________________
તીર્થંકર ચરિત્રભ૰મહાવીર—કથા
જન્મ્યો. તેથી તેનું નામ ગોશાલક પડ્યું. આ ગોશાળો મોટો થયો. મંખશિલ્પનો તેણે અભ્યાસ કર્યો. તે એકાકી વિચરતો હતો. તે સમયે તે મંખલિપુત્ર ગોશાલક ચિત્રફલક હાથમાં લઈ મંખપનથી આજીવિકા ચલાવતો, ક્રમશઃ વિચરણ કરતો એક ગામથી બીજે ગામ જતો રાજગૃહ નગરના નાલંદા પાડાના બહારના ભાગમાં જ્યાં તંતુવાય શાળા હતી ત્યાં આવ્યો. તંતુવાય શાળાના એક ભાગમાં પોતાના ભાંડ—ઉપકરણ રાખ્યા. રાજગૃહ નગરમાં ઉચ્ચનીચ અને મધ્યમ કુલમાં ભિક્ષાટન કરતા. તેણે વર્ષાવાસ કરવા બીજું સ્થાન શોધવા ઘણો પ્રયત્ન કર્યો. પણ તેને બીજે કહીં નિવાસસ્થાન ન મળ્યું ત્યારે એ જ તંતુવાય શાળામાં જ્યાં ભગવંત મહાવીર રહેલા હતો, ત્યાં જ એક ભાગમાં રહ્યો. ૦–૦ પ્રથમ માસક્ષમણનું વિજય ગાથાપતિને ત્યાં પારણું
પહેલા માસક્ષમણના પારણા માટે તંતુવાય શાળાથી નીકળી, નાલંદાના બહારના ભાગથી મધ્યભાગમાં થઈને પ્રભુ રાજગૃહીમાં પહોંચ્યા. ત્યાં ઊંચ, નીચ અને મધ્યમ કુળોમાં યાવત્ ભિક્ષાટન કરતા ભગવંતે વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. તે સમયે વિજય ગાથાપતિ ભગવંતને આવતા જોઈ અતિ હર્ષિત અને સંતુષ્ટ થયો. તે જલ્દી પોતાના સિંહાસનથી ઊભો થયો, પાદપીઠ થકી નીચે ઉતર્યો. પછી તેણે પગમાંથી મોજળી કાઢી, એકસાટિક ઉત્તરાસંગ કર્યું. બંને હાથ જોડી સાત—આઠ કદમ પ્રભુની સન્મુખ આવ્યો. પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા કરી વંદન–નમસ્કાર કર્યા.
પછી તે એવો વિચાર કરી અત્યંત સંતુષ્ટ થયો કે, હું આજે ભગવંતને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમરૂપ આહારથી પ્રતિલાભીશ તે વહોરાવતા પણ સંતુષ્ટ થઈ રહ્યો હતો. વહોરાવીને પણ સંતુષ્ટ થયો. તે વિજય ગાથાપતિએ તે દાનમાં દ્રવ્યશુદ્ધિથી, દાયકશુદ્ધિથી અને પાત્રશુદ્ધિને કારણે ત્રણ કરણ અને કૃત, કારિત અને અનુમોદનની શુદ્ધિપૂર્વક ભગવંતને વહોરાવ્યું હોવાથી તેણે દેવાયુનો બંધ કર્યો. સંસાર પરિમિત કર્યો. તે વખતે તેના ઘરે પાંચ દિવ્યો પ્રગટ થયા વસુધારાની વૃષ્ટિ, પંચવર્ણી ફૂલોની વૃષ્ટિ, વસ્ત્રની વૃષ્ટિ, દેવદુંદુભિનો નાદ અને આકાશમાં અહોદાનમ્ અહોદાનમ્ની ઘોષણા.
તે સમયે રાજગૃહ નગરના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, યાવત્ રાજમાર્ગો પર ઘણાં મનુષ્યો પરસ્પર આ પ્રમાણે કહેવા લાગ્યા યાવત્ પ્રરૂપણા કરવા લાગ્યા કે, હે દેવાનુપ્રિયો ! વિજય ગાથાપતિ ધન્ય છે. કૃતાર્થ છે, કૃતપુન્ય છે, કૃતલક્ષણ છે. તેના ઉભયલોક સાર્થક છે. વિજય ગાથાપતિનો મનુષ્ય જન્મ અને જીવનરૂપ ફળ સુલબ્ધ છે કે, જેના ઘરમાં તથારૂપ સૌમ્યરૂપ સાધુને પ્રતિલાભિત કરવાથી આ પાંચ દિવ્યો પ્રગટ થયા છે. ખરેખર વિજય ગાથાપતિ ધન્ય છે. કૃતાર્થ છે યાવત્ તેનો માનવ જન્મ અને જીવન સફળ છે, પ્રશંસનીય છે.
૨૯૭
તે અવસરે મંખલિપુત્ર ગોશાળાએ પણ ઘણાં લોકો પાસે આ વાત સાંભળી અને સમજી. તેના મનમાં પહેલા સંશય અને પછી કુતૂહલ ઉત્પન્ન થયું. તે વિજય ગાથાપતિને ઘેર ગયો. વરસેલી વસુધારા અને પાંચ વર્ણના ફૂલો પણ જોયા. તેણે ભગવંતને પણ વિજય ગાથાપતિના ઘરમાંથી બહાર નીકળતા જોયા. તે હર્ષિત થયો, સંતુષ્ટ થયો. પછી ભગવંતની પાસે આવીને તેણે ત્રણ વખત જમણી તરફથી પ્રદક્ષિણા આપી. વંદન નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org