________________
આગમ કથાનુયોગ-૧
૫. ગૃહસ્થોનો વિનય ન કરવો ત્યાં ભગવંત અર્ધ માસ રહીને ત્યાંથી અસ્થિક ગ્રામ તરફ વિહાર કર્યો. (વર્ષાકાળમાં ફક્ત પંદર દિવસ ત્યાં રહી ચાતુર્માસ દરમિયાન જ વિહાર કર્યો)
(ઉક્ત પાંચ અભિગ્રહની વાત આવશ્યક ચૂર્ણિ ૧–પૃ. ૨૭૧, આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃષ્ઠ. ૨૬૮, આવ.નિયુક્તિ ૪૬૧–હારિભદ્રીય વૃત્તિ, કલ્પસૂત્ર-૧૧૭ પૂર્વેની વૃત્તિમાં પણ છે. આચારાંગ સૂત્ર૨૮૩માં જણાવેલ છે કે, ભગવંત બીજાના પાત્રમાં ભોજન કરતા ન હતા. આ વાતનું સમાધાન આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃષ્ઠ ૨૬૮ ઉપર જણાવે છે કે, ભગવંતે પહેલું પારણું ગૃહસ્થના પાત્રમાં કર્યું. ત્યાર પછી ‘‘મારે કરપાત્રી થવું અર્થાત્ હાથમાં ભોજન કરવું' તેવો અભિગ્રહ કરેલો કલ્પસૂત્ર–૧૧૭માં તો એક વર્ષ, એક માસ પછી કરપાત્રી બન્યા તેમ લખે છે. આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૨૭૧ ઉપર લખે છે કે, “કેટલાંક માને છે કે, પોતાના સાધુ માટે સપાત્રધર્મની પ્રરૂપણા કરવા માટે ભગવંતે પહેલું પારણું પરપાત્ર અર્થાત્ ગૃહસ્થ પાત્રમાં કર્યું. પછી કરપાત્રમાં આહાર કર્યો. ચૂર્ણિકારે એક સાક્ષી પાઠ પણ આપ્યો છે કે, “જ્યારે તંતુવાય શાળામાં ગોશાળાએ કહ્યું કે, હું તમારું ભોજન (ગૌચરી) ગૃહસ્થ પાત્રમાં લાવીશ, ત્યારે પણ ભગવંતે તેની ઈચ્છા ન કરી (અનુમતિ ન આપી)” જુઓ ભગવતી સૂત્ર–૬૩૯. પછી જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું પછી તો “પ્રવચન લાઘવતા'' ન થાય તે માટે ભગવંત જાતે ભિક્ષાર્થે પધારતા ન હતા, લોહાર્ય અણગાર ગૌચરી લાવતા હતા. તેથી જ “ધો તો તોડ્યો'' ધન્ય છે તે લોહાર્યને જેણે ભગવંતને કેવળજ્ઞાન પછી ભિક્ષા લાવીને અર્પણ કરી' એમ કહેવાયું)
૦ ભગવંતનું અચેલકત્વ અને કરપાત્રીપણું :
૨૦૪
(કલ્પસૂત્ર–૧૧૭) શ્રમણ ભગવંત મહાવીર એક વર્ષ ને એક માસ સુધી વસ્ત્રધારી હતા. ત્યાર પછી અચેલક એટલે વસ્ત્રરહિત થયા અને કરપાત્રી અર્થાત્ હાથરૂપી જ
પાત્રવાળા થયા.
આવ.ભા. ૧૦૯ની વૃ,
૦ અર્ચલકત્વ સંબંધિ વૃત્તાંત :~ (સંદર્ભ આવ.ચૂ.૧-પૃ. ૨૬૮, આવ.મ.પૃ.પૃ. ૨૬૬) ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે સ્વાભાવિક ત્રણ ભુવનના ભુષણ સમાન ભગવંત ભૂષણ રહિત થયા અને ઇન્દ્રે દેવદૂષ્ય વસ્ત્ર પ્રભુને ખભે મૂકેલું. એ રીતે દીક્ષા પછી ફક્ત એક દેવદૃષ્ય જ તેમના પાસે હતું. (આવ.યૂ.−) પ્રભુએ કર્માર ગ્રામ તરફ વિહાર કર્યો એટલામાં પિતા સિદ્ધાર્થ રાજાના મિત્ર સોમ નામના બ્રાહ્મણ મળ્યા. (આવ.ચુ., આવ.ભા.૧૦૯–૧.) દીક્ષા ગ્રહણ કરી ત્યારે જ તે હાજર થયો.
જે વખતે પ્રભુએ વાર્ષિકદાન આપ્યું, તે વખતે તેં દરિદ્ર સોમ બ્રાહ્મણ ધન કમાવવા કોઈ સ્થળે ગયેલો. પણ ભાગ્યહીનતાથી કંઈ લાભ પ્રાપ્તિ વિના જ પાછો ફરેલો. દરિદ્રતાથી સંપન્ન તેની સ્ત્રી તેને કહેવા લાગી. અરે ! નિર્ભાગ્ય શિરોમણી ! વર્ધમાનકુમારે જ્યારે સુવર્ણનો વરસાદ વરસાવ્યો ત્યારે ક્યાં હતા ? હજી જાઓ. વર્ધમાન તો દયાળુ અને દાનવીર છે. જલ્દી તેમની પાસે જાઓ. જેથી આ દારિદ્ર દૂર થાય. પોતાની સ્ત્રીનાં આવા વચનથી પ્રેરાયેલો તો બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યો અને દીનમુખે વિનંતી કરી કે, હે સ્વામી ! આપે તો સર્વત્ર સુવર્ણની ધારા વરસાવી, પણ આપે મને કંઈ ન આપ્યું. માટે હે કૃપાનિધિ ! મને કંઈક આપો.
તે બ્રાહ્મણની દરિદ્ર દશા અને કાકલુદી સભર વિનંતી અને યાચનાને લીધે કરુણાર્ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org