ્ધિ સાથે આવેલ. તેણે ભગવંતને જમણી તરફથી ત્રણ પ્રદક્ષિણા કરી વંદન અને નમસ્કાર કર્યા. કરીને પછી અંજલિ જોડીને ભગવંતની પર્યાપાસના કરતો ત્યાં રહ્યો. તે વખતે વઝુર શ્રાવક સ્નાન કરીને, આર્ટ પટશાટક ધારણ કરીને, પરિજન સહિત, મહાનું અર્થ–પૂજા સામગ્રી અને હાથમાં વિવિધ પ્રકારના પુષ્પો ગ્રહણ કરીને તે જિનાલયમાં પૂજા કરવા માટે આવ્યો.
દેવેન્દ્ર દેવરાજ શક્રએ તેને ત્યાંથી પસાર થતો જોયો. ત્યારે તેણે કહ્યું, ઓ વગુર! તું આ પ્રત્યક્ષ તીર્થંકરનો મહિમા કરતો નથી. પ્રતિમાપૂજન માટે જઈ રહ્યો છે. આ મહાન્ એવા મહાવીર વર્ધમાન સ્વામી છે. જગતના નાથ અને લોકોના પૂજ્ય એવા ચરમ તીર્થકર છે. ત્યારે વર શ્રાવકે આવીને “મિચ્છામિ દુક્કડમ્' કહી પોતાના અપરાધની ક્ષમા માંગી. ભગવંત મહાવીરનો મહિમા કર્યો. (પછી ભમલિની પૂજા કરી)
ત્યાંથી ભગવંતે ઉન્નાગ નામના સંનિવેશ તરફ વિહાર કર્યો. ત્યાં રસ્તામાં તુરંતના પરણેલા લાંબા લાંબા દાંતવાળા વર–વહુને સપરીવાર આવતા જોઈને ગોશાળાને મજાક સૂઝી વાહ! વિધિરાજ પણ કેવો કુશળ છે કે, જે જ્યાં દૂર પણ વસતું હોય તેને ધ્યાનમાં રાખે છે. જેને જે યોગ્ય હોય તેને તે બીજું મેળવી આપે છે. વિધાતા પણ સરખે સરખી જોડી ઠીક મેળવી આપે છે. તે સાંભળી વર-વહુના પક્ષના માણસોએ તેને ખૂબ માર્યો. મારીને વાંસના જાળામાં ફેંકી દીધો. ત્યાં પડેલો તે અશરણ થઈ ગયો. ભગવંત પસાર થયા ત્યારે (ભગવંતના શરીરમાં રહેલો) સિદ્ધાર્થ વ્યંતર બોલ્યો કે, “તારા કર્યા તું જ ભોગવ." ભગવંત દૂર નીકળી ગયા ત્યારે તેઓ બોલ્યા કે નક્કી આ દેવાર્યનો પીઠિકાવાહક કે છત્રધર લાગે છે. માટે તેને છોડી દો. કોઈ કહે છે કે, ભગવંતને ઊભેલા જોઈને મુસાફરોએ તેને બહાર કાઢ્યો.
ત્યાર પછી ભગવંત ગોભૂમિમાં આવ્યા. ત્યાં માર્ગમાં ગાઢ જંગલ હતું. ગાયો ચરતી હતી. તેથી તે ગોભૂમિ કહેવાતી હતી. ત્યારે ગોશાળાએ ગોવાળોને કહ્યું, અરે ! વજલાઢો ! આ રસ્તો ક્યાં જાય છે ? મ્લેચ્છ કે અનાર્યને વજલાઢ કહેતા હોવાથી તે ગોવાળોએ પૂછ્યું કે, કેમ અમને આવી રીતે બોલાવે છે ? ત્યારે ગોશાલક બોલ્યો કે, સારું હું તમને અસૂરપુત્ર સૌરપુત્ર એમ સારી રીતે (આક્રોશ કરી) બોલાવીશ. ત્યારે તેઓએ ગોશાલકને ખૂબ માર્યો અને બાંધીને વાંસના જાળામાં ફેંકી દીધો. ભગવંતના નિમિત્તે ફરી તેને કોઈએ છોડાવ્યો. ૦ ભગવંતનું આઠમું ચાતુર્માસ–રાજગૃહ નગરીમાં :
ભગવંત ગોભૂમિથી વિહાર કરીને રાજગૃહી પધાર્યા. ત્યાં આઠમું ચોમાસું કર્યું. આ ચોમાસામાં ભગવંતે વિવિધ પ્રકારના અભિગ્રહો સહિત ચૌમાસી–તપ કર્યો. નગરીની બહાર ચોમાસીતપનું પારણું કર્યું. શિયાળાની ઋતુ શરૂ થઈ. પ્રભુએ મનોમન (સ્વમતિથી) એક દૃષ્ટાંત વિચાર્યું, એક ગૃહસ્થને ત્યાં ઘણાં ચોખા પાકયા. ત્યારે તેણે મુસાફરોને કહ્યું, તમને ઇચ્છિત ભોજન કરાવીશ. પણ તમે મને આ પાક લણવામાં મદદ કરો. એ ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org