________________
તીર્થકર ચરિત્ર–ભમહાવીર–કથા
૨૪૯
બેંતાલીસ સ્વપ્નો અને (વિશેષ ફળને દેનારા) ત્રીશ મહાસ્વપ્નો કહેલાં છે. એ રીતે બંને મળીને કુલ બોંતેર સ્વપ્નો કહેલા છે. તેમાંથી હે દેવાનુપ્રિય! અરિહંત પરમાત્માની અથવા ચક્રવર્તીની માતા જ્યારે અરિહંત કે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એ ત્રીશ મહાસ્વપ્નોમાંથી આ ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગે છે. જેવા કે, હાથી, વૃષભ, સિંહ ઇત્યાદિ. વાસુદેવની માતાઓ વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ સ્વપ્નોમાંથી કોઈપણ સાત સ્વપ્નોને જોઈને જાગે છે. બળદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ ચાર મહાસ્વપ્નોને જોઈને જાગે છે. માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે આ ચૌદ મહાસ્વપ્નોમાંથી કોઈપણ એક સ્વપ્નને જોઈને જાગે છે.*
( ઉક્ત વર્ણન કલ્પસૂત્ર-૭૩ થી ૭૭નું છે. આવું જ વર્ણન ગૌતમસ્વામી અને ભગવંત મહાવીરના પ્રશ્નોત્તર રૂપે ભગવતીજી સૂત્ર-૬૭૮માં આવે છે અને સૂત્ર–૫૧૮ થી પર૦માં બલરાજા અને પ્રભાવતી દેવીના સંદર્ભમાં પણ આ જ રીતે સ્વપ્ન, સ્વપ્નપાઠક, ફળકથને આવે છે.)
(સ્વપ્ન સંબંધિ ફળકથન માટે કલ્પસૂત્ર-વિનય વિજયજી વૃત્તિમાં કેટલીક વાતો નોંધી છે. એ જ રીતે ભગવતીજી સૂત્ર–૬૮૦માં પણ સ્વપ્નફળ નિર્દેશ છે. ભગવતીજી મૂળ સૂત્ર હોવાથી અહીં ભગવતીજી સૂત્રને પ્રાધાન્ય આપી તે ફળ કથનનો નિર્દેશ કરીએ છીએ–). ૦ કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નના અંતમાં
એક મહાન્ અશ્વપંક્તિ, ગજપંક્તિ અથવા – યાવત્ – વૃષભ પંક્તિનું અવલોકન કરતા જુએ. તેના પર પ્રયત્નપૂર્વક ચઢતા જુએ કે, પોતાને ચઢેલ
એવા પ્રકારનું સ્વપ્ન જોઈને તુરંત જાગે તો તે એ જ ભવે સિદ્ધ થાય. - સમુદ્રની બંને તરફ સ્પર્શતી, પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તૃત એક મોટી રસ્સી–
દોરડું પ્રયત્નપૂર્વક જુએ, પોતાના બંને હાથે તે દોરડાને ભેગું કરે, પછી અનુભવ કરે કે મેં સ્વયં દોરડાને સમેટી લીધું છે. આવું સ્વપ્ન જોઈને તે જાગે
તો તે એ જ ભવે સિદ્ધ થાય. - એ જ રીતે લોકાંતને સ્પર્શતી એવી તથા પૂર્વ–પશ્ચિમ લાંબી રસ્સી–દોરડાને
જુએ, તેને પ્રયત્નપૂર્વક કાપી નાંખે, તેને કાપી નાખ્યાનો સ્વયં અનુભવ કરે એવું સ્વપ્ન જુએ પછી તુરંત જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. એક મોટા કાળા કે સફેદ દોરાને જુઓ, તેમાં પડી ગયેલી ગાંઠને ખોલે કે ખોલતા જુએ પછી મેં આ ગાંઠ ખોલી દીધી છે એમ સ્વયં માને આવું સ્વપ્ન જોઈને તુરંત જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થાય. જો એક મોટા લોઢાનો ઢગલા, તાંબાનો ઢગલા, કાંસાનો ઢગલા અથવા શીશાના ઢગલાને પ્રયત્નપૂર્વક જુએ, તેના પર ચઢે, પોતાને ચઢેલો માને. આવું સ્વપ્ન જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવમાં સિદ્ધ થાય. જો એક મોટા ચાંદીના ઢગલા, સોનાના ઢગલા, રત્નોના ઢગલા અથવા વજના ઢગલાને જુએ, તેના પર ચઢે, પોતાને તેના પર ચઢેલો માને આવું સ્વપ્ન
જોઈને તત્કાળ જાગી જાય તો તે એ જ ભવે સિદ્ધ થાય છે. - જો એક મહાનું તૃણરાશિ, તેજ નિસર્ગ યાવત્ કચરાના ઢગલાને જુએ, તેને
વિખેરી નાંખે, મેં વિખેરી દીધો છે એવું પોતે માને, આવું સ્વપ્ન જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org