SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ આગમ કથાનુયોગ-૧ તે સર્પને ચટકા ભરવા લાગી. તે સર્પ એ સર્વ વેદના શુભધ્યાને રહી સમભાવે સહન કરી. એ રીતે પંદર દિવસના અનશન બાદ મૃત્યુ પામીને સહસ્ત્રાર દેવલોકે દેવ થયો. ત્યાર પછી ભગવંત વિહાર કરીને ઉત્તર વાચાલ ગામે ગયા. ૦ ઉત્તર વાચાલ આદિ ગામે વિહાર-સુદંષ્ટ્ર દ્વારા ઉપસર્ગ : ભગવંત મહાવીર ઉત્તર વાચાલ ગામે પધાર્યા. તેમને પંદર ઉપવાસનું પારણું હતું. ત્યાં નાગસેન નામના ગૃહપતિએ ખીર વહોરાવી પ્રતિલાભિત કર્યા. ત્યારે પાંચ દિવ્યો પ્રગટ થયા. જેમકે વસુધારા, અહોદાન-અહોદાનમ્ ઉદ્ઘોષણા ઇત્યાદિ. ત્યાંથી વિહાર કરી ભગવંત શ્વેતાંબી નગરી પધાર્યા. ત્યાં શ્રમણોપાસક એવા પ્રદેશી રાજાએ ભગવંતનો મહાન્ સત્કાર કર્યો. ત્યાંથી સુરભિપુરના માર્ગે ચાલ્યા. ત્યાં માર્ગમાં રાજા પ્રદેશી પાસે જઈ રહેલા પાંચ રથો વડે યુક્ત નૈયક રાજાઓએ ભગવંતને વંદના કરી અને પૂજન કર્યું. ત્યાંથી ભગવંત સુરભિપુર પહોંચ્યા. ત્યારે ગંગા નદીને પાર કરવાની હતી. ત્યાં સિદ્ધયાત્ર નામનો નાવિક હતો, લેમિલ નામનો શકુનજ્ઞાતા હતો. ભગવંત તે નૌકામાં આરૂઢ થયા. નૌકા જેવી વહેતી થઈ, તેટલામાં જમણી બાજુએ કૌશિક નામના ઘુવડનો અપશકુન રૂપ શબ્દ સંભળાયો. તે વખતે ક્ષેમિલ શકનજ્ઞાતાએ કહ્યું કે, આપણે જે પ્રકારના શકુનના શબ્દ સાંભળ્યા છે તેનાથી મારણાંતિક ઉપસર્ગ થશે. પણ આ મહર્ષિના પ્રભાવથી આપણે તે ઉપસર્ગમાંથી મુક્ત થઈશું. પછી તે નૌકા ચાલવા લાગી. એ વખતે સુદંષ્ટ્ર નાગકુમાર દેવે (બીજા મતે નાગકુમારરાજ) ભગવંતને નાવમાં રહેલા જોયા. તેને પૂર્વભવનું વૈર યાદ આવતા ક્રોધ ઉત્પન્ન થયો. તે (વિશાખ નંદીનો જીવ હતો જે મરીને કાળક્રમે) સિંહ થયેલો. જેને ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવંતના જીવે મારી નાંખ્યો હતો. તે જ સંસાર ભ્રમણ કરી હાલ સુદંષ્ટ્ર નામે નાગકુમાર થયો હતો. તેણે સંવર્તક વાયુ વિકુર્યો. જેના વડે તે નાવમાં અગાધ જળ ભરાવા લાગ્યું. કેમકે તે દેવ નાવને ડૂબાડી દેવા ઇચ્છતો હતો. આ તરફ કંબલ–શંબલ દેવનું આસન ચલિત થયું. તે કંબલ–શંબલ નાગકુમાર દેવો ત્યાં આવ્યા. આ કંબલ–શંબલ કોણ હતા? મથુરા નગરીમાં જિનદાસ વણિકુ એક શ્રાવક હતો. તેની પત્ની સાધુદાસી નામે શ્રાવિકા હતી. (આવશ્યક ચૂર્ણિમાં સાધુદાસી નામ છે. આવશ્યક વૃત્તિમાં સોમદાસી નામ છે.) તે બંને જીવ-અજીવ આદિના જ્ઞાતા અને ધર્મ પરિણત પરમ શ્રાવક હતા. તેઓને પાંચમાં પરિગ્રહ પરિમાણ વ્રત અંતર્ગત્ ચતુષ્પદ સંબંધિ પચ્ચક્ખાણ હોવાથી તેઓ ઢોર રાખતા ન હતા. તેઓ રોજ-રોજનું ગોરસ (દહીં-દૂધ) ખરીદતા. એક વખત આભીરણ ગોરસ લઈને આવી. તેણીને સાધુદાસી શ્રાવિકાએ કહ્યું, તારે બીજે ક્યાંય જવું નહીં. તું અહીં આવી ત્યારે હું ગોરસ ખરીદીશ. એ રીતે તેમને મૈત્રી બંધાઈ. આ પણ તેણીને ગંધપુટીવાસણ વગેરે આપતી અને તેમની મિત્રતા દઢ થતી ગઈ. કોઈ વખતે તે આભીરણના ગોપબાળકના વિવાહનો પ્રસંગ આવ્યો. ત્યારે તેણીએ આ બંનેને નિમંત્રણ આપ્યું. જિનદાસ અને સાધુદાસીએ કહ્યું કે, અમે કામમાં છીએ તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy