________________
તીર્થંકર ચરિત્ર—ભમહાવીર–કથા
લુહાર છ માસથી રોગથી પીડાઈને સાજો થયો હતો. સારા તિથિ-કરણાદિ (મુહૂર્ત) જોઈને તે લોઢું ઘડવાના હથિયાર લઈને પોતાની શાળામાં આવ્યો. ત્યાં ભગવંતને જોઈને અપશુકન થયું જાણી તે ઘણ લઈને ભગવંતને હણવા માટે દોડ્યો. તે વખતે શક્રેન્દ્રએ અવધિજ્ઞાન વડે જેવું જોયું કે, ક્ષણ માત્રમાં તે આવ્યા. તે લુહાર ઉપર તેનું જ ધણ મારીને તે લુહારને મારી નાંખ્યો. શક્ર પણ ભગવંતને વંદન કરીને ગયો.
ત્યારપછી ભગવંત ગ્રામાક નામના સન્નિવેશે પધાર્યા. ત્યાંના ઉદ્યાનમાં બિભેલક નામનો યક્ષ હતો. ભગવંત ત્યાં પ્રતિમા ધ્યાને રહ્યા હતા. તે યક્ષે પ્રભુનો મહિમા કર્યો. ત્યાંથી ભગવંત શાલિશીર્ષ નામના ગામે પધાર્યા. ત્યાં જઈને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. તે વખતે મહા માસ ચાલતો હતો. કડકડતી ઠંડી પડતી હતી. તે વખતે કટપૂતના નામની વ્યંતરીએ ભગવંતને જોયા (ભગવંતના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એક વિજયવતી નામે અણમાનીતી રાણી હતી. તેણી મૃત્યુ બાદ ઘણાં ભવભ્રમણ કરીને કટપૂતના નામે વ્યંતરી થયેલી. પૂર્વભવનો રોષ સંભારી તેણીનો દ્વેષ સળગી ઉઠ્યો.) ભગવંતનું તેજ સહન ન કરી શકતી એવી તે વ્યંતરીએ તાપસીનું રૂપ વિક્ર્વ્યુ. વલ્કલના વસ્ત્રો ધારણ કર્યા. જટામાં હિમ જેવું ઠંડુ પાણી ભર્યું. ભગવંતના શરીર પર તે ઠંડુ પાણી છાંટતા—છાંટતા ભગવંતનું આખું શરીર પાણી વડે ભીનું કરી દીધું.
ત્યારપછી તેણીએ શીતળ વાયુ વિકુર્તીને ભગવંતને યાતના આપવાનું શરૂ કર્યું. તેણીએ જળ અને વાયુ વડે એવો તો શીત ઉપસર્ગ કરેલો કે, જો કોઈ બીજો સાધારણ મનુષ્ય હોત તો ઠંડીથી ઠરીને ઢીમ થઈ ગયો હોત. (આખી રાત્રિ આવો ઉપસર્ગ કરવા છતાં) ભગવંતે તે તીવ્ર વેદના સમભાવે સહન કરી, ધ્યાનથી સહેજ પણ ચલિત ન થયા. તે વખતે ભગવંતને લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પ્રભુને જન્મથી આરંભીને દેવલોક પ્રમાણ અવધિજ્ઞાન હતું. જેના વડે દેવલોક પર્યન્ત જોઈ શકતા હતા. હવે તે સમગ્ર લોકને જોઈ શકે તેટલું વિકસિત અવધિજ્ઞાન પામ્યા. તે વ્યંતરી પણ પરાજિત થઈ પછી ઉપશાંત થઈ પ્રભુની સ્તુતિ કરવા લાગી.
૦ ભગવંતનું છઠ્ઠું ચાતુર્માસ – ભદ્રિકા નગરીમાં :
ત્યારપછી ભગવંત ભદ્રિકા નામની નગરીમાં ગયા. ત્યાં છ ુ ચોમાસુ કર્યું. ગોશાળો પણ છ માસ ભટકીને ત્યાં ભગવંતને આવીને મળ્યો. તેથી તે ચોમાસુ ગોશાળા સાથે થયું. ભગવંતે ચૌમાસી તપ કર્યો. તે સાથે વિવિધ અભિગ્રહો, આસન, ધ્યાનાદિ તપ કર્યાં. વર્ષાવાસ પૂર્ણ થયા બાદ નગરની બહાર જઈને પારણું કર્યું.
૩૦૭
ત્યારપછી ભગવંત મગધ તરફ પ્રયાણ કર્યું. ઋતુબદ્ધ માસમાં (શેષકાળમાં) નિરૂપસર્ગપણે ભગવંત મગધના અનેક ગામોમાં વિચર્યાં.
.
ભગવંતનું સાતમું ચાતુર્માસ – આલંભિકા નગરીમાં :
પછી વર્ષાકાળે આલંભિકા નગરી પધાર્યા. ભગવંત ત્યાં સાતમું ચાતુર્માસ કર્યું. ત્યાં પૂર્વવત્ ચોમાસી તપ કર્યો. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કરીને નગરની બહાર પારણું કર્યું. ત્યાંથી ભગવંત કુંડાક નામના સંનિવેશે પધાર્યા. ત્યાં વાસુદેવ મંદિરના એક ખૂણામાં પ્રભુ કાયોત્સર્ગ પ્રતિમાધ્યાને રહ્યા. ગોશાળો વાસુદેવ પ્રતિમા આગળ પરામુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org