SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ આગમ કથાનુયોગ-૧ વીંઝણા લઈને ઊભી રહે છે. (અહીં ઠાણાંગ સૂત્ર ૭૭૨, આવશ્યક નિર્યુક્તિ ૧૮૭–વૃત્તિમાં શીતાને સાતમી અને ભદ્રાને આઠમી કહી છે. (અર્થાતુ ૪૦ અને ઉલ્લા) ક્રમમાં ફેરફાર છે.) પછી ઉત્તર દિશાના રૂચક પર્વતથી આઠ દિકકુમારીઓ આવી :- ૪૧. અલંબુસા, ૪૨. મિતકેશી, ૪૩. પુંડરીકા, ૪૪. વારુણી, ૪૫. હાસા, ૪૬. સર્વપ્રભા, ૪૭. શ્રી અને ૪૮. હી. આ આઠ દિકકુમારી પ્રભુ તથા તેની માતાને ચામર વીંઝે છે. (અહીં ઠાણાંગ તથા જંબૂતીપ પ્રજ્ઞપ્તિમાં નામોમાં ફેરફાર છે. જે અમે ભઋષભના કથાનકમાં નોંધેલ છે.) પછી રૂચકપર્વતની વિદિશાઓથી ચાર દિકકુમારીઓ આવી – ૪૯. ચિત્રા, ૫૦. ચિત્રકનકા, ૫૧. શહેરા અને પર. વસુદામિની. આ ચાર દિકકુમારી આવીને હાથમાં દીપક ગ્રહણ કરી ચારે વિદિશાઓમાં ઊભી રહી. પછી રૂચક હીપથી ચાર દિકકુમારીઓ આવી :- ૫૩. રૂપા, ૫૪. રૂપાસિકા, પપ. સૂરૂપા, પ૬ રૂપકાવતી. આ ચાર દિકકુમારીએ આવીને ભગવંતની નાળને ચાર અંગુલ દૂરથી છેદીને ખાડો ખોદી દાટી, ત્યાં વૈડૂર્ય રત્નની એક પીઠ બનાવી અને તેને દુર્વા અર્થાત્ લીલા ઘાસ વડે બાંધી દીધી. – ત્યારપછી તે દિકકુમારીઓએ જિનેશ્વર પ્રભુના જન્મદરની પૂર્વ-દક્ષિણ અને ઉત્તર દિશામાં પ્રત્યેકમાં કેળના ઘર બનાવ્યા. દક્ષિણ દિશા તરફના ઘરમાં સિંહાસન ઉપર પ્રભુને તથા માતાને બેસાડી બંનેનું સુગંધી તેલથી મર્દન કરે છે. પછી પૂર્વ દિશા તરફના કેળના ઘરમાં લઈ જઈને સ્નાન કરાવી, વિલેપન કરી, વસ્ત્ર તથા આભૂષણો પહેરાવે છે. પછી ઉત્તર દિશામાં બનાવેલા કેળના ઘરમાં જઈને ભગવંતને તથા માતાને સિંહાસન ઉપર બેસાડી, અરણિનાં બે કાષ્ઠો ઘસીને તેમાંથી અગ્નિ નીપજાવી, ઉત્તમ ચંદન વડે હોમ કરી, તે અગ્રિની રાખ વડે દિકકુમારીઓ પ્રભુને તથા માતાને હાથે રક્ષા પોટલી બાંધે છે. ત્યારપછી તે દિકકુમારીઓ રત્નના બે ગોળા અફળાવીને “તમે પર્વત જેટલા દીર્ધાયુષી થાઓ'' એમ કહીને પ્રભુને તથા માતાને જન્મસ્થાનકે મૂકીને પોતપોતાની દિશામાં રહી ગીતગાન કરતી ઊભી રહે છે. આ પ્રત્યેક દિકકુમારી સાથે ચાર હજાર સામાનિક દેવો, ચાર મહત્તરાઓ, ૧૬,૦૦૦ અંગરક્ષકો, સાત સેના, સાત સેનાપતિ તથા બીજા પણ મહર્તિક દેવો હોય છે. વળી તે દિકકુમારીઓ આભિયોગિક દેવોએ બનાવેલા યોજના પ્રમાણ વિમાનોમાં બેસીને જન્મ મહોત્સવ કરવા આવે છે. – ત્યારપછી સૌધર્મેન્દ્ર શુક્રનું પર્વત સમાન નિશ્ચલ શક્ર નામનું સિંહાસન ચલાયમાન થયું. ત્યારે શક્રેન્દ્રએ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકી અંતિમ જિનેશ્વરનો જન્મ થયાનું જાણ્યું. ત્યાર પછી ઇન્દ્ર હરિભેગમેલી દેવ પાસે એક યોજન પરિમંડળવાળો સુઘોષા નામનો ઘંટ વગડાવ્યો, તેથી સર્વ વિમાનના ઘંટ વાગવા લાગ્યા. પોતપોતાના વિમાનમાં થતા ઘંટનાદથી તે દેવો ઇન્દ્રનું કાર્ય જાણી એકઠાં થયા, ત્યારે હરિણેગમેષીએ ઇન્દ્રનો હુકમ સંભળાવ્યો. તીર્થંકરનો જન્મ મહોત્સવ કરવાને જવા માટે ઇન્દ્રનો હુકમ સાંભળી હર્ષિત થયેલા દેવો ચાલવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે પાલકનામના દેવે બનાવેલા લાખ યોજનના પ્રમાણવાળા પાલક નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy