SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ આગમ કથાનુયોગ-૧ લાગ્યો કે, મારા બળદો ક્યાં છે ? પણ પ્રતિમાધારી પ્રભુ કંઈપણ બોલ્યા નહીં ત્યારે ગોવાળે વિચાર્યું કે, આ બળદના સંબંધમાં કંઈ જાણતા નથી. તે ગોવાળ આખી રાત્રિ જંગલમાં બળદની શોધમાં ભટક્યો પણ બળદની કંઈ ભાળ મળી નહીં. બળદો આખી રાત ચરીને ફરતા ફરતા પાછા પ્રભુની પાસે પોતાની મેળે જ આવ્યા અને સ્વસ્થ ચિત્તે ત્યાં વાગોળતા વાગોળતા બેઠા. પેલો ગોવાળ પણ ભટકી–ભટકીને ત્યાં આવ્યો અને બળદને બેઠેલા જોઈને વિચાર્યું કે, અરે ! આને ખબર હતી, તો પણ મને ફોગટ આખી રાત ભટકાવ્યો. એમ વિચારી ક્રોધથી બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દોડ્યો. એ જ વખતે શક્રેન્દ્રને વિચાર થયો કે પ્રભુ પ્રથમ દિવસે શું કરે છે તે જોઉં. અવધિજ્ઞાન વડે જોયું, ત્યાં પ્રભુને મારવા આવેલા ગોવાળને જોયો. ઇન્દ્ર તુરંત ગોવાળને થંભાવી દીધો. પછી ત્યાં આવીને ગોવાળને ધમકાવ્યો. હું જાણતો નથી કે આ સિદ્ધાર્થ રાજાના પુત્ર છે. તે સાધુ થયા છે. ત્યાં સિદ્ધાર્થ વ્યંતર પણ આવ્યો. પછી ઇન્દ્રએ ભગવંતને વંદન કરી વિનંતી કરી કે, હે ભગવન્! આપને બાર વર્ષ સુધી ઘણાં ઉપસર્ગો થવાના છે. જો આપ અનુજ્ઞા આપો તો ત્યાં સુધી હું આપની પાસે સેવા કરવા રહું. પ્રભુ કાયોત્સર્ગ પારીને બોલ્યા કે, હે દેવેન્દ્ર ! એવું કદાપિ થયું નથી, થતું નથી અને થશે પણ નહીં કે, કોઈ પણ દેવેન્દ્ર કે અસુરેન્દ્રની સહાયથી તીર્થકરો કેવળજ્ઞાન ઉત્પન્ન કરે અને સિદ્ધિ પદને પામે. તીર્થકરો કદાપિ પર સહાયની અપેક્ષા રાખતા નથી. તેઓ પોતાના જ પુરુષાર્થ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમથી કેવળજ્ઞાન પામે છે અને મોક્ષે જાય છે. પ્રભુના આવાં વચન સાંભળીને ઇન્દ્રએ પ્રભુ સાથે રહેવાનો વિચાર બંધ રાખવો પડ્યો. પ્રભુને મરણાંત ઉપસર્ગ થાય તે અટકાવવા માટે બાળતપસ્યાથી બંતર બનેલા પ્રભુના માસીના પુત્ર સિદ્ધાર્થ વ્યંતરને પ્રભુની પાસે રાખી ઇન્દ્ર પાછો ફર્યો. ૦ ભગવંતને પ્રથમ ભિક્ષા : ભગવંતે દીક્ષા ગ્રહણ કરી ત્યારે છઠનો તપ હતો. દીક્ષાના બીજે દિવસે તેને પારણાર્થે ભિક્ષા માટે જવાનું હતું. ભગવંત કર્મારગ્રામથી વિહાર કરતા કોલાગ સંનિવેશમાં પધાર્યા. ત્યાં બહુલ નામનો બ્રાહ્મણ રહેતો હતો. ભગવંતે ભિક્ષાર્થે તેના ઘરમાં પ્રવેશ કર્યો. તે વખતે બહુલ બ્રાહ્મણે અમૃતના રસ જેવી, ઘી વગેરેથી યુક્ત ખીર (પરમાન્ન) વહોરાવી પ્રતિલાભિત કર્યા. દીક્ષાને બીજે દિવસે પ્રભુને પારણું થયું. (આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૧૬૮/૧ તથા કલ્પસૂત્ર–વૃત્તિ મુજબ ગૃહસ્થના પાત્રમાં પારણું કરેલું) બહુલ બ્રાહ્મણ ભિક્ષા વહોરાવી ત્યારે પંચ દિવ્યો પ્રગટ થયા. વસ્ત્રની વૃષ્ટિ, સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, દેવદૂદમિનો નાદ, આકાશમાં દેવો દ્વારા કરાયેલ “અહોદાનમ્ અહોદાનમ્' ઉદ્ઘોષણા અને સાડા બાર કરોડ સુવર્ણની વૃષ્ટિ એ પાંચ દિવ્યો પ્રગટ થયા. (સમવાયાંગ સૂત્ર–૨૯૨ થી ૨૯૬માં પણ જણાવે છે કે, તે કાળે, તે સમયે વિશુદ્ધ લેશ્યાવાળા અને (મહાવીર) જિનેશ્વરની ભક્તિને માટે અંજલિપુટ–અંજલિ કરીને જિનવરેન્દ્ર (મહાવીર)ને, દીક્ષાને બીજે જ દિવસે બહુલ (નામના ગૃહસ્થ) પરમાત્ર વહોરાવી પ્રથમ ભિક્ષાદાન કર્યું. જિનેશ્વરે જ્યાં પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી ત્યાં શરીર પ્રમાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy