________________
તીર્થંકર ચરિત્ર–ભમહાવીરકથા
ત્યાં આવવું શક્ય નથી. પણ જો તારે જરૂર હોય તો ભોજન માટેના વાસણ, કડછા, વસ્ત્ર, આભરણ, ધૂપ, પુષ્પ, ગંધ, માળા વગેરે વિવાહ ઉપયોગી જે કંઈ સામગ્રી જોઈતી હોય તે લઈ જજે. પછી વરવધૂ માટે ઘણી બધી સામગ્રી આપી. તેના કારણે વિવાહોત્સવ ઘણો શોભી ઉઠ્યો. લોકોએ પણ તેની ખૂબ પ્રશંસા કરી. આથી ખુશ થઈને તે આભીરણે ત્રણ–ત્રણ વર્ષના, બે હ્રષ્ટપુષ્ટ અને મનોહર વાછરડાં તે શ્રાવક યુગલને ભેટ આપવા માટે લાવ્યા. જેનું નામ કંબલ શંબલ હતું. જિનદાસ સાધુદાસી તે લેવા ઇચ્છતા ન હતા. તો પણ તે આભીરયુગલ પરાણે તેમને દ્વારે એ બે બળદને બાંધી ગયા.
૨૯૫
ત્યારે તે જિનદાસ શ્રાવકે વિચાર્યું કે, આ વાછડાંને છોડી મૂકીશ તો લોકો તેમની ખસી કરી ગાડા—હળ વગેરેમાં જોડીને દુઃખી કરશે. માટે ભલે મારે ઘેર જ રહ્યા. તે શ્રાવક બંને બળદોનું પ્રાસુક ઘાસ અને પાણી વડે પોષણ કરવા લાગ્યો. તે શ્રાવક આઠમ—ચૌદશ ઉપવાસ કરતો અને ધાર્મિક પુસ્તકનું વાંચન કરતો હતો. તે બંને બળદ પણ તે સાંભળીને ભદ્રિક પરિણામી થયા. ઉપશાંત, શાંત, સંજ્ઞાવાળા થયા. જે દિવસે શ્રાવક ન જમે (ઉપવાસ કરે તે દિવસે તે બળદો પણ જમતા ન હતા – ઉપવાસ કરતા હતા) ત્યારે તે શ્રાવકને એવો ભાવ થયો કે, આ બળદો ભવ્ય (ભવિજીવ છે) ઉપશાંત છે. હવે તો તે મારા સાધર્મિક બંધુઓ છે. તેને બળદો ઉપર વિશેષ સ્નેહ થયો. તે બંને બળદ પણ ઘણાં રૂપવંત–રમણીય થઈ ગયા.
એક વખત તે શ્રાવકના મિત્રને ભંડી રવણ નામના યક્ષનો યાત્રા–ઉત્સવ આવ્યો. યુવાનો વાહનોની સ્પર્ધા કરતા હતા. તે મિત્ર પાસે તેવા પ્રકારના બળદો ન હતા. તેથી તે જિનદાસને પૂછ્યા વિના જ તે બળદોને ઉત્સવમાં દોડાવવા લઈ ગયો. આ બળદોએ તો જન્મથી ઘોંસરી જોઈ ન હતી. તેને સ્પર્ધામાં દોડાવ્યા ત્યારે તે સુકોમળ બળદના સાંધા તુટી ગયા. તે મિત્રએ તે બળદોને લાવીને જિનદાસના ઘેર પાછા બાંધી દીધા. ભોજન અવસરે જ્યારે તેને ઘાસ અને પાણી આપ્યા ત્યારે તે બળદોએ ન ઘાસ ખાધું ન પાણી પીધું. તે શ્રાવકે બળદોની આ સ્થિતિ જોઈને તેને ભક્ત-પચ્ચક્ખાણ કરાવ્યું. નમસ્કાર મંત્ર સંભળાવ્યો. તે બંને બળદો મૃત્યુ પામીને નાગકુમાર દેવપણે ઉત્પન્ન થયા.
તુરંત ના ઉત્પન્ન થયેલા તે કંબલશંબલ દેવે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો ત્યારે તીર્થંકરને ઉપસર્ગ થતો જાણ્યો. તે બંને દેવે વિચાર્યું કે, બીજું બધું પછી, પહેલા ભગવંતને મુક્ત કરાવીએ તે બંને દેવ તુરંત ભગવંત પાસે આવ્યા. એક દેવે નાવનું રક્ષણ કર્યું. બીજા દેવે સુર્દષ્ટ્ર દેવ સાથે યુદ્ધ કર્યું. આ દેવો મહર્દિક હતા, તુરંતના ઉત્પન્ન થયેલા હતા. જ્યારે સુદંષ્ટ્રનો ચ્યવનકાળ નજીક આવ્યો હતો. તેથી સુદંષ્ટ્ર તે દેવો દ્વારા જલ્દી પરાજિત થયો. ત્યાર પછી કંબલ શંબલ નાગકુમાર દેવે તીર્થંકરનો મહિમા કર્યો. પ્રભુના સત્વ અને રૂપનું ગાન (સ્તુતિ) કરવા લાગ્યા. લોકોએ પણ ભગવંતની સ્તુતિ કરી. પછી ભગવંતે ગંગા પાર કરી. દેવોએ પણ સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી. બંને દેવો પોતાના સ્થાને ગયા.
પછી ભગવંતે નદી કિનારે ઇર્યાપથિકી પ્રતિક્રમણ કર્યું. ત્યાંથી વિહાર કર્યો. તે વખતે જતાં એવા ભગવંતના પગનાં લક્ષણો નદીની નરમ રેતીમાં (પોચા કાદવમાં) અંકિત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org