________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૮૫
પ્રભુએ તેને દેવદૂષ્યનો અડધો ભાગ આપ્યો. બીજા અર્ધવસ્ત્રનો ત્યાગ ન કરતા પોતાના ખભે સ્થાપન કર્યું. તે બ્રાહ્મણ તો તે વસ્ત્રના અર્ધ ભાગ મળવાથી પણ ખુશ થઈ ગયો. પ્રભુને વંદન કરી સત્વરે પોતાને ગામ આવ્યો. પછી તે બ્રાહ્મણે તે અર્ધ દેવદૂષ્યના છેડા બંધાવવા એક તૃણનારને બતાવ્યું. કોની પાસેથી કઈ રીતે આ વસ્ત્ર મળ્યું તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણનારે સર્વ વૃત્તાંત સાંભળીને કહ્યું, જો તું આ વસ્ત્રનો બીજો અડધો ટુકડો લઈ આવે તો બંને ટુકડાને એવી રીતે સાંધી આપુ કે, તેમાં જરા પણ સાંધો દેખાય નહીં. પછી તે અખંડ જેવા દેખાતા વસ્ત્રના એક લાખ સોનૈયા ઉપજશે. તે ધનને આપણે અડધું– અડધું વહેંચી દઈશું તો બંનેનું દારિદ્ર દૂર થશે.
ત્યારે તે સોમ બ્રાહ્મણે કહ્યું કે, જ્યારે ભગવંતના ખભેથી પડશે, ત્યારે હું લાવી આપીશ. લક્ષ મૂલ્ય પ્રાપ્ત થશે ત્યારે આપણે બંને અડધો-અડધો ભાગ કરી લઈશું. પછી તે બ્રાહ્મણ અર્ધવસ્ત્ર પડી જાય તો લઈ લઉં એવી આશાએ પ્રભુની પાછળ-પાછળ ભટકવા લાગ્યો. એ રીતે સાધિક એક વર્ષ વીતી ગયું ત્યારે દક્ષિણ વાચાલ સન્નિવેશની નજીકમાં સુવર્ણ વાલુકા નામની નદીને કાંઠે આવ્યા. ત્યાં ચાલતાં-ચાલતાં દેવદૂષ્યનો અડધો ભાગ કાંટામાં ભરાઈ જવાથી પડી ગયો, કોઈ કહે છે કે વસ્ત્ર સરી પડ્યું, ત્યારે તે સોમ બ્રાહ્મણ બીજું અર્ધવસ્ત્ર ગ્રહણ કરીને ચાલતો થયો. રાજા નંદીવર્ધને લાખ મૂલ્ય ચૂકવી ખરીદી લીધું. આ પ્રમાણે એક વર્ષ, એક માસ સુધી પ્રભુ સચેલક રહ્યા, સવસ્ત્ર ધર્મ દેખાડ્યો. પ્રથમ પારણું પાત્ર વડે કરીને સપાત્ર ધર્મ સ્થાપ્યો. પછી પ્રભુ જીવનપર્યત અચેલક અને કરપાત્રી રહ્યા.
આવશ્યક નિર્યુક્તિ ૪૯પની વૃત્તિમાં તથા આવશ્યક ચૂર્ણિમાં એક વિશિષ્ટ નિર્દેશ છે– - જ્યારે ભગવંતનું અર્ધ દેવદુષ્ય કાંટામાં ભરાઈને પડી ગયું ત્યારે પ્રભુએ પાછળ દૃષ્ટિ કરી તે દેવદુષ્ય તરફ જોયું. પ્રભુએ શા કારણથી જોયું હશે ? કોઈ કહે છે પ્રભુએ મમતાથી જોયું. કોઈ કહે છે કે, વસ્ત્ર સાથે સ્થાને પડ્યું કે, અયોગ્ય સ્થાને પડ્યું? તે જોવા માટે પ્રભુએ પાછળ જોયું. કોઈ કહે છે પ્રભુએ સહસાકારે પાછળ જોયું. કોઈ કહે છે કે, “મારા શિષ્યોને વસ્ત્ર–પાત્ર સુલભ થશે કે, દુર્લભ ?” તેનો નિર્ણય કરવા પ્રભુએ જોયું. ૦ ભગવંતના વિહારો અને ઉપસર્ગાદિ ઘટના :
મુખ્ય સંદર્ભ – (૧) આવશ્યક ચૂર્ણિ (૨) આવશ્યક વૃત્તિ (૩) કલ્પસૂત્ર વૃત્તિ (૪) ભગવતી સૂત્ર.
ભગવંત શરીરના મમત્વ અને સંસ્કારનો ત્યાગ કરી વિહાર યાત્રાનો આરંભ કર્યો. અનુત્તર જ્ઞાન યાવત્ અનુત્તર ચારિત્ર, નિર્જન સ્થાન, અનુત્તર શ્રેષ્ઠ વિહાર, શ્રેષ્ઠ પરાક્રમ, શ્રેષ્ઠ સંયમ, ઉપધિરહિતતા, અનુત્તર સંવર, શ્રેષ્ઠ તપ, શ્રેષ્ઠ બ્રહ્મચર્યાવાસ, અનુત્તર એવા ક્ષમા, નિર્લોભતા, સંતોષ, તુષ્ટી, શ્રેષ્ઠ સમિતિ, શ્રેષ્ઠ ગુપ્તિ, અનુત્તર કાયોત્સર્ગ, અનુત્તર કર્મ, મહાપુરુષો દ્વારા સેવિત અને સર્વ દુઃખોથી પરિનિવૃત્તિ રૂપ નિશ્ચિત ફળ વાળો અનુત્તર મુક્તિમાર્ગ એ સર્વેથી યુક્ત એવા શ્રમણ ભગવંત મહાવીર પોતાના આત્માને ભાવિત કરતા વિહાર કરતા હતા. – (આચારાંગ–૫૩૫) - આવા પ્રકારનો વિહાર કરતા દેવકૃત્ – મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તેને અકલુષિત, અડગ, અદીન મનવાળા થઈને મન, વચન, કાયાથી ગુપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org