________________
૨૭૦
આગમ કથાનુયોગ-૧
મધુર, શોભાયુક્ત, હૃદયને ગમ્ય, હૃદયને પલ્લવિત–પ્રસન્ન કરનારી, ગંભીર, પુનરૂક્તિ આદિ દોષોથી રહિત, સુંદર ધ્વનિ, મનોહર વર્ણ અને સ્પષ્ટ ઉચ્ચારવાળી, અલંકારાદિ વડે શોભતી અને સુંદર લાલિત્યવાળા વર્ણો વડે મનોહર આવા પ્રકારની વાણી વડે પ્રભુને નિરંતર અભિનંદતા, પ્રભુની સ્તુતિ કરવા પૂર્વક આ પ્રમાણે બોલ્યા –
હે નંદ ! સમૃદ્ધિશાળી ! આપ જય પામો, જય પામો. હે ભદ્ર! કલ્યાણવંત ! આપ જય પામો, જય પામો. હે પ્રભુ! આપનું ભદ્ર-કલ્યાણ થાઓ. હે ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ વૃષભ સમાન ! તમારો જય થાઓ, વિજય થાઓ. હે ભગવાન્ ! આપ બોધ પામો, દીક્ષા ગ્રહણ કરો. તે લોકનાથ ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવો. તે ધર્મતીર્થ સકળ લોકમાં સર્વ જીવોને હિત કરનારું, સુખ કરનારું તથા નિઃશ્રેયસકર(મોક્ષને દેનારું) થશે. આ પ્રમાણે કહીને તે લોકાંતિક દેવો જય-જય શબ્દ બોલે છે.
જો કે બધાં જ તીર્થકરો સ્વયંબુદ્ધ જ હોય છે. ગર્ભથી ત્રણ જ્ઞાનના ધારક હોય છે. તો પણ લોકાંતિક દેવો પ્રભુને જે સંબોધન કરે છે – અર્થાત્ બોધ પમાડવા આવે છે તે બ્રહ્મલોકના શિષ્ટ પ્રતરની કૃષ્ણરાજી મધ્યે નિવાસ કરે છે. તેના નામ સારસ્વત, આદિત્ય, વૃષ્ણિ, વરુણ, ગર્દતોય, તૂષિત, અવ્યાબાધ અને અગ્નિ (તેમજ બીજા મતે નવમા) રિષ્ટ છે. એ દેવો પ્રત્યેક પોતાના ૪,૦૦૦ સામાનિક દેવ, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત સેનાપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો અને બંભલોક કલ્પ ના અનેક અન્ય દેવો સાથે વિચરતા હતા. તેવા લોકાંતિક દેવો પધાર્યા.
– (લોકાંતિક દેવોએ પ્રતિબોધ કર્યા પહેલાં પણ) ભગવંત મહાવીર જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતા, વિવાહાદિ નહોતા કર્યા ત્યારે પણ અનુત્તર-ઉત્તમ, આભોગિક અર્થાત્ ઉત્કૃષ્ટ, ઉપયોગ વાળું અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય ત્યાં સુધી સ્થિર રહેનારું એવા પ્રકારનું અવધિજ્ઞાન અને અવધિદર્શન હતું. તે અનુત્તર આભોગિક એવા અવધિજ્ઞાન અને અવધિદર્શન વડે ભગવંત પોતાનો દીક્ષાકાળ જાણે છે. ૦ ભગવંતનું સંવત્સર દાન :
(ભઋષભ અને ભ૦મલિના કથાનકમાં આ વાત આવેલ છે જ. તો પણ આચારાંગ સૂત્ર આવશ્યક ભાષ્ય, આવશ્યક ચૂર્ણિ, કલ્પસૂત્ર મૂળમાં ભ૦મહાવીરનું સ્વતંત્ર કથાનક હોવાથી અમે આ સંદર્ભશાસ્ત્રાનુસાર વિક્તવ્યતા અત્રે રજૂ કરી છે.)
ભમહાવીરે પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ ત્યારે, જ્ઞાનથી પોતાનો દીક્ષાકાળ જાણીને તેમજ લોકાંતિક દેવોની વિનંતી બાદ સંવત્સર દાન આરંભ કર્યું ત્યારે–
હિરણ્યનો ત્યાગ કરીને, સુવર્ણનો ત્યાગ કરીને, ધનનો ત્યાગ કરીને, રાજ્ય અને રાષ્ટ્રનો ત્યાગ કરીને, બળ (–સેના), વાહન, કોશ અને કોઠાગારનો ત્યાગ કરીને, નગર, અંતઃપુર અને દેશવાસીઓનો ત્યાગ કરીને, વિપુલ ધણ (-પશુઓ), કનક ( સુવર્ણ), રત્ન, મણિ, મોતી, શંખ, શિલ, પ્રવાલ અને માણેક વગેરે રત્નાદિનો ત્યાગ કરીને, વિદ્યમાન એવા પ્રધાન દ્રવ્યનો ત્યાગ કરીને એ રીતે સર્વ વસ્તુનો ત્યાગ કરીને, વિશેષ પ્રકારે ત્યાગ કરીને, જમીનમાં દાટેલા અને ગુપ્ત રહેલા સુવર્ણાદિકને પ્રગટ કરીને, વાચકોને સુવર્ણ આદિ ધન ભાગે પડતું વહેંચી આપીને, પોતાના ગોત્રીયોને સુવર્ણાદિક ધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org