________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૮૧
દીક્ષિત થયા. તેમ ભમહાવીર સાથે અન્ય કોઈ સહ દીક્ષિત ન હતા. ભ૦મહાવીર એકલા જ કેશલોચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિ નિગ્રહરૂપ ભાવથી મુંડ થઈને ગૃહવાસ થકી નીકળી અનગારપણાને એટલે કે, સાધુપણાને પામ્યા. ત્યાર પછી ઇન્દ્રાદિક દેવો પ્રભુને વંદન કરી, નંદીશ્વર હીપે મહોત્સવ કરી પોતપોતાના સ્થાને ગયા. ૦ ભગવંતે કરેલ અભિગ્રહ અને પ્રથમ વિહાર :
શ્રમણ ભગવંત મહાવીરે પ્રવજિત થયા બાદ પોતાના નિકટવર્તી સર્વે સ્વજનોની, કુંડપુર નગરથી બહારના જ્ઞાતખંડ વન–ઉદ્યાનથી વિહાર કરવા માટે અનુમતિ માંગી, પછી પોતાના મિત્ર, જ્ઞાતિજન, સ્વજન, સંબંધિ વર્ગને પ્રતિવિસર્જિત કર્યા. પછી એવો અભિગ્રહ ધારણ કર્યો કે, હું આજથી બાર વર્ષ સુધી મારા શરીરનો વ્યુત્સર્ગ કરીશ – દેહના મમત્વ ભાવનો ત્યાગ કરી. તે દરમિયાન દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે કોઈપણ ઉપસર્ગ ઉત્પન્ન થશે, તે સર્વે સમુત્પન્ન ઉપસર્ગને અકલુષિત, નિશ્ચલ, અદીનમના અને મન, વચન, કાયાની ગુણિપૂર્વક સમ્યક્ પ્રકારે – સમભાવથી સહન કરીશ, ક્ષમાભાવ રાખીશ અને ખેદરહિતપણે ખમીશ.
આવા પ્રકારનો અભિગ્રહ ધારણ કરીને શરીરનો વ્યુત્સર્ગ અને દેહ મમત્વભાવનો ત્યાગ કરેલ શ્રમણ ભગવંત મહાવીર મુહૂર્ત માત્ર દિવસ બાકી રહ્યો ત્યારે (આવશ્યક ચૂર્ણિ૧-૫. ૨૬૮ મુજબ) ચતુર્ભાગ પોરિસિ બાકી રહી ત્યારે કમ્મર ગ્રામમાં પહોંચ્યા. જ્યારે ભગવંત કર્માર ગ્રામ જવા માટે નીકળ્યા ત્યારે બે માર્ગો હતા. એક જળ માર્ગ અને બીજો સ્થળ માર્ગ ભગવંત સ્થળ માર્ગે જ ગયેલા. ભગવંત કર્માર ગ્રામ પહોંચીને પ્રતિમા (-કાયોત્સર્ગ) ધ્યાને રહ્યા.
ભગવંતનો જ્યારે નિષ્ક્રમણ અભિષેક થયો ત્યારે તેમને દિવ્ય ગોશીષ ચંદનથી, ચૂર્ણથી, ગંધથી અને પુષ્પથી વિક્ષેપિત અને વાસિત કરાયેલા. પ્રભુની દીક્ષાથી સાધિક ચાર માસ પર્યન્ત તેની દિવ્ય ગંધ પ્રભુના શરીર પર તેવી જ રહેલી હતી. આવી અલૌકિક સુગંધને કારણે દૂરદૂરથી ભ્રમરા, મધમાખી આદિ જીવો ખેંચાઈને આવતા અને પ્રભુને ડંખ દેવા લાગ્યા, શરીર ઉપર ફરવા લાગ્યા હતા. કોઈક જીવજંતુને શરીર પર ફરતા કંઈ ન મળે ત્યારે નખ અને મુખ વડે શરીરના તે ભાગને ખાવા લાગતા હતા. ચારે તરફ ફેલાતી સુગંધને કારણે તરુણ વર્ગ આવીને ભગવંત પાસે ગંધપુટી માંગતો હતો. ગ્રામાનુગ્રામ વિચરતા પ્રભુની પાછળ તે તરુણ વર્ગ જતો અને ભગવંત તેમને કશો પ્રત્યુત્તર ન આપતા, તેથી તેઓ પ્રતિકૂળ ઉપસર્ગો કરતા હતા. સ્ત્રીઓ પણ ભગવંતના એવા અદ્ભુત સૌંદર્ય અને સુગંધમય શરીર જોઈને ભોગ પ્રાર્થનાદિ રૂપ અનુકૂળ ઉપસર્ગો કરવા લાગી તો પણ પ્રભુ મેરૂ માફક નિશ્ચલ રહ્યા, સર્વ ઉપસર્ગો સમભાવપણે સહન કરી વિચારવા લાગ્યા. ૦ પ્રથમ રાત્રિએ જ ઉપસર્ગનો આરંભ ઇન્દ્રની વિનંતિનો અસ્વીકાર :
પ્રભુ પ્રવજ્યાની પ્રથમ રાત્રિએ કર્મારગ્રામમાં ધ્યાનસ્થ હતા. તે વખતે કોઈ એક ગોવાળ આખો દિવસ બળદો પાસે હળ વહન કરાવી સંધ્યાકાળે તે બળદોને પ્રભુ સમીપે મૂકીને ગાયોને દોહવા ચાલ્યો ગયો. બળદો દૂર જંગલમાં ચરવા જતા રહ્યા. ગોવાળ જ્યારે ગાયોને દોહીને પાછો આવ્યો ત્યારે ત્યાં બળદોને ન જોવાથી ભગવંતને પૂછવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org