________________
૨૭૬
આગમ કથાનુયોગ-૧
અલંકાર અને વસ્ત્ર અલંકારથી અલંકૃત્ થઈને પ્રતિપૂર્ણ અલંકૃત્ એવા તે પોતાના સિંહાસનથી ઊભા થઈને ચંદ્રપ્રભા શિબિકા પાસે આવી, શિબિકાને પ્રદક્ષિણા દઈને, શિબિકા સ્થિત સિંહાસનમાં બેઠા ત્યારે, તેઓ પ્રશસ્ત અધ્યવસાય છઠનો તપ અને શુભ લેશ્યાથી વિશુદ્ધ થયેલા હતા. જન્મ, જરા, મરણના ભાવોથી વિમુક્ત હતા. શિબિકામાં બેઠેલા પ્રભુની જમણી બાજુ કુલ મહત્તરા સ્ત્રી સ્નાન કરીને હંસ લક્ષણા શ્વેત સાડી લઈને ભદ્રાસન પર બેઠા હતા. ડાબે પડખે ભગવંતના ધાવમાતા ઉપકરણો લઈને બેઠા હતા. પાછળના ભાગમાં એક શ્રેષ્ઠ તરુણી શૃંગારના ઘર સમાન સુંદર વેશ ધારણ કરીને ઊભેલી. જે રૂપ, યૌવન, વિલાસયુક્ત હતી. હાથમાં તેણીએ સફેદ છત્ર ધારણ કરેલું હતું. સ્વામીની બંને તરફ એક–એક સુંદર તરુણી ચપળ ચામર ગ્રહણ કરીને ઊભેલી હતી. ઇશાન ખૂણામાં એક શ્રેષ્ઠ તરુણી હાથમાં સંપૂર્ણ ભરેલો રજતમય કળશ લઈને ઊભેલી અને અગ્નિખૂણામાં એક શ્રેષ્ઠ તરુણી આશ્ચર્યકારી સોનાના દંડવાળા મણિમય પંખાને લઈને ઊભેલી હતી. જ્યારે ભગવંત શિબિકામાં બેઠા ત્યારે શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર તેની બાજુ બાજુ ઊભા રહીને મણિ રત્નાદિ બનેલ આશ્ચર્યકારી દંડવાળા ચામર ભગવંતની બંને બાજુ ઢોળવા લાગ્યા. ૦ ભગવંતની શિબિકાનું વહન અને લોકોનું અનુગમન :- સામાન્ય ઉલેખ – આચારાંગ–પર૬, પર૭;
સમાવાયાંગ–૨૮૧ થી ૨૮૩; આવ.ભ. ૯૮ થી ૧૦૦ સામાન્યથી શિબિકાનું વહન – જ્યારે જિનેશ્વરો દીક્ષા ગ્રહણ કરવા માટે નીકળે ત્યારે પહેલાં હર્ષથી રોમાચિંત મનુષ્યો પોતાના ખભે આ શિબિકા લઈને ચાલે છે. પછી અસુરેન્દ્રો, સુરેન્દ્રો અને નાગેન્દ્રો આ શિબિકા લઈને ચાલે છે.
ચંચલ ચપળ કુંડલોના ધારક અને પોતાની ઇચ્છાનુસાર વૈક્રિય આભુષણોને ધારણ કરવાવાળા તે દેવગણ, સુર અસુરોથી વંદિત જિનેન્દ્રોની શિબિકાને વહન કરે છે.
આ શિબિકાઓને પૂર્વ તરફ વૈમાનિક દેવ, દક્ષિણ બાજુએ નાગકુમાર, પશ્ચિમ બાજુએ અસુરકુમાર અને ઉત્તર તરફથી ગરુડકુમાર દેવો વહન કરે છે.
– વિશેષ ઉલ્લેખ – આવશ્યક પૂર્ણિ ૧- ૨૫૯, ૨૬૦; કલ્પસૂત્ર–૧૧૩ વૃત્તિ
રાજા નંદિવર્ધને અઢાર શ્રેણિ–પ્રશ્રેણીના લોકોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું કે, હે દેવાનુપ્રિયો ! સ્નાનાદિથી સંપન્ન થઈ, સર્વ અલંકાર વડે વિભૂષિત થઈ તમે શિબિકા વહન કરો. તે વખતે નંદિવર્ધન રાજાના હુકમથી તેઓએ શિબિકા ઉપાડી. ત્યાર પછી શક્રેન્દ્રએ શિબિકાની દક્ષિણ તરફની ઉપરની બાહાને ઉપાડી, ઇશાનેન્દ્રએ ઉત્તર તરફની ઉપલી બાહાને ઉપાડી, અમરેન્દ્રએ દક્ષિણ તરફની નીચેની બાહાને ઉપાડી અને બલિન્દ્રએ ઉત્તર તરફની નીચેની બાહાને ઉપાડી, બાકી રહેલા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક દેવોએ યથાયોગ્ય ચંદ્રપ્રભા પાલખીને ઉપાડી.
ત્યાર પછી શક્રેન્દ્ર અને ઇશાનેન્દ્ર શિબિકાની બાહા છોડીને ભગવંતને ચામર વિંઝવા લાગ્યા. આ રીતે પ્રભુ શિબિકામાં બેસીને ચાલ્યા ત્યારે શરદુ ઋતુમાં વિકસિત થયેલ કમળો વડે શોભતા પા સરોવર અને પ્રફુલ્લિત થયેલ અળસી, કણેર, ચંપા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org