SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ નિકટમાં રહેલા વ્યંતરોએ “પ્રભુનું માહાત્મ્ય અન્યથા ન થાઓ'' તેમ વિચારી આખા પાડાને (પોળને) બાળી નાંખી. ૩૦૪ ત્યારપછી ભગવંત હલિદુગ (હરિદ્રક) નામના ગામે ગયા. ત્યાં અતિ વિરાટ હરિદ્રકનું વૃક્ષ હતું. શ્રાવસ્તિ નગરીથી નીકળી હલિદુગ ગામમાં જતો જનપદ કે સાર્થનિવેશ ત્યાં વસતો. ભગવંત તે વિરાટ વૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં રાતવાસો કરનારા મુસાફરોએ ઠંડીને લીધે રાત્રે અગ્નિ સળગાવ્યો. ઉઘડતા પ્રભાતે તેઓ અગ્નિ ઓલવ્યા વિના જ નીકળી ગયા. અગ્નિ ફેલાતા—ફેલાતા ભગવંતની નજીક સુધી આવી ગયો. ભગવંતને પરિતાપવા લાગ્યો. ગોશાલકે કહ્યું, ભગવંત ! ભાગો, આ અગ્નિ આવી રહ્યો છે. ભગવંતના પગ બળવા લાગ્યા. ગોશાળો ત્યાંથી નાસી ગયો. પણ ભગવંત ધ્યાનથી વિચલિત ન થયા. ત્યાંથી ભગવંત નંગલા નામના ગામે પધાર્યા. ત્યાં વાસુદેવના મંદિરમાં પ્રભુ પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળો પણ રહ્યો. ત્યાં બાળકો રમતા હતા. ત્યાં કાંદર્ષિક ગોશાળો તે બાળકોને આંખોના વિકારો કરી બીવડાવવા લાગ્યો. ભયભીત બાળકો દોડતા પડવા લાગ્યા, તેમના ઘુંટણો છોલાઈ ગયા. કેટલાંક ખોડંગાતા ચાલવા લાગ્યા. પછી તેમના માતા–પિતાએ ત્યાં આવીને ગોશાળાને ઘણો માર માર્યો. પછી બોલ્યા કે, દેવાર્યનો આ દાસ સખણો રહેતો નથી. ત્યારે બીજાએ અટકાવીને કહ્યું કે, ચાલો, બહુ થયું. દેવાર્યને લીધે તેને માફ કરો. પછી ગોશાળાએ ભગવંતને કહ્યું કે, હું માર ખાઉં છું તો પણ તમે કોઈને રોકતા નથી. (ભગવંતના શરીરમાં રહેલા) સિદ્ધાર્થ વ્યંતરે સમજાવ્યું કે, તું એક સ્થાને સરખો નહીં રહે તો ચોક્કસ માર ખાઈશ. ત્યાંથી સ્વામી આવર્ત્ત નામના ગામે ગયા. ત્યાં પણ ભગવંત બળદેવના મંદિરમાં પ્રતિમાધ્યાને રહ્યા. ત્યાં પણ ગોશાળો મુખને વાંદરા જેવું કરી બાળકોને બીવડાવવા લાગ્યો. ફરી માર ખાધો. તે બાળકો રડતા–રડતા જઈને માત–પિતાને ફરિયાદ કરવા લાગ્યા. તેઓએ ત્યાં જઈને ગોશાલકને માર્યો. પણ તેના ચેનચાળા જોઈને આ તો કોઈ ગાંડો ભિખારી છે એમ સમજી છોડી દીધો. “આને મારવાનો શો અર્થ છે ?'' જવા દો. તેના કરતા તેના સ્વામીને મારો, કે જે આવા શિષ્યને રોકતા નથી. જેવા તે ભગવંતને મારવા ગયા કે બળદેવની મૂર્તિએ જ હળ ઉપાડી તેઓને અટકાવ્યા. ત્યારે આશ્ચર્યથી તેઓ પ્રભુને પગે પડીને ક્ષમા માંગવા લાગ્યા. ત્યાંથી ભગવંત ચોરાક સંનિવેશ પધાર્યા. ત્યાં એક માંડવામાં ઉત્તમ ભોજન રંધાતુ—પકાવાતુ હતુ. ભગવંત તો પ્રતિમા ધ્યાને ઊભા રહી ગયા. ગોશાળો બોલ્યો, ચાલો અહીં ફરીએ. સિદ્ધાર્થવ્યંતરે તેને સમજાવ્યું કે, હમણાં આપણે અહીં જ રહીએ. પણ ગોશાળો ‘ભોજન થવાને કેટલી વાર છે ?'' તેની તપાસ કરવા છુપાઈને લપાતો લપાતો વારંવાર ત્યાં જોવા લાગ્યો. લોકોને લાગ્યું કે નક્કી આ ચોર લાગે છે. તેથી ગોશાળાને પકડી લાવીને ઘણો માર માર્યો. ભગવંત તો પ્રચ્છન્નતયા કાયોત્સર્ગ સ્થિત હતા. ગોશાળો ક્રોધાવેશમાં બોલ્યો કે, મારા સ્વામીનું તપ—તેજ હોય તો આ મંડપ બળી જાઓ. પ્રભુ અનુરાગી વ્યંતરોએ તે બાળી નાખ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy