SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા ૨૯૩ તેથી ત્યાંના ફળ તે તાપસોને આપતો ન હતો. તેઓ ફળ ન મળવાથી જુદી–જુદી દિશામાં ચાલ્યા ગયા. ત્યાં કોઈ ગોવાળ આવે તો તેને પણ ચંડકૌશિક મારવા દોડતો હતો. ત્યાંથી નજીકમાં શ્વેતાંબિકા નામની નગરી હતી. ત્યાંના રાજપુત્રે આવીને તે આશ્રમ–ઉદ્યાનને ભાંગી–તોડીને નષ્ટ કરી દીધો. ગોવાળોએ આ હકીકત ચંડકૌશિકને જણાવી. તે હાથમાં કુહાડી લઈને રોષથી ધમધમતો ગયો. રાજકુમારે તેને આવતા જોઈને પલાયન થઈ ગયા. તે જ્યારે હાથમાં કુહાડી લઈને પાછળ દોડ્યો અને ખાડામાં–કૂવામાં પડી ગયો. તે વખતે કુહાડો સીધો તેના માથામાં વાગતા તેના માથાના બે ટુકડા થઈ ગયા. ત્યાંથી મરીને તે જ વનખંડ-આશ્રમમાં ક્રોધના તીવ અધ્યવસાયથી સર્પ થયો. તે સર્પ લોભથી અને રોષથી તે આશ્રમનું રક્ષણ કરવા લાગ્યો. તે ચંડકૌશિક એક દૃષ્ટિવિષ સર્પ થયો હોવાથી તેણે ઘણાં બધાં તાપસોને બાળીને ભસ્મ કરી દીધાં. જેઓ બચી ગયા તે ભાગી ગયા. ચંડકૌશિક સર્પ ત્રિકાળ સંધ્યાએ ફરીને જે કોઈ પક્ષીને જોતો તેને બાળી નાંખતો. હવે તે વખતે તેણે આશ્રમમાં ભગવંતને કાયોત્સર્ગ ધ્યાને સ્થિર થયેલાં જોયા. પ્રભુને જોઈને તે ક્રોધથી ધમધમવા લાગ્યો. “શું આ મને જાણતો નથી ?" એમ વિચારી સૂર્ય સમક્ષ દૃષ્ટિ કરી, પ્રભુ સન્મુખ દૃષ્ટિ જ્વાલા છોડવા માંડી. પણ પ્રભુને બળતા ન જોઈને બે વખત, ત્રણ વખત એ રીતે દૃષ્ટિ જવાળાઓ છોડી. તો પણ પ્રભુને ધ્યાનમગ્ર જોઈને વધારે ક્રોધિત થયેલો તે સર્પ પ્રભુને ડસવા દોડ્યો. ડસીને સર્પ પાછો ખસી ગયો. “ક્યાંક આ મરીને મારા ઉપર પડે તો એમ વિચારી પાછળ ગયો. પણ પ્રભુને મૃત્યુ પામેલા ન જોઈને ત્રણ-ત્રણ વખત તેણે વંશ માર્યા. પ્રભુને કંઈ ન થયું જાણીને તે રોષથી જોતો ત્યાં રહ્યો. પ્રભુને તે જ્યાં જ્યાં વસ્યો ત્યાં ત્યાં પગમાંથી ગાયના દૂધ જેવી લોહીની ધારા ઝરતી જોઈ. તે વિચારવા લાગ્યો કે, હું જેના સામે દૃષ્ટિ કરું છું તેને બાળીને ભસ્મ કરી નાંખુ છું. મારા એક ડંશથી બલિષ્ઠ માણસો પણ મરણને શરણ થાય છે. જ્યારે આ તો હજી પણ વ્યાકુળતા રહિત સ્થિર ઊભા છે તે વખતે પભુની શાંત મુખમુદ્રા જોઈ તેનાં ક્રોધી નેત્રોમાં શાંતિ પ્રસરી ગઈ. તે વખતે તેને કિંચિંતુ શાંત જોઈને ભગવંતે કહ્યું, હે ચંડકૌશિક ! તું ઉપશાંત થા, ઉપશમ ભાવને ધારણ કર (બોધ પામ–બોધ પામ !) ત્યારે તે ચંડકૌશિકને ઈહા, અપોહ, માર્ગણા, ગવેષણાં કરતા જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે તેણે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી, પોતાના અપરાધનો પશ્ચાત્તાપ કરતા તે સર્પ શુભ ભાવપૂર્વક મનથી જ ભક્ત પ્રત્યાખ્યાન રૂપ અનશન ગ્રહણ કર્યું. જો કે તીર્થકર તો તે જાણે જ છે. ત્યારે તે સર્પ પોતાનું મસ્તક બિલમાં રાખી સ્થિર થઈ ગયો. તેણે વિચાર્યું કે, હવે હું મુખને બહાર કાઢીશ નહીં. જેથી મારા રોષથી કોઈનું મૃત્યુ ન થાય. ભગવંત તેની અનુકંપાને લીધે ત્યાં રહ્યા. તે વખતે ભગવંતને જોઈને ગોવાળના બાળકો ત્યાં આવ્યા. વૃક્ષોની પાછળ પોતાને ગોપવીને તે સર્પ ઉપર પત્થર ફેંકવા લાગ્યા. તે સર્પ પોતાને ગોપવીને રહ્યો પણ લેશમાત્ર ચલિત ન થયો. લાકડા વડે તેને પીડા આપી તો પણ સ્પંદિત ન થયો. ત્યારે લોકોએ આવી, ભગવંતને વંદના કરી, તે સર્પની પૂજા કરવા લાગ્યા. બીજા પણ ઘી વેચનારા આવીને તે સર્પને સ્પર્શવા અને ઘી વગેરે ચોપડવાં લાગ્યા. ઘીની ગંધથી આવેલી કડીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy