________________
૨૯૦
આગમ કથાનુયોગ-૧
– શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં જે હજારો તરંગો અને કલ્લોલોથી વ્યાપ્ત એક મહાસાગરને પોતાની ભૂજા વડે તરી ગયાનું સ્વપ્ન જોઈને જાગ્યા તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે અનાદિ, અનંત, અનવદગ્ર, દીર્ધ માર્ગવાળા ચતુર્ગતિરૂપ સંસાર કાંતારને પાર કરી ગયા.
(ઉત્પલ–ભગવંત! આપ સંસાર સાગર તરી જશો.) (૮) તેજથી પ્રજ્વલિત એક મહાન સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
- શ્રમણ ભગવંત મહાવીર તેજથી પ્રજ્વલિત એક મહાનું સૂર્યને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર અનંત, અનુત્તર, નિરાબાધ, નિરાવરણ, કૃત્મ, પ્રતિપૂર્ણ એવા શ્રેષ્ઠ કેવળજ્ઞાન, કેવળદર્શન ઉત્પન્ન થયા.
(ઉત્પલ–ભગવંત ! હે આપને જલ્દીથી કેવળજ્ઞાન ઉત્પન્ન થશે)
(૯) એક વિશાળ, લીલા વૈડૂર્ય રંગની આભા સમાન, આપના આંતરડા દ્વારા માનુષોત્તર પર્વતને ચારે તરફથી આવેખિત–પરિવેષ્ટિત કરેલો સ્વપ્નમાં જોઈને જાગ્યા.
– શ્રમણ ભગવંત મહાવીર જે ઉક્ત સ્વપ્ન જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરની ઉદાર કીર્તિ, વર્ણ, શબ્દ, બ્લોક અર્થાત્ સ્તુતિ, સન્માન અને યશ દેવ, મનુષ્ય અને અસુર લોકમાં પરિવ્યાસ થયો કે, “નિશ્ચયથી આ જ શ્રમણ ભગવંત મહાવીર છે."
(ઉત્પલ–ભગવંતઆપની નિર્મલ, યશકીર્તિ, પ્રતાપ સારાયે ત્રિભુવનમાં થશે.)
(૧૦) એક મહાનું મેરૂ પર્વતની અંદર ચૂલિકાના ઉપરના સિંહાસન પર પોતાને બેઠેલા સ્વપ્નમાં જોઈને જાગ્યા.
– શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં પોતાને મેરૂ પર્વતની અંદરચૂલિકા ઉપરના સિંહાસનમાં બેઠેલા જોઈને જાગ્યા, તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર દેવ, મનુષ્ય, અસુર યુક્ત પર્ષદામાં કેવલી પ્રજ્ઞપ્ત ધર્મનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદેશ કરે છે.
(ઉત્પલ–ભગવંત ! આપ સિંહાસન પર બિરાજિત થઈને દેવ, મનુષ્ય, અસુરની પર્ષદામાં ધર્મની પ્રજ્ઞાપના કરશો)
– – ત્યારપછી તે ઉત્પલનૈમિતિક ભગવંતને વંદન કરીને ગયો. ત્યાં ભગવંતે અર્ધ–અર્ધ માસક્ષમણ વડે અર્થાત્ પંદર-પંદર ઉપવાસ વડે પ્રથમ ચાતુર્માસ નિર્ગમન કર્યું. અસ્થિક ગ્રામમાં એ પહેલું ચોમાસું ભગવંતે કર્યું. ૦ અસ્થિક ગ્રામથી વિહાર અને અચ્છેદકનો પ્રસંગ :
પછી શરદઋતુમાં ભગવંત અસ્થિક ગ્રામથી વિહાર કરી મોરાક સંનિવેશ ગયા. ત્યાં ભગવંત બહારના ઉદ્યાનમાં રહ્યા. ત્યાં મોરાક સંનિવેશમાં અચ્છેદગા નામના પાખંડીઓ રહેતા હતા. તેમાંને એક અચ્છેદક તે ગામમાં જતો અને કાર્મણ, વશીકરણ, જ્યોતિષ આદિથી પોતાનું ગુજરાન ચલાવતો હતો. સિદ્ધાર્થ વ્યંતર એકલો દુઃખી થઈ ભગવંતનો પૂજા–મહિમાદિ ન થતો જોઈ, તેણે જતા-આવતા ગોવાળોને બોલાવીને તેઓ ક્યાં ગયા હતા, શું જમ્યા વગેરે ભૂત, ભવિષ્ય, વર્તમાન કહેવા લાગ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org