________________
તીર્થકર ચરિત્ર–ભ૦મહાવીર–કથા
૨૬૫
કરતા કહ્યું કે, હે દેવો ! ખરેખર ભગવંત વર્ધમાન બાળક હોવા છતાં પણ બાળભાવ રહિત છે અને મહાપરાક્રમી છે. વૃદ્ધ નહીં હોવા છતાં વૈર્યશાળી અને ગાંભીર્યાદિ ગુણ સંપન્ન છે. મનુષ્યલોકમાં રહેલા તેને દેવ-દાનવ કે ઇન્દ્ર પણ બીવડાવવા, પરાજિત કરવા કે છળવા સમર્થ નથી.
સૌધર્મેન્દ્રના આવા વચનની અશ્રદ્ધા કરતો એક દેવ જ્યાં ભગવંત હતા ત્યાં આવ્યો. તે વખતે ભગવંત પ્રમઈવનમાં સમાન વયના બાળકો સાથે આમલકી ક્રીડા કરવા વૃક્ષની ડાળી પર ચડવું–ટપવું વગેરે રમતો રમતા હતા. જે બાળક પહેલાં ડાળીએ ચઢી જાય, પહેલા ટપી જાય તેને બીજા બાળકે ખભા ઉપર બેસાડી ફેરવવા પડે તેવા પ્રકારની શરત હતી. તે સમયે ઇન્દ્રના વચનને જુઠું પાડવા તે દેવે આવીને સાંબેલા જેવા જાડા, ચપળ બે જીભવાળા, ચળકતા મણીવાળા, ભયંકર ફૂંફાડા મારતા, કાજળ સમાન કાળા વર્ણવાળા, કુર રૂપવાળા, વિસ્તૃત ફણાવાળા એવા મોટા સર્પનું રૂપ બનાવીને તેણે ક્રીડા કરવાના વૃક્ષને વીંટાળી દીધું. તે સર્પને જોઈને બધાં કુમારો રમત પડતી મૂકી ત્યાંથી દૂર ચાલ્યા ગયા. તે વખતે મહાપરાક્રમી, વૈર્યશાળી વર્ધમાન કુમારો જરા પણ ડર્યા વિના ત્યાં જઈ સર્પને પોતાના હાથે પકડી દૂર ફેંકી દીધો. નિર્ભય બનેલા બધાં બાળકો ત્યાં પાછા આવ્યા અને રમત ફરી ચાલુ કરી.
– તે દેવે વિચાર્યું કે, વર્ધમાનકુમાર આવી રીતે ન ડર્યા તો બીજી રીતે બીવડાવું. બધાં કુમારોએ દડા વડે રમવાનું શરૂ કર્યું. તે દેવે પણ એક કુમારનું રૂપ વિફર્વી તેઓ સાથે રમવા લાગ્યો. તેમાં પણ એવી શરત હતી કે, જે હારી જાય તે જીતેલાને ખભે બેસાડે. ત્યારે કુમાર બનેલો તે દેવ ભગવંત વર્ધમાન સ્વામી સામે હારી ગયો. વર્ધમાનકુમાર તેના ખભા ઉપર બેઠા. પ્રભુને ડરાવવા માટે તે દેવે પોતાનું શરીર સાત તાડ જેટલું ઊંચુ વિકુવ્યું. તાલપિશાચ રૂપ કર્યું. સ્વામીએ તે સ્વરૂપને જાણીને વજ જેવી કઠોર મુઠ્ઠીથી તેની પીઠ ઉપર પ્રહાર કર્યો. એ પ્રહારની વેદનાથી ચીસો પાડતો અને પીડાયેલો તે દેવ મચ્છરની જેમ સંકોચાઈ ગયો.
પ્રભુનું આવું પરાક્રમ અને શૈર્ય પ્રત્યક્ષ જોઈ ઇન્દ્રના વચનને સત્ય માનતા એવા તે દેવે પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું. સર્વ વૃત્તાંત જણાવીને તેણે ભગવંતને કહ્યું કે, હે સ્વામી ! ઇન્દ્ર દેવસભામાં આપની જે ગુણ પ્રશંસા કરેલી તેવા જ ગુણો મેં પ્રત્યક્ષ જોયાં. મેં આપની પરીક્ષા માટે ડરાવવાનો જે પ્રયત્ન કર્યો. તે અપરાધની ક્ષમા કરો. આ રીતે વારંવાર પોતાના અપરાધની ક્ષમા યાચના કરી, તે દેવ પોતાના સ્થાને ગયો. તે વખતે સંતુષ્ટ થયેલા ઇન્દ્રએ પ્રભુને બાલ્યાવસ્થામાં આવા મહાનું પરાક્રમી જોઈને પ્રભુનું "વીર"| “મહાવીર” એવું નામ આપ્યું. (વ્યવહારમાં આ નામ જ પ્રસિદ્ધ થયું છે.) ૦ ભ૦મહાવીરને ભણવા બેસાડવા (ઐદ્ર વ્યાકરણની રચના) :
પછી સ્વામી આઠ વર્ષના થઈ ગયા. ત્યારે તેને લેખાચાર્ય પાસે ભણવા મોકલવાનું માતા-પિતાએ વિચાર્યું. (જો કે ભગવંત તો જન્મથી જ ત્રણ જ્ઞાનના સ્વામી હોય છે). પાઠશાળા મોકલવા માટે શુભ મુહુર્ત અને શુભ લગ્ન મહોત્સવ પૂર્વક સર્વ તૈયારી કરી. સર્વે સગાંસંબંધીઓને વાહન–આભુષણ અને વસ્ત્રાદિ આપીને સત્કાર કર્યો. લેખાચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org