SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ છે ત્યાં આવે છે. આવીને સ્વપ્નલક્ષણ પાઠકોને બોલાવે છે. ૦ સ્વપ્નલક્ષણ પાઠકોનું આગમન—સ્વપ્ન ફળ કથન :— ત્યારે સિદ્ધાર્થ ક્ષત્રિયના કૌટુંબિક પુરુષો દ્વારા બોલાવાયેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો હર્ષિત થયા. સંતોષ પામ્યા યાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થયા. તેમણે સ્નાન કર્યું. બલિકર્મ (–ઇષ્ટ દેવતાની પૂજા) કરી, તિલક આદિ કૌતુક કર્યા, સરસવ, દહીં, ચોખા, દુર્વાદિ મંગલરૂપ પ્રાયશ્ચિત્ત કર્યા (જેથી દુષ્ટ સ્વપ્નાદિ ફળ નિષ્ફળ બને) રાજ્યસભામાં જવાને યોગ્ય શુદ્ધ, મંગળરૂપ, ઉત્તમવસ્ત્રો ધારણ કર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત્ કર્યું. મસ્તક (–કપાળ) ઉપર સફેદ સરસવ અને ચોખા વગેરે મંગળ નિમિત્તે સ્થાપન કર્યા અને પોતપોતાના ઘેરથી નીકળ્યા. નીકળીને ક્ષત્રિય કુંડગ્રામ નગરની વચ્ચોવચ્ચથી થઈને જ્યાં સિદ્ધાર્થ રાજાના મહેલોના મુગટ સમાન એટલે કે, ઉત્તમ ભવનનું પ્રવેશદ્વાર છે ત્યાં આવે છે. આવીને ઉત્તમ મહેલના દરવાજા પાસે એક સમ્મત્ત (–એકઠાં થઈને એકમત) થાય છે. (અહીં એકમત થવા પર પાંચસો સુભટનું દૃષ્ટાંત કલ્પસૂત્ર વૃત્તિકાર નોંધે છે. જે દૃષ્ટાંત વિભાગમાં નોંધેલ છે.) એક સમ્મત્ત થયેલા તે સ્વપ્નલક્ષણ પાઠકો બહારના સભા સ્થાનમાં જ્યાં સિદ્ધાર્થે ક્ષત્રિય છે ત્યાં આવે છે. આવીને બે હાથ જોડી યાવતુ મસ્તકે અંજલિ કરીને સિદ્ધાર્થ ક્ષત્રિયને જય–વિજય વડે વધાવે છે. (પછી વિવિધ આશીર્વચનો બોલે છે.) ત્યાર પછી તે સિદ્ધાર્થ રાજાએ સ્વપ્નલક્ષણ પાઠકોને (તેઓના સદ્ગુણોની સ્તુતિ કરવા દ્વારા) વંદન કર્યું, (પુષ્પાદિ વડે) પૂજા કરી, સત્કાર કર્યો, સન્માન કર્યું. પછી તેઓ પ્રત્યેક—પ્રત્યેક પૂર્વે સ્થાપેલા ભદ્રાસન પર બેઠા. ત્યાર પછી સિદ્ધાર્થ ક્ષત્રિય ત્રિશલા ક્ષત્રિયાણીને પૂર્વ વર્ણવેલ પડદા (યવનિકા)ની અંદર પૂર્વે સ્થાપેલા ભદ્રાસન પર બેસાડે છે. બેસાડીને હાથમાં પુષ્પ તથા ફળ લઈને સિદ્ધાર્થ ક્ષત્રિયે અતિશય વિનયપૂર્વક તે સ્વપ્નલક્ષણ પાઠકોને આ પ્રમાણે કહ્યું હે દેવાનુપ્રિયો ! ખરેખર આજે ત્રિશલા ક્ષત્રિયાણી તેવા પ્રકારની (પૂર્વવર્ણિત એવી ભાગ્યશાળીને યોગ્ય) ઉત્તમ શય્યામાં શયન કરતાં, અર્ધ નિદ્રાવસ્થામાં આ પ્રકારના પ્રશસ્ત અને ઉદાર એવા ચૌદ મહાસ્વપ્નોને જોઈને જાગ્યા. તે સ્વપ્ન ગજવૃષભ આદિ હતા. હે દેવાનુપ્રિયો ! કલ્યાણકારી એવું શું ફળ વિશેષ અને વૃત્તિ વિશેષ થશે ? ત્યાર પછી તે સ્વપ્નલક્ષણ પાઠકો સિદ્ધાર્થ ક્ષત્રિયની પાસે આ અર્થ સાંભળીને, મનમાં અવધારીને હર્ષિત થયા, સંતુષ્ટ થયા યાવત્ હર્ષના વશથી ઉન્નસિત હૃદયવાળા થયા. પ્રથમ તેઓએ એ સ્વપ્નોને સામાન્યથી ધારી લીધા. ધારીને અર્થની વિચારણા કરી, અર્થ વિચારીને તે સ્વપ્ન સંબંધિ પરસ્પર વિચારણા કરી અર્થાત્ વિચાર વિનિમય કર્યો. એ રીતે પ્રથમ સૌએ પોતે તે સ્વપ્નાના અર્થને જાણ્યો, પછી બીજાના અભિપ્રાય દ્વારા તે—તે અર્થોને ગ્રહણ કર્યાં. પરસ્પર પૂછીને પોત–પોતાના સંશયનું નિવારણ કર્યું. પછી (તે સ્વપ્નાના અર્થનો) નિશ્ચય કર્યો. નિશ્ચયિત અર્થનું અવધારણ કર્યું. પછી સ્વપ્નશાસ્ત્રોનું ઉચ્ચારણ કરતા—કરતા સિદ્ધાર્થ ક્ષત્રિયને આ પ્રમાણે કહ્યું * હે દેવાનુપ્રિય ! નિશ્ચિતરૂપથી અમારા સ્વપ્નશાસ્ત્રમાં (સામાન્ય ફળને દેનારા) Jain Education International આગમ કથાનુયોગ-૧ — - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005008
Book TitleAgam Kathanuyoga Gujarati Part 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy