________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૬૭
૦ ભગવંતનો યૌવનકાળ અને લગ્ન :
શ્રમણ ભગવંત મહાવીર એ રીતે નિરૂપસર્ગપણે મોટા થતાં કાળક્રમે યૌવન વયને પામ્યા. જ્ઞાન-વિજ્ઞાન આદિથી પરિણત ભગવંતે બાલ્યાવસ્થાને પૂર્ણ કરી. તેમની ઊંચાઈ સાત હાથની હતી. ભગવંતને શબ્દાદિ વિષયના ભોગોમાં સમર્થ જાણીને તેમના માતાપિતાએ (પ્રભુ “વીર"ના માતા-પિતાએ) પ્રભુના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. શુભ તિથિ, શુભ નક્ષત્ર અને મુહુર્ત જોઈને પ્રશસ્ત અને મહાનું એવા સામંતોના કુળમાં જન્મેલ અને રાજા સમરવીરની યશોદા નામની ઉત્તમ રાજકન્યા સાથે પ્રભુનું પાણિગ્રહણ અર્થાત્ વિવાહ કરાવ્યા. (આ ઉલ્લેખ આવશ્યયક ભાષ્ય ૭૮, ૭૯માં અને આવશ્યક નિર્યુક્તિ ૪૫૮ના નવમાં “વિવાહ” નામના દ્વારની વ્યાખ્યામાં આવ.મ.વૃ,પૃષ્ઠ. ૨૫૮ ઉપર તથા કલ્પસૂત્ર–૧૦૯ની વૃત્તિમાં છે. આચારાંગ સૂત્ર–૫૧૧માં તેના પરિવારના નામોમાં પણ પત્ની-પુત્રીનો ઉલ્લેખ છે. તેથી આવશ્યક નિર્યુક્તિ ૨૨૧૨૨રનો “ર રૂત્યિશબ્દનો અર્થ તથા નિર્યુક્તિ અવમૂર્ણિમાં લખેલ “ર સ્ત્રી પ્રાગ' ઇત્યાદિ પાઠો “સામાન્યથી વિશેષ બળવાનું છે” એ ન્યાયે અત્રે અગ્રાહ્ય છે.)
યશોદા રાજકન્યા સાથે વિવાહ બાદ મનુષ્ય સંબંધિ ઉદાર એવા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શરૂપ પાંચ પ્રકારના કામભોગોને ઉદાસીન ભાવથી ભોગવતા, ત્યાગભાવ સહ વિચરવા લાગ્યા. (જેના ફળ સ્વરૂપ) તેજથી લક્ષ્મી સમાન અને સુરૂપ એવી પ્રિયદર્શના નામક પુત્રીને જન્મ આપ્યો. (એ પ્રમાણે આવ.નિ. ૪૫૮ના ‘અપત્યકારના ભાષ્યમાં કહ્યું છે.) ૦ ભ૦મહાવીરનો પરિવાર :
શ્રમણ ભગવંત મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેમનાં ત્રણ નામ આ રીતે પ્રસિદ્ધ થયા. ૧. સિદ્ધાર્થ, ૨. શ્રેયાંસ અને ૩. યશસ્વી શ્રમણ ભગવંત મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રના હતા. તેણીનાં ત્રણ નામ પ્રસિદ્ધ થયા તે આ પ્રમાણે :- ૧. ત્રિશલા, ૨. વિદેદિન્ના અને 3. પ્રીતિકારિણી. શ્રમણ ભગવંત મહાવીરના કાકાનું નામ સુપાર્શ્વ હતું. મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. બહેનનું નામ સુદર્શના હતું. તેમની પત્નીનું નામ યશોદા હતું કે, જે કૌડિન્ય ગોત્રના હતા.
શ્રમણ ભગવંત મહાવીરના પુત્રી કાશ્યપ ગોત્રના હતા. તેણીના બે નામ પ્રસિદ્ધ થયા. તે આ પ્રમાણે :- ૧. અનવદ્યા, ૨. પ્રિયદર્શના. આ પ્રિયદર્શનાના લગ્ન (આવ.પૂ.૧.પૃ.૪૧૬, આવ.ભા.૧૨૬–વૃત્તિ, ઉત્ત.નિ.૧૬૭–q. મુજબ) ભગવંતની મોટી બહેન સુદર્શનાના પુત્ર અને ભગવંતના ભાણેજ જમાલી સાથે થયા હતા. અર્થાત્ ભગવંતના જમાઈનું નામ જમાલી હતું. ભગવંત મહાવીરની પૌત્રી એટલે કે, પુત્રી પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રની હતી. તેના બે નામ પ્રસિદ્ધ થયા. તે આ પ્રમાણે શેષવતી અને યશસ્વતી. ૦ ભગવંતના માતા–પિતાનો દેવલોક-ભાવિ ગતિ :
શ્રમણ ભગવંત મહાવીરના માતા-પિતા ભગવંત પાર્શ્વનાથના સાધુઓના શ્રમણોપાસક હતા. (ભ૦પાર્શ્વના સંતાનીય શ્રાવક–શ્રાવિકા હતા). તેઓએ ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક | શ્રાવક ધર્મનું પાલન કરીને છ જીવનિકાયના જીવોની રક્ષા નિમિત્તે આલોચના કરીને, આત્મનિંદા કરીને, ગુરુ સાક્ષીએ ગઠ્ઠ કરીને, પ્રતિક્રમણ કરીને તથ ઉત્તરગુણોની શુદ્ધિને માટે યથાયોગ્ય પ્રાયશ્ચિતું ગ્રહણ કરીને દર્ભના સંથારા પર આરૂઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org