________________
૨૬૪
આગમ કથાનુયોગ-૧
શ્રમણ ભગવાન્ મહાવીર કાશ્યપ ગોત્રનાં હતા. તેમના ત્રણ નામ પ્રસિદ્ધ થયાં. તે આ પ્રમાણે :- વર્ધમાન”, “શ્રમણ અને “શ્રમણ ભગવાન્ મહાવીર.”
૦ વર્ધમાન – માતા-પિતાએ તેમનું “વર્ધમાન રાખ્યું હતું.
૦ શ્રમણ – સ્વાભાવિક સમભાવ હોવાથી – ‘શ્રમણ' – રાગદ્વેષરહિતપણાનો જે સહજ ગુણ, તે સહજ ગુણપણે તપસ્યા કરવાની શક્તિયુક્ત હોવાથી પ્રભુનું બીજું નામ શ્રમણ' પડ્યું.
૦ શ્રમણ ભગવંત મહાવીર – ભય ( વીજળી આદિ પડવા તે), ભૈરવ(સિંહાદીથી ઉત્પન્ન થતો ડર). આવા ભય-ભૈરવથી પ્રભુ ચલાયમાન થયા નહીં. (બાવીશ પ્રકારના) પરીષહો તથા (દેવ, દાનવ, માનવ કે તિર્યંચ સંબંધિ ઉત્પન્ન થતાં) ઉપસર્ગોને ક્ષમાપૂર્વક, લોભારહિતપણે સહન કરનારા, ભદ્રાદિ પ્રતિમા કે એકરાત્રિકી અભિગ્રહોને પાળનારા, ધીમાનું એટલે જ્ઞાનવાળા, અરતિ અને રતિને સહન કરનારા અર્થાત્ સુખમાં હર્ષ કે દુઃખમાં ખેદ નહીં પામનારા, સદ્ગણોના આગાર, પરાક્રમી-અતુલ બલી હોવાના કારણે દેવોએ તેમનું નામ શ્રમણ ભગવંત મહાવીર રાખ્યું હતું.
(ભગવંત આ ત્રણ નામો સિવાયના અન્ય અનેક વિશિષ્ટ નામો પણ છે જેનો ઉલ્લેખ આ કથાનકમાં જ હવે પછી આગળ કરાયેલ છે) ૦ ભ૦મહાવીરનો બાલ્યકાળ અને વીર/મહાવીર નામ :
જન્મ પછી શ્રમણ ભગવંત મહાવીરનું પાંચ ધાયમાતાઓ દ્વારા લાલનપાલન થવા લાગ્યું. ૧. ક્ષીરધાત્રી (દૂધ પીવડાવનાર ધાયમાતા), ૨. મજ્જન ધાત્રી (સ્નાન કરાવનારી ધાયમાતા), ૩. મંડાવણ ધાત્રી (વસ્ત્રાલંકાર પહેરાવનારી ધાયમાતા), ૪. ખેલાવણ ધાત્રી (ક્રીડા કરાવનારી ધાયમાતા) અને ૫. અંકધાત્રી (ખોળામાં બેસાડી રમાડનાર ધાયમાતા). આ રીતે આ ધાય માતાઓની ગોદમાં, એક ખોળામાંથી બીજા ખોળામાં – લઈ જવાતા, મણિમંડિત રમણીય આંગણામાં રમતા તેઓ પર્વત ગુફામાં સ્થિત ચંપકવેલની માફક યથાક્રમથી–કાળક્રમે મોટા થવા લાગ્યા.
(આયા. પ૧૦) (આવ.ભા. ૭૨ થી ૭૫, આવ.યૂ.૧–પૃ. ૨૪૬ થી ર૪૮, આવ.મ.વ.પૃ. ૨૫૮, કલ્પ.૧૦૮) ઉક્ત સંદર્ભ આધારે બાલ્યકાળ અને વીર' નામનું રહસ્ય
જન્મોત્સવ બાદ પ્રભુ દાસ-દાસી વડે પરિવરેલા અને સેવકો દ્વારા સેવા પામી રહ્યા હતા. બીજના ચંદ્ર અને કલ્પવૃક્ષના અંકુરા માફક દિવસે–દિવસે વધવા લાગ્યા. પ્રભુ બાળક હતા ત્યારે પણ મહાનું તેજસ્વી, ચંદ્રમા સદશ મનોહર મુખવાળા, સુંદર નેત્રવાળા, ભ્રમર સમાન શ્યામ કેશવાળા, પરવાળા જેવા લાલ હોઠવાળા, હાથીની ગતિ જેવી મનોહર ગતિવાળા, કમળ જેવા કોમળ હાથવાળા, શ્વેત દંતપંક્તિ યુક્ત, સુગંધી શ્વાસવાળા, દેવો કરતા પણ અધિક રૂપવાળા, જાતિસ્મરણ યુક્ત, ત્રણ જ્ઞાન વડે શોભતા, નિરોગી, ધૈર્ય ગાંભીર્યાદિ ગુણોના નિધિ અને જગતમાં તિલક સમાન હતા.
આ રીતે પ્રભુ મોટા થતા કિંચિત્ જૂનું આઠ વર્ષના થયા. તેઓ આસક્તિ રહિત, ભદ્રક, વિનીત, શૂર, વીર, પરાક્રમી હતા. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર પોતાના સિંહાસન પર પૂર્વાભિમુખ બેઠા હતા. તેણે પોતાની સભામાં ભગવંતના ગુણની પ્રશંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org