SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ આગમ કથાનુયોગ-૧ વંદન–નમસ્કાર કર્યા બાદ ભગવંત મહાવીરને લઈને જ્યાં દેવચ્છેદક છે ત્યાં આવે છે. ત્યાં આવીને ધીરે ધીરે પૂર્વ દિશા તરફ મુખ કરીને ભગવંતને સિંહાસન ઉપર બેસાડે છે. પૂર્વાભિમુખ સિંહાસન પર બેસાડીને ધીમે ધીમે શતપાક, સહસ્ત્રપાક તેલ વડે માલિશ કરે છે. પછી સુગંધી ઉબટન વડે ઉબટન કરે છે. પછી પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવે છે. તે આ પ્રમાણે અય્યતેન્દ્ર વગેરે ચોસઠ ઇન્દ્રો પોતપોતાના આભિયોગિક દેવો દ્વારા જે આઠ જાતિના ૧૦૦૮–૧૦૦૮ કળશો તૈયાર કરાવ્યા છે. તેને નંદિવર્ધન રાજાએ તૈયાર કરાવેલા કળશોમાં દિવ્યશક્તિ વડે સમાવી દે છે. તેથી નંદિવર્ધન રાજાના કળશો અત્યંત શોભવા લાગે છે. પછી સર્વે ઇન્દ્રો ક્ષીરસમુદ્રના જળ અને સર્વે તીર્થોની માટી તથા સર્વ ઔષધિ વડે ભમહાવીરનો જળ અભિષેક કરે છે. ત્યાર પછી નંદિવર્ધન રાજા પણ જળ અભિષેક કરે છે. એ વખતે ઇન્દ્રો હાથમાં ઝારી-દર્પણ વગેરે લઈ જય-જય શબ્દ બોલતા ઊભા રહે છે. એ રીતે પ્રભુને સ્નાન કરાવ્યા બાદ ગંધકાષાયી વસ્ત્ર વડે શરીરને લુંછે છે. ત્યાર પછી એક લાખ સુવર્ણમુદ્રા કરતાં પણ અધિક મૂલ્યવાળા એવા બહુમૂયવાનું અત્યંત શીતલ ગોશીષ રક્તચંદનનો લેપ કરે છે. પછી ધીમા શ્વાસોચ્છવાસથી પણ કંપિત થાય તેવું, પ્રસિદ્ધ નગરમાં નિર્માણ પામેલું, પ્રતિષ્ઠિત પુરુષો દ્વારા પ્રશસિત, અશ્વની જેમ લાલઝાંય પ્રગટ કરતું, વિશિષ્ટ કારીગરો દ્વારા સુવર્ણજડિત છેડાવાળું, હંસ સમાન શ્વેત એવા વસ્ત્ર યુગલને પહેરાવે છે. કલ્પવૃક્ષના પુષ્પોની મનોહરમાળા પહેરાવી. હાર, અર્ધવાર, એકાવલીહાર, લટકતીમાળા, ઝુમખાં, કંદોરો, મુગટ, રત્નમાળા પહેરાવી, ગ્રંથિમ, વેષ્ટિમ, પુરિમ અને સંઘાતિમ એવી ચાર પ્રકારની માળા પહેરાવી. બાજુબંધ, કડાં, કુંડલ આદિ પહેરાવી કલ્પવૃક્ષ સંદેશ અલંકૃત્ કર્યા. ૦ શિબિકા નિર્માણ : ભગવંત મહાવીરને એ રીતે સમ્યક્ પ્રકારે અલંકૃત્ કર્યા પછી ઇન્દ્ર મહાનું વૈક્રિય સમુદ્દઘાત કરે છે. તે પ્રમાણે સમુઘાત કરીને એક વિરાટ એવી સહસ્ત્રવાહિની ચંદ્રપ્રભા નામની શિબિકાની અય્યતેન્દ્રના હુકમથી વિમુર્વણા કરે છે. આ શિબિકામાં ઇહામૃગ, વૃષભ, અશ્વ, મગરમચ્છ, પક્ષી, વાંદરા, હાથી, રણમૃગ, સરભ, ચમરી ગાય, શાર્દુલ સિંહ આદિના તથા વનલતા, અનેક વિદ્યાધર યુગલ, યંત્ર, મનુષ્યયુગલના ચિત્રો બનેલા હતા. તે શિબિકા સહસ્રરશ્મિ સૂર્યપ્રભા સમાન તેજવાળી, રમણીય, ઝગમગાતી, હજારો રૂપકો અને ચિત્રોથી યુક્ત, દીપ્યમાન અને દેદીપ્યમાન હતી. જેને જોતાં જ આંખો ચમકી જાય. તેમાં મોતીની માળાઓ અને મોતીના જાળ–તોરણો ઝૂલી રહ્યા હતા. શ્રેષ્ઠ સુવર્ણોના મણકા વડે ગુંથાયેલી મોતીયોની માળા લટકી રહી હતી. હાર, અર્ધપાર આદિ ભૂષણોથી સજાવાયેલ હતી. અત્યધિક દર્શનીય હતી. પઘલતા, અશોકલતા, કુંદલતા તથા એવી બીજી લતાઓ વડે ચિત્રિત હતી. તે શિબિકા અતિશુભ, સુંદર, મનોહર દેખાવવાળી, વિવિધ પ્રકારના રંગબેરંગી મણિઓ, ઘંટડીઓ, પતાકાઓથી મંડિત શિખરવાળી આકર્ષક, દર્શનીય, સુંદર હતી. સર્વજગત્ વત્સલ બધાં જિનવરેન્દ્રોની આ શિબિકાઓ સર્વઋતુમાં સુખદાયી, ઉત્તમ અને શુભકાંતિવાળી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy