________________
૨૬૨
આગમ કથાનુયોગ-૧
આ પ્રમાણે સર્વ કાર્યો કરીને મારી આ આજ્ઞા પ્રમાણે કાર્ય થઈ ગયાનું નિવેદન કરો.
તે સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામીને તે કૌટુંબિક પુરુષો | નગર રક્ષકો હર્ષિત થયા. સંતુષ્ટ થયા યાવત્ પ્રફૂલ્લિત હૃદયવાળા થઈને બે હાથ જોડી વાવ મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાના આજ્ઞા વચનને વિનયપૂર્વક સ્વીકારે છે. સ્વીકારીને તુરંત જ કંડપુનગરમાં જઈને પહેલા કારાગૃહના બંદીજનોને છોડી મૂકે છે યાવત્ ધુંસરા અને મુસળ ઉઠાવવા પર્વતના જે કોઈ કાર્ય કરવાની સિદ્ધાર્થ રાજાએ આજ્ઞા કરી હતી, તે પ્રમામે સર્વ કાર્યો સંપન્ન કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આવી બે હાથ જોડી મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ રાજાની પૂર્વોક્ત આજ્ઞા પ્રમાણે દરેક કાર્યો કર્યા છે – તેવું નિવેદન કરે છે.
ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા જ્યાં વ્યાયામ શાળા છે ત્યાં આવે છે. આવીને કસરત કરી, તેલથી મર્દન કરાવી, સ્નાન કરી, વિલેપન કરી, ઉત્તમ વસ્ત્રો તથા બહુમૂલ્યવાળા આભૂષણો પહેરી – યાવત્ – સર્વ પ્રકારની ઋદ્ધિ, વાહન, પરિવાર અને અંતઃપુર વડે યુક્ત, સર્વ જાતિના પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માળા અને અલંકારાદિરૂપ શોભા વડે યુક્ત, સર્વ વાજિંત્રોના નાદ, છત્રાદિ રૂ૫ મહાનું ઋદ્ધિ, મહાનુ યુક્તિ, મોટું સૈન્ય, અનેક વાહનો, વિશાળ સમુદાય, શંખ, નગારું, નોબત, ખંજરી, રણશીંગુ, હુડુક્ક, ઢોલ, મૃદંગ, ઇંદુભિ ઇત્યાદિ ઉત્તમ વાજિંત્રોના ગંભીર અને પડઘાયુક્ત ધ્વનિ આદિ સહિત અર્થાત્ આવી સકલ સામગ્રીથી વિભૂષિત થયેલો સિદ્ધાર્થ રાજા દસ દિવસ સુધી તેમની કુળમર્યાદા અનુસાર મહોત્સવ કરે છે.
આ ઉત્સવમાં જકાત–કર તથા ખેડ આદિનો લેવાતો ભાગ બંધ કરવામાં આવ્યો. જેમને જે કોઈ વસ્તુની જરૂર હોય તે વિનામૂલ્ય પ્રાપ્ત કરવાની છૂટ અપાઈ, ખરીદ-વેચાણ બંધ કરવામાં આવ્યું. તે બધાંનું મૂલ્ય રાજ્યની તિજોરીમાંથી ચૂકવી આપવાની વ્યવસ્થા કરાઈ. સિપાઈ–અમલદારો કે રાજપુરુષ કોઈના ઘરમાં પ્રવેશ ન કરી શકે તેવો નિયમ કરાયો. દંડ–કુદંડ આદિ ભરવાનું બંધ કરાવ્યું – માફ કરાયું, ઋણ મુક્તતા અર્થાત્ દરેક દેવાદારનું કર્જ રાજ્ય તરફથી ચૂકવી દેવાયું. આવી વ્યવસ્થા દશ દિવસ માટે કરાઈ.
તે સાથે – રમણીય ગણિકાઓ સહિતના નાટકના પાત્રો, અનેક નાચ કરનારાઓ વડે યુક્ત, મૃદંગના નિરંતર ધ્વની, કરમાયા વિનાની–વિકસ્વર પુષ્પમાળાઓ સહિત, પ્રમુદિત અને અહીં-તહીં રમત-ગમત કરતા નગરજનો અને દેશવાસીઓ સહિતની એવા પ્રકારની મહોત્સવરૂપ સ્થિતિપતિતા અર્થાત્ કુલમર્યાદાને દશ દિવસ સુધી સિદ્ધાર્થ રાજાએ કરી – કરાવી.
- ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજા આવા પ્રકારની દશ દિવસ સુધીની કુળમર્યાદા સંપન્ન કરીને સેંકડો, હજારો, લાખો પ્રકારના યાગો (પૂજા યોગ્ય સામગ્રી)ને, તથા દાન–ભાગને આપતા–અપાવતા તથા સેંકડો, હજારો, લાખો ભેટોને સ્વીકાર કરતા-કરાવતા એ પ્રમાણે રહે છે. શ્રમણ ભગવાન્ મહાવીરના માતા-પિતા પ્રભુના જન્મને પહેલે દિવસે કુળ પરંપરા અનુસાર પુત્રજન્મને ઉચિત એવી ક્રિયા – અનુષ્ઠાન કરે છે. ત્રીજે દિવસે ચંદ્ર, સૂર્યના દર્શનરૂપ ઉત્સવ વિશેષ કરે છે. ત્યાર પછી પુત્રજન્મના છઠે દિવસે કુળ ધર્માનુસાર રાત્રિ જાગરણ કરે છે. એ રીતે કુલમર્યાદા કર્યા બાદ અગિયારમો દિવસ વ્યતીત થયા બાદ સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org