SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ આગમ કથાનુયોગ-૧ થઈને ભક્તપ્રત્યાખ્યાન નામક અનશન સ્વીકાર કર્યું. – ભક્તપ્રત્યાખ્યાન અનશન સ્વીકારીને અંતિમ મારણાંતિક શારીરિક સંલેખન દ્વારા શરીરને શોષવીને કાળ સમય થયો ત્યારે અર્થાત્ આયુષ્ય પૂર્ણ થયું ત્યારે કાળધમ પામીને આ શરીરનો ત્યાગ કરીને અય્યત નામક બારમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા (આ મત આચારાંગ સૂત્ર–૫૧રનો છે. આવશ્યકના મતે, સતતિ શતસ્થાનકમાં માહેન્દ્ર દેવલોકમાં ગયાન મત પણ છે.) દેવલોકમાંથી દેવ સંબંધિ આયુનો-ભવનો અને સ્થિતિનો ક્ષય થયા પછી ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં અંતિમ શ્વાસોચ્છવાસે એટલે કે, આયુષ્યનો ક્ષય કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે અને સર્વ પ્રકારે દુઃખોનો અંત કરશે ૦ ભ૦મહાવીરના અભિનિષ્ક્રમણ પૂર્વેની સ્થિતિ : તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર દક્ષ અર્થાત્ સર્વ કળામાં કુશળ હતા દક્ષપ્રતિજ્ઞ હતા કરેલી પ્રતિજ્ઞાનો સમ્યક્ પ્રકારે નિર્વાહ કરનારા હતા. અત્યંત સુંદર રૂપવાળા હતા. સર્વ પ્રકારના ગુણોથી યુક્ત સંયમી અને ઇન્દ્રિયોને અંકુશમાં રાખનાર હતા. ભદ્રક, વિનીત અને જ્ઞાતખ્યાતિ પામેલા હતા અથવા જ્ઞાત એટલે જ્ઞાતવંશીય હતા જ્ઞાતપુત્ર અર્થાત્ જ્ઞાતવંશીય સિદ્ધાર્થ રાજાના પુત્ર હતા. જ્ઞાતકુળમાં વિશેષ આલાદદાયક જ્ઞાતવંશમાં ચંદ્ર સમાન હતા. તે વિદેહ હતા – અર્થાત્ – બીજાના દેહની અપેક્ષાએ વિલક્ષણ કે વિશિષ્ટ કોટીના દેહવાળા હતા. વિદેહદિન્ન–વિદેહદિન્ના ત્રિશલા ક્ષત્રિયાણીન પુત્ર હતા. વિદેડજાત્ય – વિદેહા એટલે ત્રિશલા ક્ષત્રિયાણીની કુક્ષિથી ઉત્પન્ન અથવા વિદેહવાસીઓમાં શ્રેષ્ઠ હતા. વિદેહ સુકુમાર–ગૃહસ્થાવસ્થામાં અત્યંત સુકુમાર હતા રાજકુળ અને વિશુદ્ધ વંશમાં ઉત્પન્ન થયેલા હતા. – ભગવંત મહાવીર સાત હાથની કાયાવાળા, સમચતુરસ્ત્રસંસ્થાન સંસ્થિત વજઋષભનારચ સંઘયણવાળા, અનુલોમ વાયુવેગી, કંકગ્રહણ કપોતપરિણામી, પદ્મની ગંધ સદેશ શ્વાસોચ્છવાસવાળા, ઉત્તમ, પ્રશસ્ત, નિરૂપમ શરીરવાળા, પ્રસ્વેદ, મેલ, કલંક, રજ આદિ દોષ વર્જિત દેહવાળા, નિરૂપલેપ, છાયા–ઉદ્યોત સમ અંગવાળા, ઘન, નિચિત, સુબદ્ધ, લક્ષણ આદિ મસ્તકયુક્ત, દાડમના પુષ્પ સટશ તપનીય સદશ વર્ણવાળી કેશભૂમિયુક્ત, છત્રાકાર ઉત્તમાંગ પ્રદેશવાળા, ચંદ્રના જેવા સૌમ્ય મુખવાળા, અર્ધચંદ્ર સમાન કપાળવાળા, સુંદર મુખ, કર્ણ, ગાલવાળા, વિકસિત કમળ જેવા નયનવાળા, ગરૂડ સમ ઉરંગ નાસિકાવાળા, બિંબફળ સમાન હોઠવાળા, શ્વેત દંત પંકિત–તથા તપનીયા તાલુ–માંસલ હડપચી, દુંદુભિસમ સ્વર ઇત્યાદિ વડે સર્વાગ સુંદર હતા. (આવા પ્રકારનું લખાણ આગળ સમવસરણ વક્તવ્યતામાં પણ છે.) તેઓ ત્રીશ વર્ષ સુધી વિરાગી સદશ ગૃહસ્થાવસ્થામાં રહ્યા. માતા-પિતાના મૃત્યુ અને દેવલોક ગમન પછી પોતાના મોટાભાઈ અને રાજ્યના પ્રધાનોની અથવા નંદિવર્ધન, સુપાર્શ્વકાકા આદિ વડીલ પુરુષોની અનુમતિ મેળવી. દીક્ષા માટે તૈયાર થયા. વળી માતાપિતાનું મૃત્યુ થયું હોવાથી ભગવંતની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી. કેમકે ગર્ભમાં રહેલા ભગવંતે પ્રતિજ્ઞા કરેલી કે, “માતા-પિતા જીવતા હોય ત્યાં સુધી દીક્ષા લઈશ નહીં.” (અહીં આચારસંગ સૂત્ર-૨૭૫, કલ્પસૂત્ર વૃત્તિ, આવ યૂ.૧–પૃ. ૨૪૯; આવભા. ૮૦ની વૃત્તિ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy