________________
૨૫૬
આગમ કથાનુયોગ-૧
સિદ્ધાર્થ રાજાએ તેના સર્વ દોહદ પૂર્ણ કર્યા. ઇચ્છિત પદાર્થો પ્રાપ્ત થવાથી તેના દોહદ સન્માનિત થયા. કોઈપણ દોહદની જરા પણ અવગણના થઈ નહીં. તેના મનોવાંછિત દોહદ પૂર્ણ થવાથી ફરીથી કોઈ નવા મનોરથ કે ઇચ્છા રહી નહીં. કોઈ બીજા દોહદ હવે વિદ્યમાન રહ્યા નથી. એવા તે ત્રિશલા ક્ષત્રિયાણી ગર્ભને બીલકુલ બાધા ન પહોંચે તે રીતે સુખપૂર્વક ટેકો લઈને બેસે છે, સૂએ છે, ઊભા થાય છે, આસન પર બેસે છે, શય્યામાં આળોટે છે, જમીન પર ચાલે છે. આવી રીતે ત્રિશલા સુખપૂર્વક ગર્ભને વહન કરે છે. ૦ ભ૦મહાવીરનું જન્મકલ્યાણક :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાનું મહાવીર, જે-તે ગ્રીષ્મ કાળનો પહેલો મહિનો, બીજું પખવાડીયું અર્થાત્ ચૈત્ર માસના શુક્લપક્ષ, તે ચૈત્રમાસના શુક્લ પક્ષના તેરમા દિવસે અર્થાત્ ચૈત્ર સુદ–તેરસના દિવસે નવ માસ બરાબર સંપૂર્ણ થઈને સાડા સાત દિવસ વ્યતીત થયા ત્યારે (મહાવીર પ્રભુને નવ માસ સાત દિવસ પૂર્ણ થયા ત્યારે) બધા ગ્રહો પોતાના ઉચ્ચ સ્થાનમાં હતા, ચંદ્રમાનો ઉત્તમ યોગ પ્રાપ્ત થયો. દિશાઓ બધી સૌમ્ય, અંધકાર રહિત અને વિશુદ્ધ હતી. જય-વિજયના સૂચક બધી જાતના શુકનો હતા. પ્રદક્ષિણા પૂર્વક–અનુકૂળ એવો સુગંધિત મંદમંદ પવન પૃથ્વીને સ્પર્શ કરતો વહી રહ્યો હતો. સર્વ પ્રકારના ધાન્યાદિ પદાર્થોથી પૃથ્વી ભરપૂર હોય તેવો કાળ હતો. દેશવાસી લોકોના મન આનંદિત અને પ્રમુદિત હતા.
આવા સમયે મધ્ય રાત્રિમાં ઉત્તરાફાગુની નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ પ્રાપ્ત થયો ત્યારે ક્ષત્રિય કુંડગ્રામ નગરમાં આરોગ્ય સંપન્ન એવા ત્રિશલા માતાએ નિરોગી અને સ્વસ્થ એવા પુત્રને જન્મ આપ્યો. (અહીં આવશ્યક ચૂર્ણિ ૧-પૃ. ૧૩૫ જણાવે છે કે) તીર્થકરની માતાનો ગર્ભ પ્રચ્છન્ન હોય છે (પેટ વધતું નથી) જર, રુધિર, કલમલ આદિ પ્રસવ વખતે નીકળતા નથી. પ્રભુને સિંહનું લંછન (ચિન્હ) હતું. તેનો વર્ણ સુવર્ણની પ્રભા સર્દશ હતો.
જે રાત્રિએ ત્રિશલા ક્ષત્રિયાણીએ શ્રમણ ભગવંત મહાવીરને જન્મ આપ્યો તે રાત્રિ પ્રભુના જન્મોત્સવ માટે નીચે ઉતરતા અને ઊંચે ચડતા એવા ઘણા ભવનપતિ, વાણવ્યંતર,
જ્યોતિષી અને વૈમાનિક દેવ-દેવીઓ વડે અતિશય આકુળ બની, આનંદથી ફેલાઈ રહેલા હાસ્યાદિ અવ્યક્ત શબ્દોથી કોલાહલમય બની. અનેક દેવ–દેવીઓના આવાગમનથી મહાન દિવ્યોદ્યોત ફેલાયો. (સ્થાનાંગ સૂત્ર-૧૪૨માં પણ જણાવે છે કે અરિહંતનો જન્મદીક્ષા અને નાણ ઉત્પત્તિ સમયે લોકમાં ઉદ્યોતું થાય છે તથા દેવઉદ્યોત થાય છે.) ૦ દેવદેવી કૃત્ જન્મ મહોત્સવ :
(જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર ર૧૨ થી ૨૪૪ વક્ષસ્કા—–માં ખૂબ જ વિસ્તારથી છપ્પન દિકકુમરી અને સર્વે ઇન્દ્રો દ્વારા કરાતા જન્મ કલ્યાણક મહોત્સવનું વર્ણન આવે છે. જે અમે ભગવંત ઋષભ કથાનકમાં આપેલું જ છે. આ વર્ણન પ્રત્યેક તીર્થકર માટે એકસમાન જ હોય છે.
અહીં ભ મહાવીરના કથાનકમાં પણ સંપૂર્ણતયા તે જ વર્ણન મુજબ જન્મકલ્યાણક મહોત્સવ દેવ– દેવીએ ઉજવ્યો હતો. અમે કથાનુયોગના વૈશિશ્ય હેતુથી અત્રે તે વર્ણનનું પુનર્લખન કરવાને બદલે કલ્પસૂત્રવૃત્તિમાં અપાયેલ સંક્ષિપ્ત વર્ણન રજૂ કરીએ છીએ (આ જ પ્રકારનું સંક્ષિપ્ત વર્ણન આવશ્યક નિર્યુક્તિ ૧૮૭– ૧૮૮ની વૃત્તિમાં પણ છે.)
“ભઋષભ કથાનકનો મહોત્સવ અલગ હતો અને ભ મહાવીરનો જન્મ મહોત્સવ સંક્ષિપ્ત છે તેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org