SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થકર ચરિત્ર–ભ-મહાવીર–કથા ૨૮૩ ઊંચી વસુધારાની વૃષ્ટિ થઈ. (આવશ્યક નિર્યુક્તિ ૩૧૯ થી ૩૨૩, ૩૨૫, ૩ર૯ થી ૩૩૪માં જિનેશ્વરોને પ્રાપ્ત પ્રથમ ભિક્ષા સંબંધિ વર્ણન-વિસ્તાર પણ સુંદર છે. તે આ પ્રમાણે) ભમહાવીરને દીક્ષાના બીજે જ દિવસે પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થઈ. અમૃતના રસ સંદેશ. પરમાત્ર (ખીર) વડે પારણું થયું. તે વખતે દેવોએ આકાશ મધ્યે “અહોદાનમ્—અહોદાનમ્' અર્થાત્ તમે સુપાત્રદાન કર્યું. એવી ઉદ્દઘોષણા થઈ. દિવ્ય વાજિંત્રનો નાદ થયો. દેવો વસુધારા અર્થાત્ સુવર્ણદ્રવ્યની વૃષ્ટિ કરી. પ્રથમ ભિક્ષા કોલથગ્રામ (કોલાચગામ)ના બહુલે આપી. ભક્તિ, બહુમાન અને શુભ લેશ્યાયુક્ત એવા પ્રથમ ભિક્ષાદાતાએ અંજલિપુટ કરીને, તે વખતે પ્રકૃષ્ટ હર્ષિત ચિત્તવાળા થઈને જિનવરેન્દ્રને પ્રતિલાળ્યા. પ્રત્યેક જિનેશ્વરને જ્યાં પણ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત થાય ત્યાં વસુધારા અને પુષ્પની વૃષ્ટિ થાય છે. આ વસુધારા ઉત્કૃષ્ટથી સાડા બાર કરોડ અને જઘન્યથી સાડા બાર લાખની હોય છે. સર્વે પણ જિનેશ્વરને જેણે પ્રથમ ભિક્ષાદાન કર્યું હોય. તેઓના રાગ-દ્વેષ પાતળા પડે છે (મંદ થાય છે) ઉત્તમ–દિવ્ય પરાક્રમી થાય છે. તે ભિક્ષાદાતામાં કોઈ સર્વ કર્મોથી મુક્ત થઈને તે જ ભવે નિવૃત્ત થાય છે. કોઈ ત્રણ ભવમાં સિદ્ધિ પામે છે અર્થાત્ મોક્ષે જાય છે. (આવશ્યક ચૂર્ણિ–૧–પૃ. ર૭૦માં બહુલને બદલે “બલબ્રાહ્મણે” ભિક્ષાદાન કર્યાનો ઉલ્લેખ છે.) ૦ ભગવંતનો પ્રથમ મુખ્ય વિહાર અને પાંચ અભિગ્રહો – કોલાગ સંનિવેશથી વિચરતા–વિચરતા પ્રભુ મોરાક સંનિવેશમાં દૂઇજ્જત જાતિના તાપસીના આશ્રમમાં (આવ.સ્. ઈજ્જત નામના પાખંડી ગૃહસ્થના આવાસમાં) પધાર્યા. ત્યાંનો કુલપતિ ભગવંતના પિતા સિદ્ધાર્થ રાજાનો મિત્ર હતો. તેથી તે ભગવંતના સ્વાગત માટે આવ્યો. ભગવંતે પણ પૂર્વના અભ્યાસથી સામે હાથ ફેલાવ્યા. તેણે કહ્યું, હે કુમારપર ! આપનું જ ઘર છે. અહીં રહો. ત્યારે પ્રભુ તેની પ્રાર્થનાથી એક રાત્રિ ત્યાં રહ્યા. સવારે વિહાર કરવા તૈયાર થયેલા પ્રભુને કુલપતિએ વિનંતિ કરી કે, આપ આ એકાંત સ્થાનમાં વર્ષાવાસ–ચોમાસુ કરો, અહીં પધારી અમારા પર અનુગ્રહ કરો. ત્યારે પ્રભુએ શેષકાળમાં ભિન્ન ભિન્ન સ્થળે વિચરણ કરીને વર્ષાવાસ માટે ફરી તે જ દુઈજ્જતગ ગામ (–આશ્રમ)માં પધાર્યા. ત્યાં કુલપતિએ આપેલી એક ઝૂંપડીમાં રહ્યા. ત્યાં જંગલમાં ઘાસ ન હોવાથી ભૂખી થયેલી ગાયો જીર્ણ ઘાસ ખાવા માટે ત્યાં પર્ણકુટિઓમાં આવતી હતી. તાપસો લાકડી મારીને તે ગાયોને હાંકી કાઢતા હતા. પ્રતિમા સ્થિત પ્રભુએ ઘાસ ખાતી ગાયોને રોકી નહીં. ત્યારે તે તાપસોએ કુલપતિને ફરિયાદ કરી. કુલપતિએ ત્યાં આવીને કહ્યું કે, હે કુમારવર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરે છે. તમે તો રાજપુત્ર છો, છતાં શું પોતાના આશ્રયનું રક્ષણ કરવા અસમર્થ છો? સમભાવ મગ્ર પ્રભુએ વિચાર્યું કે, મારા અહીં રહેવાથી આ તાપસોને અપ્રીતિ થશે. તેથી મારે અહીં રહેવું યોગ્ય નથી. એમ વિચારી પ્રભુએ આ પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા. ૧. અપ્રીતિ થાય તે વસતિમાં રહેવું નહીં. ૨. નિત્ય કાયા વોસિરાવીને (પ્રતિમા સ્થિત) - રહેવું. ૩. (છઘસ્થાવસ્થા સુધી) મૌન પાળવું. ૪. હાથમાં જ આહાર કરવો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy