________________
૨૯૬
આગમ કથાનુયોગ-૧
થઈ ગયા. ત્યાં પુષ્પ નામનો સામુદ્રિક હતો. તેણે આ લક્ષણો જોઈને વિચાર્યું કે, અહીંથી કોઈ ચક્રવર્તી એકલા ગયેલા છે. કેમકે આવા લક્ષણોવાળો ચક્રવર્તી જ હોય. હું જલ્દી જઈને તેને મળે. તે ભવિષ્યમાં મારા કલ્યાણને માટે થશે. તેની કુમારપણામાં જ હું સેવા કરું. ભગવંત પણ કૃણાક સંનિવેશના બહારના માર્ગમાં પ્રતિમા ધ્યાને રહેલા હતા. ત્યાં પહોંચીને ભગવંતને જોઈને તે પુષ્પ સામુદ્રિક આશ્ચર્યચકિત થઈ ગયો. આવા ઉત્તમ લક્ષણવાળા સાધુપણામાં ન હોઈ શકે.
આ સમયે શક્રેન્દ્ર દેવરાજ અવધિજ્ઞાન વડે જોતો હતો કે, ભગવંત અત્યારે કયાં હશે ? ત્યારે ભગવંતને પ્રતિમા સ્થિત જોયા. પુષ્પ સામુદ્રિકને સામુદ્રિક શાસ્ત્ર પર થયેલી અશ્રદ્ધા જાણી. શક્રેન્દ્રએ આવીને ભગવંતને વંદન કર્યું. પછી પુષ્પ સામુદ્રિકને કહ્યું કે, અરે પુષ્પ ! શાસ્ત્ર ખોટું નથી પણ તું લક્ષણને બરાબર સમજ્યો નથી. આ તો અપરિમિત લક્ષણવાળા તીર્થકર છે. ત્યાર પછી શક્રેન્દ્રએ તેના અત્યંતર લક્ષણોનું વર્ણન કર્યું. જેવા કે, ગાયના દૂધ જેવું શ્વેત–ગૌર વર્ણ ભગવંતનું રૂધિર હોય છે ઇત્યાદિ. સામુદ્રિક શાસ્ત્ર ખોટું નથી. આ તો ચાર ગતિનો અંત કરનારા શ્રેષ્ઠ ધર્મચક્રવર્તી થશે. દેવેન્દ્ર અને નરેન્દ્રોથી પૂજિત થશે. ભવ્યજન રૂપી કુમુદને આનંદકારક થશે. ત્યારે પુષ્ય પણ ભગવંતને વંદન કરીને ચાલી નીકળ્યો. ૦ ભગવંતનું બીજું ચાતુર્માસ અને ગોશાળકનો ભેટો થવો :
ભગવંત ધૃણાક સંનિવેશના બાહ્ય ભાગથી વિહાર કરીને રાજગૃહી પધાર્યા. ત્યાં નાલંદા નામના શાખાપુર (ઉપનગર)ની તંતુવાય શાળામાં એક ભાગમાં યથાપ્રતિરૂપ અવગ્રહની અનુજ્ઞા લઈ પહેલું માસક્ષમણ તપ અંગીકાર કરીને રહ્યા. બીજું ચાતુર્માસ ભગવંતે કર્યું.
(ભગવતી સૂત્ર– ૩૯ તે કાળે, તે સમયે હે ગૌતમ! મેં દીક્ષા લઈને પહેલે વર્ષે અર્ધ માસક્ષમણ પંદર પંદર દિવસના ઉપવાસ કરી પહેલું ચોમાસું અસ્થિક ગ્રામ કર્યું. પછી બીજે વર્ષે માસ–માસક્ષમણ કરતો, ક્રમશઃ વિચરતો હું રાજગૃહ નગરીના નાલંદા પાડાની બહાર તંતુવાય શાળામાં આવ્યો. તેના યથા યોગ્ય ભાગમાં અવગ્રહ કરીને ચાતુર્માસ માટે રહ્યો. -૦- ( ગોશાલક સાથેનું સમગ્ર વૃત્તાંત આવશ્યક નિર્યુક્તિ, ચૂર્ણિ, વૃત્તિ અને
ભગવતીસૂત્રમાં આવે છે. મહત્ત્વનો ફર્ક એ છે કે – ૧. આવશ્યકમાં આ વર્ણન ભગવંતના ચરિત્ર–કથારૂપે છે. ૨. ભગવતીજીમાં આ વાત ભગવંત સ્વમુખે ગૌતમને કહે છે. ૩. વર્ણનનું સ્વરૂપ ભગવતીજી અને આવશ્યકમાં ભિન્ન-ભિન્ન રૂપે છે. પણ
પ્રધાન કથાસ્વરૂપ તો સમાન જ છે. –૦- અમે અહીં વર્ણનની પદ્ધતિ આવશ્યક મુજબ લીધી છે. કેમકે સમગ્ર
ભમહાવીર કથાનક અહીં આવશ્યક આધારિત છે. પણ વર્ણનમાં ભગવતી
સૂત્રની વિશેષતા સમાવી લીધી છે. તે કાળે, તે સમયે મંખલિ નામનો એક પંખ અર્થાત્ ચિત્રકળા જાણનાર એક ભિક્ષાચર હતો. તેને સુભદ્રા નામે સ્ત્રી હતી. શરવણ નામના સંનિવેશમાં ઘણી ગાયોવાળા
કોઈ બ્રાહ્મણની ગોશાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપ્યો. તે બાળક ગોશાળામાં Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org