SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા પિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે મોહનીય કર્મને મૂળથી નાશ કર્યો. (ઉત્પલ–ભગવંત! આપ મોહનીય કર્મનો મૂળથી નાશ કરશો.) (૨) એક મોટા શ્વેત ધવલ પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા શ્વેત પાંખોવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરીને વિચરણ કરે છે. (ઉત્પલ–ભગવંતઆપ શુક્લ ધ્યાનમાં રહેશો) (૩) એક મોટા ચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં જે એક ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે આશ્ચર્યકારી, સ્વસમય, પર સમયના વિચારોથી યુક્ત દ્વાદશાંગ ગણિપિટકને કહેશે, પ્રજ્ઞાપના, પ્રરૂપણા, દર્શન, નિદર્શન કરે છે. જેમકે, આચાર, સૂત્રકૃતુ યાવત્ દૃષ્ટિવાદ. | (ઉત્પલ–ભગવંત ! તમે દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો.) (૪) એક મહાનું સર્વ રત્નમય માલાયુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. - શ્રમણ ભગવંત મહાવીર એક મહાનું સર્વ રત્નમય માળા યુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી, જેમકે આગાર ધર્મ અને અણગાર ધર્મ. (આવશ્યક ચૂર્ણિ અને આવશ્યક વૃત્તિમાં અહીં તફાવત પડે છે– ઉત્પલ – હે સ્વામી ! આપે ચોથા સ્વપ્નમાં માળા યુગલ જોયું, તેનું ફળ હું જાણતો નથી. ભગવંતે કહ્યું કે, તે સ્વપ્નનો અર્થ એ છે કે હું સાગારિક અને અનગારિક બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીશ.) (૫) એક મોટા અને શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા. – શ્રમણ ભગવંત મહાવીર એક મહાન્ શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરને ચાર પ્રકારનો સંઘ થયો. તે આ પ્રમાણેશ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. (ઉત્પલ–ભગવંત્ ! આપને શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ થશે. (૬) ચારે તરફ કુસુમિત – ફૂલોથી આચ્છાદિત એવા એક મહાન્ પઘસરોવરને સ્વપ્નમાં જોઈને જાગ્યાં. – શ્રમણ ભગવંત મહાવીર એક વિશાળ પા સરોવરને ચારે તરફથી કુસુમિત થયેલું સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે ભણવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કર્યું. (ઉત્પલ–ભગવંત! ચતુર્વિધ દેવ સમૂહ થશે. (સેવામાં હશે) (૭) હજારો તરંગો અને કલોલથી વ્યાપ્ત એક મહાસાગરને ભૂજાઓ વડે તરી ગયા, એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૧/૧૯] For Private & Personal Use Only Jain T www.jainelibrary.org e nternational
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy