________________
૩૦૮
આગમ કથાનુયોગ-૧
સ્થિતિ કરીને રહ્યો. ત્યારે ત્યાંનો પૂજારી આવ્યો. ત્યાં ગોશાલકને તે રીતે રહેલો જોઈને, પૂજારીએ વિચાર્યું કે, હું આને રાગદ્વેષવાળો ધાર્મિક નહીં કહું. ગામમાં જઈને તેણે કહ્યું, જુઓ આ કોઈ રાગી લાગે છે. લોકોએ આવીને જોયું. પહેલા તેને માર્યો, પછી બાંધી દીધો. કોઈએ કહ્યું કે, આ પિશાચ ગાંડો ભિક્ષુક લાગે છે. ત્યારે તેને છોડી દીધો.
ત્યાંથી નીકળી ભગવંત મર્દન નામે ગામમાં ગયા. ત્યાં બળદેવના મંદિરના અંદરના ખૂણામાં કાયોત્સર્ગ પ્રતિમાને રહ્યા. ગોશાળી બળદેવ પ્રતિમાના મુખ પાસે સાગારિકમેહન કરીને રહ્યો. ત્યાં પણ પૂર્વવત્ તેણે માર ખાધો. ત્યાં પણ તેને પિશાચ–ગાંડો ભિક્ષુક સમજીને છોડી દીધો.
ત્યાંથી ભગવંત બહુશાલક નામના ગામે ગયા. ત્યાં શાલવન નામના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં શાલાર્યા નામની વ્યંતરી હતી. તેણીએ કટપૂતના વ્યંતરીની માફક પ્રતિમા સ્થિત ભગવંતને ઘણાં ઉપસર્ગો કર્યા, છતાં ધ્યાનસ્થ પ્રભુ લેશમાત્ર ચલિત ન થયા
ત્યારે ઉપશાંત થયેલી તે વ્યંતરીએ પોતાનો અપરાધ ખમાવી પ્રભુનો મહિમા કર્યો. (આવશ્યક ચૂર્ણિકાર કહે છે આ બીજાનો મત છે. ચૂર્ણિકારના મતે) તે વ્યંતરી ભગવંતની પૂજા કરતી હતી. (આવશ્યક નિર્યુક્તિ મુજબ પ્રથમ મત સિદ્ધ થાય છે.)
ત્યાંથી વિહાર કરી ભગવંત લોહાર્ગલા નામની રાજધાનીમાં પધાર્યા. ત્યાં જિતશત્રુ નામે રાજા હતો. તેને પડોશી રાજા સાથે વિરોધ હતો. તે વખતે ભગવંતને (ગોશાળા સાથે) આવતા જોઈને, રાજા જિતશત્રુના ચાર પુરુષોએ તે બંનેને પકડ્યા. તેઓને “કોણ છો ?" એમ પૂછતા ભગવંત મૌન જ રહ્યા. તેમને ચરપુરુષ માની, પકડીને રાજા પાસે લઈ ગયા. ત્યાં ઉત્પલ નિમિત્તક પહેલેથી જ અસ્થિકગ્રામથી આવેલો હતો. તેણે ભગવંત અને ગોશાળાને પકડીને લવાતા જોયા. તેમને જોઈને ઉત્પલ ઊભો થયો, ત્રણ વખત વંદના કરી, પછી બોલ્યો, આ કોઈ ચરપુરુષ નથી. આ તો રાજા સિદ્ધાર્થના પુત્ર શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી એવા ભગવંત છે. એમના શુભ લક્ષણો તો જુઓ. ત્યારે રાજા જિતશત્રએ ભગવંતનો સત્કાર કરી મુક્ત કર્યા
ત્યાંથી ભગવંતે પુરિમતાલ નગર તરફ પ્રસ્થાન કર્યું. નગરની બહાર શકટમુખ નામે ઉદ્યાન હતું. નગરમાં વન્ગર નામનો એક શ્રાવક-શ્રેષ્ઠી હતો. તેને ભદ્રા નામે પત્ની હતી. તેણી વંધ્યા હતી. ઘણાં દેવની માનતા માનીને તેણી થાકી ગઈ હતી. કોઈ વખતે તેઓ શકટમુખ ઉદ્યાનમાં ઉદ્યાનિકામાં ગયા. ત્યાં તેમણે જીર્ણ—શીર્ણ સ્થિતિમાં એક દેવમંદિર જોયું. તેમાં મલ્લિનાથ ભગવંતની પ્રતિમા હતી. તે બંનેએ ભગવંત પ્રતિમાને નમસ્કાર કર્યા. પછી પ્રાર્થના કરી કે, (હે ભગવંત !) જો અમને પુત્ર કે પુત્રી થશે તો અમે આ દેવમંદિરનો (જિનાલયનો) જિર્ણોદ્ધાર કરાવીશું. અમારી ભક્તિથી અમને જરૂર સંતાન થશે. એ પ્રમાણે (માનતા કરી) નમસ્કાર કરી તે દંપતિ ગયા.
ત્યારે ત્યાં નિકટમાં રહેલા વ્યંતર દેવોએ કરેલ પ્રાતિહાર્ય વડે ભદ્રા શ્રાવિકાને ગર્ભ ઉત્પન્ન થયો. જેવું વગુર શ્રેષ્ઠીએ આ જાણ્યું કે, તેણે તુરંત દેવમંદિર (જિનાલય) બનાવવું શરૂ કર્યું. અતિ ભક્તિભાવપૂર્વક ત્રણે સંધ્યા (ભગવંત મલ્લિનાથની) પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે તેઓ શ્રાવક થઈ ગયા. (શ્રાવક ધર્મ પાળવા લાગ્યા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org