________________
તીર્થંકર ચરિત્ર—ભમહાવીર—કથા
વિમાનમાં સ્થિત સિંહાસન ઉપર ઇન્દ્ર બેઠો. તે વિમાનમાં ઇન્દ્રના સિંહાસનની સન્મુખ ઇન્દ્રની આઠ અગ્રમહિષીઓના આઠ ભદ્રાસન હતા. ડાબી બાજું ૮૪,૦૦૦ સામાનિક દેવોના ૮૪,૦૦૦ ભદ્રાસન હતા. જમણી બાજુ અત્યંતર પર્ષદાના ૧૨,૦૦૦ દેવોના ૧૨,૦૦૦ ભદ્રાસન હતા. મધ્યમ પર્ષદાના ૧૪,૦૦૦ દેવોના ૧૪,૦૦૦ ભદ્રાસન અને બાહ્ય પર્ષદાના ૧૬,૦૦૦ દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસન હતા. પાછળના ભાગમાં સાત સેનાપતિઓના સાત ભદ્રાસન હતા. પ્રત્યેક દિશામાં ૮૪,૦૦૦ આત્મરક્ષક દેવોના ૮૪,૦૦૦ ભદ્રાસનો હતા. આ પ્રમાણે તે ઇન્દ્ર પોતાના પરિવારના દેવો તેમજ બીજા પણ કરોડો દેવોથી પરિવરેલો ચાલ્યો.
– કેટલાએક દેવો ઇન્દ્રના હુકમથી ચાલ્યા, કેટલાએક મિત્રના વચનથી, કેટલાએક પ્રિયાની પ્રેરણાથી, કેટલાએક આત્મિક ભાવથી, કેટલાક કૌતુક વડે, કેટલાક અપૂર્વ આશ્ચર્યથી, કેટલાંક ભક્તિથી – એ રીતે સર્વ દેવો વિવિધ પ્રકારના વાહન ઉપર સવાર થઈ ચાલવા લાગ્યા. તે વખતે વાગી રહેલા ભિન્ન ભિન્ન વાજિંત્રો, ઘંટનાદો અને દેવોના કોલાહલથી આખું બ્રહ્માંડ શબ્દમય બની ગયું. તે વખતે દેવોના કરોડો વિમાનો અને વિવિધ જાતિના વાહનો વડે વિશાળ એવો આકાશમાર્ગ પણ સાંકડો થઈ ગયો. આવી રીતે દેવોથી પરિવરેલો ઇન્દ્ર નંદીશ્વર દ્વીપ પાસે આવી, વિમાનને સંક્ષેપીને ભગવંતના જન્મસ્થાનકે આવ્યો.
૨૫૯
વિમાનમાંથી ઉતરી, જિનેશ્વર તથા જિનમાતાને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદન—નમસ્કાર કરી કહ્યું કે, હે રત્નકુક્ષિધારિકે ! જગમાં દીપિકા સમાન માતા ! હું તમને નમસ્કાર કરું છું. હું દેવોનો સ્વામી શક્રેન્દ્ર છું. તમારા પુત્ર એવા અંતિમ તીર્થંકરના જન્મ મહોત્સવ કરવાને હું પહેલા દેવલોકથી અહીં આવ્યો છું. માટે તમે કોઈ પ્રકારે ભય રાખશો નહીં. એ પ્રમાણે કહી પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કરી, પોતાના પાંચ રૂપ વિકુર્વ્યા. એક રૂપે પ્રભુને ગ્રહણ કર્યા, બે રૂપે બંને પડખે રહીને ચામર વીંઝવા લાગ્યો. એક રૂપે પ્રભુને મસ્તકે છત્ર ધારણ કર્યું. એક રૂપે વજ્ર હાથમાં લઈ આગળ ચાલવા લાગ્યો.
દેવોથી પરિવરેલો સૌધર્મેન્દ્ર મેરૂ પર્વતમાં ઉપર રહેલા પાંડુકવનમાં આવ્યો. ત્યાં મેરૂની ચૂલાથી દક્ષિણ ભાગમાં રહેલી અતિપાંડુકંબલા નામની શિલા પર જઈ પ્રભુને ખોળામાં લઈ પૂર્વ દિશા સન્મુખ બેઠો. એ વખતે કુલ ચોસઠ ઇન્દ્રો ત્યાં હાજર હતા. દશ વૈમાનિક, વીશ ભવનપતિ, બત્રીશ વ્યંતર અને બે જ્યોતિષ્ક. તે વખતે અચ્યુતેન્દ્રએ આભિયોગિક દેવો પાસે સુવર્ણના, રૂપાના, રત્નના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રત્નના, રત્ન અને રૂપાના, સુવર્ણ રત્ન અને રૂપાના તથા માટીના એવા આઠ જાતિના એક યોજન મુખવાળા કળશો, જે પ્રત્યેક જાતિના ૧૦૦૮-૧૦૦૮ મંગાવ્યા.
તે ઉપરાંત શ્રૃંગાર, દર્પણ, રત્નકદંડક, સુપ્રતિષ્ઠ, થાળ, પાત્રી અને પુષ્પોની છાબડી વગેરે પૂજાના ઉપકરણો પણ કળશની માફક દરેક આઠ આઠ જાતિના ૧૦૦૮૧૦૦૮ મંગાવ્યા. માગધ વગેરે તીર્થોની માટી અને જળ, ગંગા વગેરે મહાનદીઓના કમળ અને જળ, પદ્મદ્રહ વગેરેનાં કમળ અને જળ તથા લઘુહિમવંત, વર્ષધર, વૈતાઢ્ય, વિજય અને વક્ષસ્કારાદિ પર્વતો ઉપરથી સરસવ, પુષ્પો, સુગંધી પદાર્થો અને સર્વ પ્રકારની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org