________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૩૦૫
ત્યાર પછી ભગવંત કલબુકા નામના સંનિવેશમાં ગયા. ત્યાં મેઘ અને કાલહસ્તિ નામના બે ભાઈ પર્વતરક્ષકો હતા. કાલાહસ્તિ ચોરનો પીછો કરતા ત્યાંથી નીકળ્યો. માર્ગમાં ભગવંત મહાવીર અને ગોશાળાને જોયા. તેણે પૂછયું, તમે કોણ છો ? ભગવંત મૌન રહ્યા. તેથી કાલહતિએ ભગવંત અને ગોશાળા બંનેને ચોર સમજીને માર માર્યો. તો પણ ભગવંતે મૌન ભંગ ન કર્યો. ત્યારે કાલહસ્તિએ તે બંનેને બાંધીને મોટા ભાઈ મેઘ પાસે મોકલ્યા. મેઘે પહેલા ભગવંતને કુંડગ્રામપુરમાં જોયેલા હોવાથી ભગવંતને ઓળખી ગયો. તુરત જ તેણે ઉઠીને ભગવંતની પૂજા કરી, પોતાના અપરાધ બદલ ક્ષમા માંગી. બંનેને છોડી મૂક્યા.
ત્યાર પછી ભગવંતે વિચાર્યું કે, ઘણાં કર્મની નિર્જરા માટે હું લાઢ પ્રદેશમાં જઉં ત્યાં અનાર્ય પ્રજા છે. ત્યાં હું મારા ઘણાં કર્મોને ખપાવીશ. પછી ભગવંત લાઢપ્રદેશમાં પધાર્યા. ત્યાં તિરસ્કારનિંદા આદિ દ્વારા ઘણાં કર્મો ખપાવ્યા. (આચારાંગ સૂત્ર ૩૦૫ થી ૩૧૬માં ભગવંત લાઢદેશમાં ગયાનું વર્ણન આવે છે. જે આ કથાનકમાં આગળ આપેલ છે. તેના સારાંશ આ પ્રમાણે છે–) ભગવંતે લાઢદેશમાં અનેક તુચ્છ સ્થાન અને કઠિન આસનોનું સેવન કર્યું. અનેક ઉપસર્ગો સહન કર્યા. ત્યાં અનાર્ય લોકો ભગવંતને દંડ આદિથી મારતા, ભોજન પણ પ્રાયઃ લખું–સુકું મળતું હતું, શિકારી કુતરાઓ કરડતા હતા. ત્યાં વિચરણ અતિ દુષ્કર હતું. ભગવંતને ત્યાંના લોકોના કાંટા સમાન તિણ વચનો પણ સહેવા પડતા હતા. એ રીતે ભગવંતે તે લાઢ દેશની અનાર્ય ભૂમિમાં ઘણાં કર્મોની સ્વેચ્છાએ નિર્જરા કરી.
ભગવંત ત્યાંથી વિહાર કરી અનુક્રમે પૂર્ણકળશ નામના અનાર્ય ગામ તરફ જતા હતા. રસ્તામાં બે ચોર મળ્યા કે જેઓ લાઢ પ્રદેશમાં પ્રવેશ કરવા ઇચ્છતા હતા. ભગવંતને જોઈને તેમને થયું કે, આ તો અપશુકન થયા. તેથી ભગવંતનો વધ કરવા માટે હાથમાં તલવાર લઈને ભગવંતનું મસ્તક છેદી નાંખવા દોડ્યા. તે વખતે શક્રએ અવધિજ્ઞાન વડે આ ઘટના જાણી. શક્રેન્દ્રએ તુરંત જ વજ વડે તે બંને ચોરોને મારી નાખ્યા. ૦ ભગવંતનું પાંચમુ ચાતુર્માસ–ભદ્રિકા નગરીમાં :
અનાર્યભૂમિમાં વિચરીને ભગવંત ભદ્રિકાનગરી પધાર્યા. ત્યાં પાંચમુ ચાતુર્માસ કર્યું. ત્યાં ચોમાસી તપ કર્યો. તે સાથે વિવિધ તપકર્મ અને ઉત્કટુક આદિ આસનોએ રહ્યા. ચોમાસી તપનું પારણું કરી ભગવંતે નગરીની બહાર પારણું કર્યું.
ત્યાંથી વિચરણ કરતા ભગવંત કદલી કે કદલીસમાગમ નામના ગામે ગયા. ત્યાં શિયાળામાં પ્રચૂર પ્રમાણમાં દહીં–ભાત વગેરે આપતા હતા. ત્યારે ગોશાળાએ કહ્યું, ચાલો
ત્યાં ભિક્ષાર્થે જઈએ. (ભગવંત વતી) સિદ્ધાર્થે કહ્યું કે, અમારે આજ ઉપવાસ છે. ગોશાલકે ત્યાં પ્રાપ્ત થતા દહીં–ભાતનો આહાર કર્યો. પણ તે તૃપ્ત ન થયો. તેઓએ કહ્યું કે, મોટું વાસણ લઈને આવ. પણ ગોશાલક પાસે તે ન હોવાથી, તેઓએ ગોશાલક પર આહાર ફેંક્યો.
ત્યાર પછી ભગવંત જંબૂકંડ નામના ગામે ગયા. ભગવંત પ્રતિમા ધ્યાને સ્થિત રહ્યા ગોશાલક ભિક્ષાર્થે ગયો. ત્યાં દૂધ–ભાતનું ભોજન મળ્યું. ત્યાં પણ લોકો દ્વારા એ જ રીતે તિરસ્કૃતુ થયો. ૧/૨૦,
Jain Loubetiannternational
For Private & Personal Use Only
www.jainelibrary.org