SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ આગમ કથાનુયોગ-૧ થઈને, સમભાવપૂર્વક, ક્ષમા, સહિષ્ણુતા અને સ્થિર ભાવોથી સહન કરે છે. તે આ પ્રમાણે – (આચારાંગ–પ૩૫) – દીક્ષા લીધી તે દિવસે જ વિહાર કર્યો. કર્મારગ્રામ પહોંચ્યા. પ્રથમ રાત્રિએ ગોવાળીયાએ ઉપસર્ગ કર્યો. ત્યાંથી કોલગ સંનિવેશે જઈ પ્રથમ ભિક્ષા લીધી. – પ્રથમ ચાતુર્માસ માટે મોરાગ સંનિવેશમાં દૂઈજ્જતગ આશ્રમે પધાર્યા. ત્યાં તાપસ આદિની અપ્રીતિ જાણી. તે ચોમાસામાં પંદર દિવસ જ રહી નીકળી ગયા. પાંચ અભિગ્રહો ધારણ કર્યા – દૂઈજ્જતગ આશ્રમથી નીકળી પ્રભુ અસ્થિક ગ્રામ પધાર્યા. (આટલી ઘટનાનું વર્ણન આ પૂર્વે થઈ ગયેલ છે.) ૦ અસ્થિક ગ્રામે શૂલપાણી યક્ષનો ઉપદ્રવ : આ અસ્થિક ગ્રામનું નામ પહેલા વર્ધમાનક હતું. ધનદેવ નામનો કોઈ વણિક પાંચસો ગાડા ભરીને જતો હતો. ત્યાં નિકટમાં વેગવતી નામે નદી આવી. નદીના કીચડમાં તે ૫૦૦ ગાડા ખુંચી ગયા. તેમાં એક બળદ ઘણો જોરાવર, ઉત્સાહી અને પાણીદાર હતો. તે બળદને મૂળધુરિ સાથે જોડી દીધો. તેણે બળપૂર્વક તે બધાં ગાડા કીચડમાંથી બહાર ખેંચી દીધા. પણ શક્તિ બહારની તાકાત વાપરવાથી તે બળદના સાંધા તુટી ગયા. તેથી તે બળદ પડી ગયો. તેથી ધનદેવે તે બળદને નજીકમાં રહેલા વર્ધમાન ગામના અગ્રેસરને સોંપ્યો. ઘાસ, પાણી વગેરેની બધી વ્યવસ્થા કરી, ધનદેવ ત્યાંથી નીકળી ગયો. બળદના નિભાવ માટે દ્રવ્ય મળેલ હોવા છતાં વર્ધમાન ગામના અગ્રણી એ બળદની સારસંભાળ ન લીધી તે બળદ ત્યાં જેઠ મહિનાના અતિ ગરમીમાં ભૂખ અને તરસથી પીડાવા લાગ્યો. તે માર્ગેથી વર્ધમાનગ્રામના લોકો ઘાસ–પાણી વગેરેનું વહન કરતા હતા પણ તે બળદને કશું આપતા ન હતા. તેથી તે બળદને સખત ઠેષ ઉત્પન્ન થયો. ભૂખ અને તરસથી પીડાયેલો તે બળદ અકામ નિર્જરાથી મૃત્યુ પામીને તે જ ગામના અગ્રિ ઉદ્યાનમાં શૂલપાણી નામે યક્ષરૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થઈને તેણે બળદનું શરીર જોયું. પૂર્વભવનો સંબંધ જાણી અતિ કૃદ્ધ થયો. તેણે ગામમાં મરકી ફેલાવી. ત્યાં ઘણાં લોકો મરવા લાગ્યા. મરકીનો ઉપદ્રવ ફેલાવાથી એટલાં બધાં લોકો મરવા લાગ્યા કે, કોઈ મડદાં બાળનાર ન મળે. લોકોએ કંઈક કૌતુક–મંગલ કર્યા. તો પણ લોકોના મૃત્યુ બંધ ન થયા. ત્યારે તે ગ્રામજનોને ચિંતા થઈ કે, આપણે જાણતા નથી કે કોઈ દેવ કે દાનવની આપણાથી વિરાધના થઈ છે કે શું ? ત્યારે તેઓએ જઈને નગરદેવતાને વિપુલ અશન, પાન, ખાદિમ–સ્વાદિમ રૂપ બલિ–ઉપહાર કર્યો અર્થાત્ ભેટ ધર્યો. હે દેવતા ! અમને શરણ-શરણ આપોનો પોકાર કર્યો. જો અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરો – એમ કહી ક્ષમાયાચના કરી. ત્યારે આકાશમાં રહેલા તે દેવે કહ્યું, હે દુરાત્મનો ! તમે અનુકંપા વગરના છો. માર્ગમાં જતા-આવતા તમે તે બળદને જોતા હતા તો પણ ઘાસ કે પાણી આપતા ન હતા. તેનું આ ફળ છે. હવે હું તમને છોડીશ નહીં. – ત્યારે ગ્રામજનોએ સ્નાન કરીને, હાથમાં પુષ્પ બલિ લઈને તે યક્ષને કહ્યું, અમે આ કોપ જોયો. હવે અમે તમારી કૃપા ઈચ્છીએ છીએ. ત્યારે દેવે કહ્યું કે, આ લોકોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy