________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૬૯
શાસ્ત્ર સંદર્ભોમાં ઉલ્લેખિત ઘટના આ પ્રમાણે છે)
માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી દીક્ષા ન લેવાનો અભિગ્રહ તો ભગવંતને અઠાવીસમે વર્ષે પૂરો થયો હતો. કેમકે ત્યારે ભગવંતના માતા-પિતા દેવલોકે સિધાવ્યા.
ત્યારે ભગવંત દીક્ષા માટે વડિલબંધુ નદિવર્ધનની અનુમતિ માગી. નંદિવર્ધન રાજાએ કહ્યું કે, ભાઈ ! હજી તો માતા-પિતાના વિયોગથી હું પીડાઉ છું. હજી તે દુઃખ પણ વિસારે પડ્યું નથી. તેવામાં વળી તમે દીક્ષાની વાત કરો છો. આ સમયે તમારો વિરહ ઘા ઉપર ખાર નાંખવા જેવો વિશેષ સંતાપ કરનારો થશે, માટે અત્યારે તમારે મને છોડીને ન જવું જોઈએ. હું શોકમુક્ત થઈ જાઉં તે માટે તમે થોડોક કાળ રોકાઈ જાઓ. સ્વામીએ પૂછ્યું કે, હું કેટલો કાળ રોકાઈ જઉ ? ત્યારે વડિલબંધુએ બે વર્ષ રોકાઈ જવા કહ્યું.
– ત્યારે ભગવંતે કહ્યું કે, હે નરેશ્વર ! ભલે, તમારા આગ્રહથી હું બે વર્ષ ઘેર રહીશ, પણ મારે માટે હવેથી કોઈપણ પ્રકારનો આરંભ કરશો નહીં. હું પ્રાસુક આહારપાણી વડે શરીરનો નિર્વાહ કરીશ. રાજાએ તે વાત સ્વીકારી. ભગવંત બે વર્ષ વધુ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. તેમણે અપ્રાસુક, નિર્દોષ અને એષણીય આહાર કર્યો. શીતઉદક – સચિત્ત પાણી પણ ન વાપર્યું. રાત્રિભોજન ન કર્યું. બ્રહ્મચર્યનું પાલન કર્યું. અસંયમથી રહિત અર્થાત્ સંયમિતપણે રહ્યા. આભુષણાદિનો પણ ત્યાગ કર્યો. પ્રાસુક જળ વડે પણ સ્નાન ન કર્યું. માત્ર હાથ–પગની શુદ્ધિ અને આચમન પ્રાસુક જળ વડે કર્યું. નિષ્ક્રમણ અભિષેક જો કે અપ્રાસુક-સચિત્ત જળ વડે થયો. કેમકે તીર્થંકરોનો એ આચાર છે.
પ્રભુ જ્યારે જન્મ્યા હતા ત્યારે ચૌદ મહાસ્વપ્નથી સૂચિત હોવાથી “નિશ્ચયથી આ ચક્રવર્તી રાજા થશે." એ પ્રમાણે લોકોક્િત સાંભળી શ્રેણિક ચંડપ્રદ્યોત વગેરે રાજકુમારોને તેમના માતાપિતાએ પ્રભુની સેવા માટે મોકલ્યા હતા. પણ જ્યારે પ્રભુને મહાવૈરાગી અને દીક્ષા લેવા માટે તત્પર જોયા ત્યારે “આ ચક્રવર્તી નથી' એમ જાણી તે રાજકુમારો પોતપોતાને ઘેર ગયા.
ભગવંતની ઉમર જ્યારે ઓગણત્રીસ વર્ષની થઈ ત્યારે તેમણે એક વર્ષ પછી હું દીક્ષા લઈશ તેવો મનમાં સંકલ્પ કર્યો. વળી પ્રભુની પ્રતિજ્ઞા પણ સમાપ્ત થતી હતી. એ સમયે લોકાંતિક દેવો પણ પોતાનો શાશ્વત આચાર જાણી એક વર્ષ બાકી રહ્યું ત્યારે પ્રભુને દીક્ષાનો અવસર જણાવવા વિનંતી કરી, તે આ પ્રમાણે– ૦ ભગવંત મહાવીરનો દીક્ષા મહોત્સવ :૦–૦ લોકાંતિક દેવોનું આગમન :
(લોકાંતિક દેવોનું નિવાસ સ્થાન, તેમની દ્વિ-પરિવાર, તેમના નામ, તેમની સંખ્યા વિષયક મતભેદ, તેમનું આગમન, તીર્થ પ્રવર્તન માટેની વિનંતી ઇત્યાદિ વિગતો સવિસ્તર અમે ભગવંત મલિની કથામાં તો આપેલી જ છે. પ્રત્યેક તીર્થકરના નિષ્ક્રમણ પૂર્વે આ વર્ણન એક સમાન જ હોય છે. તો પણ પ્રસ્તુત કથાનકમાં આવશ્યક ભાષ્ય અને કલ્પસૂત્ર મૂલ ૧૧૦–૧૧૧ તથા તેની વૃજ્યાનુસાર કિંચિત્ કથન કરેલ છે.)
બ્રહ્મલોક નિવાસી લોકાંતિક દેવોએ પોતાનો જિતકલ્પ અર્થાત્ અવશ્યપણે તીર્થકરને દીક્ષાનો અવસર જણાવવાનો પોતાનો આચાર સમજીને તેવા પ્રકારની ઇષ્ટ, મનોહર, પ્રિય, મનોજ્ઞ, મનામ, ઉદાર, કલ્યાણરૂપ, શિવરૂપ, ધન્યરૂપ, મંગલરૂપ, પરિમિત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org