________________
તીર્થકર ચરિત્ર-ભમહાવીર–કથા
૨૭૩
વિકસિત, વિચિત્ર વર્ષની માળાથી ઢાંકેલ વક્ષસ્થળવાળા, કામગમા, કામરૂપધારી, વિવિધ વર્ગોના વસ્ત્રને ધારણ કરનારા વિવિધ દેશના વેશને ધારણ કરનારા, કંદર્પ, કેલિ, કલહ, કોલાહલથી આનંદ પામતા, વિશેષ હાસ્ય કસ્તા, અનેકમણિ રત્નાદિ યુક્ત વિવિધ ચિન્હોના ધારક, સુરૂપ, મહાઋદ્ધિવાળા હતા. તેઓ આવીને પ્રભુની પથુપાસના કરવા લાગ્યા.
- તે કાળે, તે સમયે અનેક જ્યોતિષ્ક દેવો મહાવીર સ્વામી સમીપે પ્રગટ થયા. બૃહસ્પતિ, ચંદ્ર, સૂર્ય, શુક્ર, શનિશ્ચર, રાહુ, ધૂમકેતુ, બુધ, અંગારક નામે હતા. તસ–તપનીય સુવર્મવર્ણવાળા, જ્યોતિષ ચક્રમાં ગતિ કરનારા, ગતિરતિક, અઠાવીસ પ્રકારના નક્ષત્ર દેવગણ, વિવિધ સંસ્થાનથી સંસ્થિત. પંચવર્ણવાળા તારાગણ, સ્થિતલેશ્યાચારી, અવિશ્રાંત મંડલગતિવાળા પ્રત્યેક નામ પ્રમાણેના ચિન્હવાળા મુગટધારી અને મહાઋદ્ધિવાળા હતા. તેઓ આવીને ભગવંતની પપાસના કરવા લાગ્યા.
તે કાળે, તે સમયે ઘણાં વૈમાનિક દેવો મહાવીર સ્વામી સમીપે પ્રગટ થયા. જેવા કે, સૌધર્મ, ઇશાન, સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અય્યત તેઓ હર્ષિત થયા. ત્રાયશ્ચિંશક, સામાજિક, લોકપાલ અને અગ્રમડિલી પર્ષદા સહિત, આત્મરક્ષક દેવોથી પરિવરેલ, હજારો કેવો વડે અનુગમન કરાતા, શોભાસહિત સદરપૂર્વક સૌમ્ય–મનોહર રૂપવાળા, વિમલ ચામર વડે વિંઝાતા, દેવસમૂહના જયકાર શબ્દસહ અને મૃગ, મહિષ, વરાહ, છગલ, દર, ઘોડો, હાથી, ભુજગ, ગ, વૃષભ, કપિ આદિ ચિન્હવાળા મુગટોને સૌધર્માદિ ક્રમમાં અનુક્રમે ધારણ કરેલા તેમજ પાલક, પુષ્પ, સોમનસ સિરિવત્સ નંદિયાવર્ત આદિ પોતપોતાના વિમાનોમાં બેસીને નીકળ્યા.
આ વિમાન મણિ, કનક, રત્નની ઘંટિકા સમૂહ, ઉજ્વળ સુવર્ણના તોરણોથી યુક્ત, ફરતાં ઉત્તમ મોતીની માળા અને લટકતા ઝુમખાંથી યુક્ત હતા. ઘંટાવલિના મધુર શબ્દો વાંસળી, તંત્રી, તાલસહ ગવાતા ગીતના ધ્વનિપૂર્વક ઉત્તમ તુરિતના અવાજ વડે આકાશને પૂરતા દેવેન્દ્રો હર્ષિત, સંતુષ્ટ મનવાળા હતા. લોકાંતિક વિમાનવાસી દેવ સંઘ પણ પોતાના સમુદાય સાથે સામેલ હતો. એ રીતે અનેક દેવ પરિવાર મહાઋદ્ધિપૂર્વક ભગવંત મહાવીર પાસે આવીને પપાસના કરે છે.
તે કાળે, તે સમયે વિશાળ અપ્સરા સમુદાય પણ ભગવંત મહાવીર સમીપે પ્રગટ થયો. તે અપ્સરાઓ બાળભાવથી મુક્ત થયેલ અને મધ્યમ જરઠ વયભાવથી વિરહિત હતી. અતિ ઉત્તમ સૌમ્ય, મનોહર રૂપવાળી હતી. ઉપઘાત રહિત, શોભન યૌવન અને તરુણભાવયુક્ત હતી. નિત્ય અવસ્થિત ભાવવાળી અને સવગ સુંદર હતી. શ્રેષ્ઠ વસ્ત્રોની ઘારક, મનોહર હાર, રત્નના કુંડલ, સુવર્ણનો કંદોરો આદિ અનેક આભુષણોથી વિભૂષિત હતી. ઉત્તમ ચંદનથી ચર્ચિત, ઉત્તમ અલંકારોથી ભૂષિત, સર્વઋતુના સુગંધી ઉત્તમ પુષ્પોની માળાને ધારણ કરેલી, ચંદ્રના જેવા મુખવાળી, ચંદ્ર વિલાસીની, ઉલ્કા જેવી ચમકતી, શૃંગારના ઘર જેવી સુંદર વેશવાળી ઇત્યાદિ અનેક વિશેષતાઓથી યુક્ત કાંત, પ્રિયદર્શના સુશીલા હતી. જિનદર્શન ભક્તિના અનુરાગપૂર્વક જિનવરની સમીપે આવેલ હતી. નમન કરીને, વિનયપૂર્વક બે હાથ જોડીને પર્યાસના કરતી ત્યાં રહેલી છે.
આ રીતે ઉપસ્થિત દેવ-દેવી સમુદાય મધ્યે અચ્યતેન્દ્રથી શક્રેન્દ્ર સુધી સર્વ ઇન્દ્રોએ શ્રમણ ભગવંત મહાવીરનો મહાઈ, માઈ, વિપુલ નિષ્ક્રમણ અભિષેક કર્યો)
ત્યાર પછી દેવેન્દ્ર દેવરાજ શક્ર પણ ધીમે ધીમે યાન–વિમાનને ત્યાં ઊભું રાખે છે. ઊભું રાખીને ધીમે ધીમે યાન–વિમાનથી ઉતરે છે. ઉતરીને એકાંતમાં જઈને વૈક્રિય સમુઘાત કરે છે. સમુદ્દઘાત કરીને મણિ, કનક, રત્નોથી બનેલા એક શુભ, મનોહર અને કાંતિમાનું એવા મહાન્ દેવછંદકની વિદુર્વણા કરે છે. તે દેવછંદકની વચ્ચોવચ્ચ પાદપીઠ સહિત એવા અને વિવિધ મણિરત્નોથી બનાવેલા શુભ–મનોહર અને કાંતિમાન મહાનું સિંહાસનની વિકુર્વણા કરે છે. તેમ કરીને ભગવંત મહાવીર હતા ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત પ્રદક્ષિણા કરી શ્રમણ ભગવંત મહાવીરને વંદન– નમસ્કાર કરે છે.
Jain Idulaton nternational
For Private & Personal Use Only
www.jainelibrary.org