________________
તીર્થકર ચરિત્ર–ભ મહાવીર–કથા
૨૫૫
વશથી પ્રફૂલ્લિત હૃદયવાળા થયા અને આ પ્રમાણે કહેવા લાગ્યા ખરેખર ! મારો ગર્ભ હરાયો નથી કે મારો ગર્ભ ગળી પણ નથી ગયો. આ મારો ગર્ભ પહેલા કંપતો ન હતો હવે કંપે છે. એમ કહી તે ત્રિશલા ક્ષત્રિયાણી હર્ષિત થયા, સંતુષ્ટ થયા અને હર્ષના વશથી પ્રફૂલ્લિત હૃદયવાળા થઈ વિહરવા લાગ્યા.
ગર્ભની કુશળતા જાણી ત્રિશલા ક્ષત્રિયાણીના બંને નેત્રો ઉલ્લસિત થયા. તેણીનું મુખ પ્રફૂલ્લિત થયું. કંચુક રોમાંચિત થઈ. તેણી પોતાના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. વૃદ્ધ સ્ત્રીઓ પણ આશીર્વચનો બોલવા લાગી. ચારે દિશામાં ધ્વજા ફરકાવાઈ. મોતીના સાથીયા પુરાયા. રાજકુલ પુનઃ ધબકતું થયું. વાજિંત્રોના સૂર રેલાવા લાગ્યા. સિદ્ધાર્થ રાજા પણ વધામણીમાં આવેલા ધનને ગ્રહણ કરવા લાગ્યા અને દાન આપવા લાગ્યા. હર્ષવિભોર બની ગયા.
ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીરે ગર્ભમાં રહીને આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો, સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારા માતા-પિતા જીવિત હોય ત્યાં સુધી હું મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરીશ નહીં. કેમકે હજી તો હું ગર્ભમાં છું ત્યારે પણ જો માતાને મારી ઉપર આવો ગાઢ સ્નેહ છે. તો પછી મારો જન્મ થશે ત્યારે કેવો સ્નેહ થશે ? તેથી માતાપિતાની હયાતીમાં હું સંયમ લઈશ તો તેમને ઘણું દુઃખદાયી થશે. (આવશ્યક ભાષ્ય ગાથા-૫૯માં જણાવે છે કે, ત્રણ જ્ઞાન સંયુત શ્રમણ ભગવંત મહાવીરે ચ્યવનથી સાતમાં મહિને ગર્ભમાં ઉક્ત પ્રતિજ્ઞા કરેલી. ૦ ગર્ભ પરિપાલન :
ત્યાર પછી ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્નાન કર્યું. બલિકર્મ અર્થાત્ ઇષ્ટદેવની પૂજા કરી, કૌતુક-મંગલ અને પ્રાયશ્ચિત્ કર્યા. સર્વ અલંકારો વડે વિભૂષિત થયા. તે ગર્ભનું પોષણ કરવા લાગ્યા. તેણીએ અતિ ઠંડો નહીં, અતિ ગરમ નહીં, અતિ કડવો નહીં, અતિ તીખો નહીં, અતિ તુરો નહીં, અતિ ખાટો નહીં, અતિ મીઠો નહીં, અતિ ચીકાશવાળો નહીં, અતિ લુખો નહીં, અતિ ગીલો નહીં, અતિ શુષ્ક નહીં એવો આહાર ગ્રહણ કરી ગર્ભનું પોષણ કરવા લાગ્યા. (ઉક્ત પાઠ કલ્પસૂત્ર-૯૫નો છે. આવો જ પાઠ ભગવતીજીના સૂત્ર–પરમાં રાજા બળની પત્ની પ્રભાવતી દેવીના ગર્ભપાલનમાં પણ આવે છે.)
(ગર્ભને માટે અતિ ઠંડા-અતિ ગરમ આદિ પદાર્થો હિતકારી ન હોવાથી માતા ગ્રહણ કરતા નથી. કેમકે તે વાત-પિત અથવા કફના કારક બને છે.)
તેથી ત્રિશલા માતા સર્વ ઋતુઓમાં સેવાતા એવા સુખકારી–ગુણકારી પદાર્થોનું ભોજન ગ્રહણ કરે છે. તેણીએ વસ્ત્ર, સુગંધી પદાર્થો અને પુષ્પમાળા પણ ઋતુઓને અનુકૂળ જ ધારણ કર્યા. તેણી રોગરહિત, શોકરહિત, મોહરહિત, ભયરહિત અને ત્રાસ રહિતપણે રહેવા લાગ્યા. ગર્ભને માટે હિતકર, પરિમિત, મધ્ય અને ગર્ભપોષક આહારવિહાર કરતા સાવધાનીપૂર્વક રહે છે. દેશ અને કાળ અનુસાર આહાર કરવાપૂર્વક કહે છે. દોષ રહિત અને સુકોમળ એવાં શયન અને આસનનો ઉપભોગ કરવા લાગ્યા. નિર્જન, શાંત, મનને અનુકૂળ અને ચિત્તને આનંદદાયી એવી વિહારભૂમિમાં રહે છે.
ત્રિશલા ક્ષત્રિયાણીને ગર્ભના પ્રભાવથી પ્રશસ્ત દોહદ (મનોરથ) ઉત્પન્ન થયાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org