SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગ-૧ રાત્રિ થઈ. તે મુનિચંદ્ર આચાર્ય ઉપાશ્રયની બહાર જિનકલ્પની તુલના કરતા પ્રતિમા ધ્યાને રહેલા હતા. તે કૂપનક કુંભાર તે દિવસે મદિરા પીને ઉન્મત્ત થઈને વિકાલે આવ્યો. જેવા તેણે મુનિચંદ્ર આચાર્યને જોયા, તેવું તેને લાગ્યું કે, આ ચોર છે. તે કુંભારે આચાર્યને ગળેથી પકડી, તેમને શ્વાસ રહિત કરી દીધા. તો પણ તેઓ શુભ ધ્યાનથી ચલિત ન થયા. (વેદનાને સહન કરતા) તેમને તે જ વખતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, તે વખતે જ તેમનું આયુ પૂર્ણ થતાં દેવલોકે ગયા. ૩૦૨ (ઉક્ત અભિપ્રાય આવશ્યક વૃત્તિનો છે. આવશ્યક ચૂર્ણિ−૧-પૃ. ૨૮૬ ઉપર એવું જણાવેલ છે કે, તે વખતે મુનિચંદ્ર આચાર્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ વખતે આયુનો ક્ષય થતાં સિદ્ધ થયા) ત્યારે ત્યાં આસપાસમાં રહેલા વ્યંતર દેવોએ તેમનો મહિમા કર્યો. તે વખતે ગોશાલકે બહાર ઊભા—ઊભા દેવોને નીચે ઉતરતા અને ઊંચે જતા જોયા. તેનો પ્રકાશ જોઈને ગોશાલકને લાગ્યું કે, આ તેમનું આશ્રયસ્થાન (ઉપાશ્રય) બળી રહ્યો છે. તેણે ભગવંતને કહ્યું કે, જુઓ આપના પ્રત્યેનીકોનો ઉપાશ્રય સળગી રહ્યો છે. ત્યારે સિદ્ધાર્થે સત્ય સમજાવ્યું કે, તેઓનો ઉપાશ્રય નથી બળતો પણ તેઓના આચાર્યને અવધિજ્ઞાન (કેવળજ્ઞાન) ઉત્પન્ન થયું છે તેમનું આયુષ્ય પૂર્ણ થતાં દેવલોકે (મોક્ષે) ગયા છે. તેથી ત્યાં રહેલા વ્યંતર દેવો તેનો મહિમા કરી રહ્યા છે. તેથી ગોશાળાને થયું કે, હું ત્યાં જઉં અને જોઉં. પછી ગોશાલક તે પ્રદેશમાં ગયો. જેવા દેવો મહિમા કરીને પાછા ગયા, ત્યારે ત્યાંની ગંધોદક વર્ષા, પુષ્પવર્ષા જોઈને અધિક હર્ષિત થયો. પછી સુતા એવા સાધુને જગાડીને કહ્યું કે, અરે ! તમે જાણતા નથી. અહીંથી મુંડકા ગયા. આચાર્ય કાળધર્મ પામ્યા તે પણ તમે જાણતા નથી. આખી રાત સુતા રહ્યા. ત્યારે સાધુઓને થયું કે, પિશાચ રાત્રે પણ ચાલે છે. તેથી સાધુ પણ તે વાતથી ઉઠી ગયા. આચાર્ય પાસે ગયા. જેવા તેમને કાલધર્મ પામેલા જોયા કે તેમને અધૃતિ થઈ. અમને ખબર પણ ન પડી કે આચાર્ય એ કાળ કર્યો છે. ગોશાલક પણ તિરસ્કાર કરીને ગયો. ત્યાર પછી ભગવંત ચોરાક સન્નિવેશ ગયા. ગોશાળો પણ સાથે હતો. ત્યાં કોટવાળે ભગવંત તથા ગોશાળાને છૂપી બાતમી લઈ જનારા જાસુસ સમજી કુવામાં ફેંકી દીધા. ફરી પાછા કાઢ્યા. તે વખતે ઉત્પલ નિમિત્તકની બે બહેનો સોમા અને જયંતિ કે જેમણે પાર્શ્વપ્રભુના શાસનમાં દીક્ષા લીધેલી, પણ સંયમ પાલન કરવા સમર્થ ન હોવાથી તેણી બંનેએ પરિવ્રાજકત્વ અંગીકાર કરેલ. તે બંનેએ સાંભળ્યું કે, આ રીતે કોઈ બે જણને કોટવાળે હેડમાં નાંખ્યા છે. તે બંને જાણતી હતી કે, છેલ્લા તીર્થંકરે દીક્ષા લઈ લીધી છે. ત્યાં જઈને ભગવંતને ઓળખ્યા. તુરંત તેમને મુક્ત કરાવ્યા. કોટવાલને કહ્યું, અરે મુર્ખે ! શું તમે મરવાને ઈચ્છો છો. જાણતા નથી આ સિદ્ધાર્થ રાજાના પુત્ર મહાવીર છે. કોટવાલે પણ ભયભીત થઈને ક્ષમાયાચના કરી. . ૦ ભગવંતનું ચોથું ચાતુર્માસ—પૃષ્ઠચંપાનગરીમાં : ત્યાર પછી ભગવંત પૃષ્ઠ ચંપાનગરીએ પધાર્યા. ત્યાં ચોથું ચોમાસું કર્યું. ભગવંતે ત્યાં ચાર મહિનાના ઉપવાસ કર્યા. વિચિત્ર–વિવિધ પ્રકારના તપ, કાયોત્સર્ગાદિ પૂર્વક તપશ્ચર્યા કરી. પૃષ્ઠચંપા નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી ભગવંત કયંગલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy