________________
તીર્થંકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
પિશાચને સ્વપ્નમાં પરાજિત કરેલ જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે મોહનીય કર્મને મૂળથી નાશ કર્યો.
(ઉત્પલ–ભગવંત! આપ મોહનીય કર્મનો મૂળથી નાશ કરશો.) (૨) એક મોટા શ્વેત ધવલ પાંખવાળા પુંસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
– શ્રમણ ભગવંત મહાવીર જે એક મોટા શ્વેત પાંખોવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તે સ્વપ્નનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીર શુક્લ ધ્યાનને પ્રાપ્ત કરીને વિચરણ કરે છે.
(ઉત્પલ–ભગવંતઆપ શુક્લ ધ્યાનમાં રહેશો) (૩) એક મોટા ચિત્ર-વિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
– શ્રમણ ભગવંત મહાવીર સ્વપ્નમાં જે એક ચિત્રવિચિત્ર પાંખવાળા પુસ્કોકિલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે આશ્ચર્યકારી, સ્વસમય, પર સમયના વિચારોથી યુક્ત દ્વાદશાંગ ગણિપિટકને કહેશે, પ્રજ્ઞાપના, પ્રરૂપણા, દર્શન, નિદર્શન કરે છે. જેમકે, આચાર, સૂત્રકૃતુ યાવત્ દૃષ્ટિવાદ.
| (ઉત્પલ–ભગવંત ! તમે દ્વાદશાંગીની પ્રરૂપણા કરશો.) (૪) એક મહાનું સર્વ રત્નમય માલાયુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
- શ્રમણ ભગવંત મહાવીર એક મહાનું સર્વ રત્નમય માળા યુગલને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી, જેમકે આગાર ધર્મ અને અણગાર ધર્મ.
(આવશ્યક ચૂર્ણિ અને આવશ્યક વૃત્તિમાં અહીં તફાવત પડે છે–
ઉત્પલ – હે સ્વામી ! આપે ચોથા સ્વપ્નમાં માળા યુગલ જોયું, તેનું ફળ હું જાણતો નથી. ભગવંતે કહ્યું કે, તે સ્વપ્નનો અર્થ એ છે કે હું સાગારિક અને અનગારિક બે પ્રકારના ધર્મની પ્રરૂપણા કરીશ.)
(૫) એક મોટા અને શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા.
– શ્રમણ ભગવંત મહાવીર એક મહાન્ શ્વેત ગાયોના સમૂહને સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરને ચાર પ્રકારનો સંઘ થયો. તે આ પ્રમાણેશ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા.
(ઉત્પલ–ભગવંત્ ! આપને શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘ થશે.
(૬) ચારે તરફ કુસુમિત – ફૂલોથી આચ્છાદિત એવા એક મહાન્ પઘસરોવરને સ્વપ્નમાં જોઈને જાગ્યાં.
– શ્રમણ ભગવંત મહાવીર એક વિશાળ પા સરોવરને ચારે તરફથી કુસુમિત થયેલું સ્વપ્નમાં જોઈને જાગ્યા. તેનું ફળ એ છે કે, શ્રમણ ભગવંત મહાવીરે ભણવાસી, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક એ ચાર પ્રકારના દેવોનું પ્રતિપાદન કર્યું.
(ઉત્પલ–ભગવંત! ચતુર્વિધ દેવ સમૂહ થશે. (સેવામાં હશે)
(૭) હજારો તરંગો અને કલોલથી વ્યાપ્ત એક મહાસાગરને ભૂજાઓ વડે તરી ગયા, એવું સ્વપ્ન જોઈને જાગ્યા. ૧/૧૯]
For Private & Personal Use Only
Jain
T
www.jainelibrary.org
e
nternational